SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ આનંદ મંદિર. રાજા દીપચંદ્ર ખુશી થયે, અને સિંહપુરને રાજા શુભાંગ હર્ષ પામતો પ્રતાપસિંહની પાસે આવ્યો. પ્રતાપશાળી પ્રતાપસિંહને અને દીપચંદને પ્રણામ કરી, તે નમ્ર વચને બે –મહારાજ ! આપે પધારી અને વિજયદાન દીધું છે. આ વિશ્વનો મહા રિપુ પલીપતિને પરાભવ કરી, આપે અનેક આશિષ સંપાદન કરી છે, અમારા બધા પ્રદેશને આપ મહારાજાએ નિષ્ફટક કર્યો છે. આ સિંહપુર આપનું સદાને માટે આભારી છે. પછી તેણે પિતાના સંબંધી દીપચંદ્ર રાજાની પણ કેટલીએક પ્રશંસા કરી, તેના સંબંધને લઈ, પ્રતાપસિંહ જેવા એક પ્રતાપી રાજાને સંબંધ જાણી શુભગાંગને વિશેષ આનંદ થયો. પહેલીપતિની પલ્લીને ઠેકાણે પ્રતાપે પિતાની પ્રિયાના નામથી સૂપુર નામે એક નગર વસાવ્યું. શુભાંગ રાજાના આગ્રહથી સિંહપુરમાં કેટલાએક દિવસ રહી, મહારાજા પ્રતાપસિંહ તથા દીપચંદ્ર રાજા પાછા દીપશિખા નગરી તરફ જવા તૈયાર થયા. મહાન ઉપકારમાં દબાએલા શુભાંગ રાજાએ એ બંને નૃપતિઓની એકનિષ્ઠાથી અને ભક્તિથી સેવા કરી હતી. પલ્લીપતિએ જે ચોરીને માલ એકઠો કર્યો હતો, તે માલ તે તે માલ ધણીને બેલાવી પ્રતાપે સેંપી દીધો. ત્યારથી વાસંતિકા અટવી નિર્ભય થઈ, અને વ્યાપારી મુસાફરોને માટે સર્વે રસ્તાઓ ખુલ્લા થઈ ગયા. પલ્લી પતિને એક સેવક તરીકે રાખી પ્રતાપસિંહ પિતાના સસરાની સાથે પાછો દીપશિખા નગરીમાં આવ્યું. આથી પ્રતાપસિંહની વિજયકીર્તિ વિશ્વમાં વિશેષ પ્રસાર પામી હતી. પ્રકરણ ૭ મું. માતાને ઉપદેશ, E - 01 - - - ગ કે ઇe 'મ -1 - “ક છે, ગનમણિ પ્રગટ થઈ આકાશને અલંકૃત કરી રહ્યા છે, રાજા દીપચં દ્રના દરબારમાં લોકોની ઠઠ જામી છે, અનેક જાતની તૈયારીઓ થઈ રહી છે, હાથી, ઘોડા, રથ, અને દિલ સજજ થઈ ઉમા છે, અનેક જાતનાં રાજવાહને સજ્જ થઈ રાહ જુવે છે, રાજા દીપચંદ્રના મુખ Bad ઉપર ગ્લાની આવી ગઈ છે, તેના અંતઃપુરમાં શાંતિ સાથે તૈયારી થતી જાય છે. રાણી દીપવતીના મહેલમાં ઘંઘાટ છતાં શાંતિ દેખાય છે, દાસ દાસીઓનાં મુખ ઉપર શોકની છાંયા પ્રસરી રહી છે, નગરીના લોકો ઉત્સાહ વગરના થઈ ઉભા છે. ઘણા વખતથી આનંદ મંગળમાં મહાલેલી દીપશિખા નગરી આજે આનંદ મંગળની સમાપ્તિ સૂચવે છે. વાંચનારને ઉત્કંઠા થઈ હશે કે, આ બધાનું શું કારણ હશે ? બીજું કાંઈ અમંગળ કારણ નથી, મંગળ છતાં અમંગળને દેખાવ આપનારું એ કારણ છે. આજે મહારાજા પ્રતાપસિંહ સર્યવતીને સાથે લઈ પિતાની રાજધાની પ્રત્યે પ્રયાણ કરે છે, તેમના વિયેગથી આ દેખાવ થયેલ છે. રાજા - . Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy