________________
૨૧૮
આનંદ મંદિર,
મંદ સ્વરે રૂદન કરતાં બોલી-જનની ! વિવાહમાં કાંઈ દગો થયું છે. મને પરણનાર રાજપુત્ર ક્યાંઈક ચાલ્યા ગયા. કેઈ બીજો પુરૂષ તેને વેષ પહેરી મારા મંદિરમાં આવ્યો છે. વિવાહિત પતિ દેહચિંતાનું બહાનું બતાવી ચાલ્યા ગયા છે, તેને ક્યાંઈ પત્તો નથી. બીજા કોઈ અરસિક અને અકુલીન પતિએ શયનગૃહમાં પ્રવેશ કર્યો, તેથી હું ય પામી અહીં છુટી આવી છું. માતા ! ધર્મની સહાયથી મારા શીળનું રક્ષણ થયું છે. હવે શું કરવું ? તે પુરૂષ અદ્યાપિ મારા મહેલમાં રહ્યા છે.
રાણી આશ્ચર્ય પામી બેલી–બેટા ! એ બનવું અસંભવિત છે, ગમે તેમ થાય, પણ તને પરણનાર તે વીર પુરૂષ કદિ પણ તેવો દગો કરે નહીં. કદિ કોઈ કારણથી તેમ બન્યું હોય, તો પણ તને મુકી દીયે, એ વાત તો બને જ નહીં, ગમે ત્યાંથી તે પાછો આવી, તને શરણ આપશે. તેવા વિદ્વાન અને વીર રાજપુત્ર પિતાની પરિણીત પતિનને પરપુરૂષને અર્પણ કરે, તે અસભવિત છે. પુત્રી ! ધે રાખ, નિશ્ચિંત રહે, હમણાંજ તેની તપાસ કરાવીએ.
રાણી પિતાના મેહેલમાં પુત્રીને રાજાની પાસે લાવી, બનેલ સર્વ વૃત્તાંત નિવેદન કર્યું. તે સાંભળી રાજા આશ્ચર્ય પામી ગયો. તત્કાળ તેણે મંત્રીને બોલાવી, શ્રીચંદ્રના ને હેલ ઉપર પહેરી રાખવા આજ્ઞા કરી.
પ્રાતઃકાળે નૃસિંહ રાજાએ ક્રોધથી સિંહવત બની, મદનપાળને પોતાની પાસે બેલાવ્યું. તેને સુંદર વેષ જોઈ, રાજા વિચારમાં પડયો. આકૃતિ ઉપરથી “ આ શ્રીચંદ્ર” નથી, એ નિશ્ચય તે થયો, તથાપિ તેને શંકા રહેવાથી પુછ્યું, રાજકુમાર ! જે તમે ખરેખરા શ્રીચંદ્ર છે, તે મુદ્રાલેખ બતાવે, અને વિવાહ વખતે જે પ્રશ્ન પુછવામાં આ વ્યા હતા, તે ફરી વાર જશું. રાજાનાં આ વચન સાંભળી, મદન પાળ ભયભીત થઈ ગયો, તે કાંઈ પણ બેભ્યો નહીં, તેનું શરીર કંપવા લાગ્યું; તે જોતાંજ રાજાને વધારે વ. હેમ પડશે. ક્ષણ વારે નિશ્ચય થતાં તત્કાળ રાજા ક્રોધથી બે –અરે કપટી ! તું કોણ છે ? આવો બનાવટી વેષ લઈ રાજમંદિર આવ્યો, તે શું વિચારીને ? તથાપિ મદનપાળ કાંઈ બોલ્યા નહીં, એટલે રાજાને વિશેષ કપ ચડયો. તત્કાળ મદનપાળની ઉપર ચાબુખના ઘા કરવા માંડયા; માર એ પંદરમું રત્ન છે. તત્કાળ મદનપાળ પિકાર કરતો બોલ્યો– સ્વામી ! ક્ષમા કરે, હું મકરધ્વજ રાજાનો પુત્ર મદનપાળ છું, તમારા રાજ્યના પાડોશ માંજ મારા પિતાનું રાજ્ય છે. શ્રીચંદ્ર મારો ઉપકાર કરવા વેષ પરાવર્ત કરી, રાજકુમારીને પરણ્યો હતો. તે ઉપકારી પુરૂષે પ્રથમથી જ મારી સાથે સંકેત કરી, આ કામ કર્યું હતું, એમ કહી પોતાનો સર્વ વૃત્તાંત પ્રથમથી નિવેદન કર્યો.
મદનપાળની વાત ઉપર રાજને જરા વિશ્વાસ આવ્યો, તત્કાળ તેણે એક રાજપુર જાણી છોડી દીધે, અને જે લગ્નમાં દાયજો વિગેરે આપવામાં આવેલ, તે બં! રાજાએ પાછું લઈ લીધું. મદન જીવ લઈ પોતાની રાજધાનીમાં ચાલતે થે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org