________________
શ્રીચંદ્ર ગુફામાં.
૨૧૯ રાજા નૃસિંહે પિતાના મંત્રીઓને અને શહેરના આગેવાનોને બોલાવી, શ્રીચંદ્રને માટે શું કરવું, તેને વિચાર કર્યો; તે વખતે તારક મને એ : ભાટ કે જે શ્રીચંદ્રની સ્થિતીને જાણતા હતા, તેણે રાજાને ધીરજ આપી કહ્યું કે, મહારાજા ! ચિંતા કરશો નહિ, શ્રીચંદ્ર પાછા સત્વર આવી, રાજકુમારીને મળશે. તે વિદ્વાન ગુરુ છે, ઘણે સ્થાને તેમના આવી રીતે જ વિવાહ થએલા છે. આથી રાજાને વિશેષ ધીરજ અવી.
તે ચતુર ભાટે વિલાપ કરતી રાજકુમારી પ્રિયંગુમંજરીને પણ આશ્વાસન આપ્યું. પ્રિય બેન ! ચિંતા કરશો નહીં, રાજકુમાર શ્રીચંદ્ર અહીંથી જતાં મને મળ્યા હતા, તેમણે તમને આપવાને આ મુદ્રિકા આપી છે, એમ કહી તે બારોટે રાજકુમારીના હાથમાં મુદ્રિકા આપી, અને કહ્યું કે, આ મુદ્રિકાને પતિની પ્રેમમૂર્તિ જાણજે, અને પ્રતિદિવસ તેની પૂજા કરજે. તે મુદ્રકા લઈ પ્રિયંગુમંજરી ખુશી થઈ, અને આશારૂપ સરિતાના પ્રવાહમાં તણાતી તણાતી પિતૃગૃહમાં રહી, દિવસ નિર્ગમન કરવા લાગી.
પ્રકરણ ૪૮ મું.
શ્રીચંદ્ર ગુફામાં.
ક ભયંકર ગુફા હતી, ગુફામાં ઉતરવાને પગથીયાંની મોટી શ્રેણી હતી, આગળ જતાં એક બે માળનું નવરંગિત મંદિર ઉભું હતું, મંદિર આગળ સારો પ્રકાશ પડતો હતો, તે પ્રકાશ સૂર્યને ન હતો, પણ વિવિધ જાતનાં
રત્નનો હતો, મંદિરનો દેખાવ ઘણો રમણીય હતા, રત્નજડીત થાંભલાઓથી તે ઘણું સુશોભિત લાગતું હતું.
આ મંદીરમાં એક પુરૂષ દાખલ થયે. તેને વેષ ક્ષત્રિય કુમારના જે હવે, હાથમાં એક દિવ્ય ખડું રાખ્યું હતું તે વીરનર આ નવીન મંદિરના માળ ઉપર ચડે, ત્યાં એક વિચિત્ર મણિમય મંડપ જોવામાં આવ્યો. મડપની ચારે બાજુ સુંદર ફરનીચર ગોઠવેલું હતું, મધ્ય ભાગે એક સિ હાત મુકેલ હતું. પેલા યુવાન પુરુષ તે સિંહાસન ઉપર જઈને બેઠે. આવા સુંદર ગૃહમાં કોઇ પણ મનુબ નવે તેનું કારણ હશે ? એમ તે વિચાર કરતે હતા, ત્યાં મંડપની એક તરફ જરા ખુલ્લું રહેલું એક દ્વાર ના આવ્યું. તે જોતાંજ યુવાન બેઠો થયો, તે દ્વાર ઉઘાડી અંદર પેઠે, ત્યાં એક નમસ શયા ઉપર બેઠેલી વાનરી જોવામાં આવી આવા નિર્જન સ્થળમાં આ પ્રાણી કયાં ? એમ તે આશ્ચર્ય પામે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org