SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ માતાને ઉપદેશ. પચંદ્ર અને રાણી દીપવતી, કુમારી સુવતીના વિયોગથી શકાતુર છે. પ્રતાપસિંહ જેવા પ્રતાપી રાજાનું ગમન પણ રાજ દીપચંદ્રને નિરુત્સાહ કરનારું થયું છે. જે મહેલમાં. પ્રતાપસિંહ રહેતો હતો, તે મહેલને શૂન્ય થયેલે જેવાને દીપચંદ્ર અસમર્થ થયો છે. ચિરકાળના સહવાસથી દીપચંદ્ર રાજાને ઘણો આનંદ મળે છે, તે સાથે વળી રાજકુમારી સવતીનો વિયોગ તેને વિશેષ શોત્પાદક થઈ પડે છે. સવતીના સમાગમ સુખને સ વંદા સંપાદન કરનારી તેની સખીઓ, દાસીએ અને બીજો પરિવાર શોકાતુર છે. એક તરફ રાણી દીપવતીએ પોતાની પ્રિય દુહિતાને માટે અનેક પ્રકારને દાયજે તૈયાર કરાવી ગોઠવી દીધો છે, પિતાની પ્રિય પુત્રીના વિયોગથી તેના મુખચંદ્ર ઉપર શેકની મલિન છાયા પડી છે, બાલ્ય વયથી લાલન પાલન કરેલી, અને માતાનાં મધુર વાહાલમાં તથા લાડમાં રમેલી બાળા આજે પોતાની માયાળુ માતાથી વિખુટી પડે છે. ક્ષણે ક્ષણે સંભાળ લેનારી, અને પ્રેમથી સદા મગ્ન રાખનારી માતા આજે ગરીબ ગાયની જેમ પુત્રીને પરાધીનતામાં દોરાવે છે. પિતૃગૃહના વૈભવમાંથી મુક્ત કરી, તેને પતિગૃહના વૈભવમાં મુકે છે. પુત્રીનો જન્મ આવાજ કારણથી અધમ ગણે છે. તેનું સર્વ જીવન બે વિભાગમાં પૂરું થાય છે. જન્મની સાથે જ તેને જન્મભૂમિનો વિયોગ સહચારી થાય છે, તેના સંસારની રચના અન્ય સ્થળેજ આરંભાય છે. માતા પિતાના લાલન પાલનનું સુખ તેને તારૂણ્ય વયના આરંભમાંજ સમાપ્ત થાય છે. પિતગૃહમાં વૈભવ હોય, અને ૫તિ ગૃહમાં દારિક હોય, તે દુહિતા દારિકનીજ ભાગીયણ થાય છે, તેના જીવનની સમાપ્તિ પરાધીનતામાંજ પૂરી થાય છે. કુશસ્થલીનો પતિ જ્યારે તૈયાર થઈ રથ આગળ ઉભો રહ્યા, ત્યાં નયનમાં શેકાયુ ધારણ કરતો દીપચંદ્ર તેની પાસે આવ્યો. અનેક પ્રકારે પ્રીતિનાં વચન કહેવાની તેની ઈ છા હતી, પણ તે બોલી શક્યો નહીં; તેનાં નયનમાંથી અશ્રની ધારા વહેવા લાગી, કઠ રૂંધાઈ ગયો, અને પ્રેમના આવેશમાં તે પૂર્ણ રીતે દબાઈ ગયો. છેવટે તેણે ગદ્ગદ્ સ્વરે કહ્યું, મહારાજા પ્રતાપસિંહ ! તમારી કુશળતા પ્રતિક્ષણે જણાવશે, અને જે પ્રીતિ લતા તમે વાવેલી છે, તેની ઉપર સર્વદા સ્નેહ જળનું સિંચન કરો, તેને ખરું જીવન આપી નવપલ્લવિત કરજે. તમારા ઉદય સાથે સૂર્યવતીના ભાગને સૂર્ય હમેશાં ઉદિત રહી પ્રકાશમાન થયા કરજે. આટલા શબ્દો બોલતાં તેનો કંઠ વિશેષ રૂંધાઈ ગયે, અને તેની પ્રેમવાણી તેના પ્રેમસાગરમાં લીન થઈ ગઈ. તેને આ પ્રેમરૂપ પૂર્ણચંદ્રને જોઈ પ્રતાપસિંહનો પણ પ્રેમસાગર ઉછળવા લાગ્યો. તેના હૃદયમાં અતરંગ પ્રેમ પ્રગટ થવાથી તે પણ વિશેષ બોલી શકે નહીં. છેવટે તેણે એટલા જ શબ્દો કહ્યા કે, તમારી રમણીય રાજધાની છેડતાં મને અપાર ખેદ થાય છે, તમારા સત્કારથી અને તમારી પ્રીતિથી મને જે આનંદ પ્રાપ્ત થયો છે, તેનું વર્ણન કરવાને મારી પાસે પૂરતા ડબ્દો નથી, તમારી પ્રીતિનો બદલો વાળવા મારી પાસે કાંઈ પણ સાધન નથી. તે બદલ વાળશે નહિ, ત્યાં સુધી હું તમારે થાવજીવિત ઋણી છું. પ્રતાપસિંહના આ શબ્દોએ દીપચંદ્રના હૃદયને વીંધી નાંખ્યું. તેવામાં એક દાસે આવી ખબર આપી કે, મહારાજા ! રાણું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy