SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ આનંદ મંદિર. દીપવતીને મહેલ પધારેા. સૂર્યવતીભા તમને મળવાની રાહ જોઇ ઉભાં છે. તે સાંભળતાંજ દીપચંદ્ર પ્રતાપસિંહની રજા લઇ દીપવતીના મેહેલ તરફ આવ્યા. પેાતાના પૂજ્ય પિતાને આવતા જોઇ સૂર્યવતીએ લજ્જાથી અભિનંદન આપ્યું. સૂર્યવતીને જોતાંજ દીપચંદ્રનાં નેત્ર અશ્રુથી ભરાઇ આવ્યાં, કંઠે ગદ્ગદ્ થઇ ગયા, પિતાનું પુત્રી વાત્સલ્ય પ્રગટ થઈ આવ્યું. ક્ષણ વાર રાજા ખાલી શક્યા નહીં. પછી મંદ સ્વરે એક્લ્યા—વસે ! તારા વિયેાગ સહન કરવાના સમય અમને પ્રાપ્ત થયા છે. જેવી રીતે તેં તારા વૃત્તથી પિતૃ કુળને પ્રકાશિત કર્યું છે, તેવી રીતે તારા શ્વસુર કુળને ઉન્નળજે. તું આર્હુત ધર્મનો ઉપાસક છું, તેથી તને વિશેષ શિક્ષાની જરૂર નથી. ક્ષત્રિય કન્યાએમાં કુળાભિમાન સ્વાભાવિક હોય છે. બેટા ! સદાચરણથી સુશોભિત થઇ સર્વદા સત્કૃત્ત ધારણ કરજે, અને જ્યારે ઇચ્છા થાય, ત્યારે તારા પિતાની રાજધાનીને અલ કૃત કરજે. તારા સાભાગ્યને સૂર્ય સર્વદા પ્રકાશિત રહેજે—આટલું કહેતાંજ દીપચંદ્ર ગળગળા થઇ ગયા. સૂર્યવતીને બેટી મસ્તક સુ ંઘી શાકમય મુદ્રા સહિત રાન્ત તે સ્થળેથી ચાલી નીકળ્યેા. તારા રાજા દીપચંદ્રના જવા પછી સણી દીપવતીએ સૂર્યવતીને વક્ષસ્થળમાં દબાવી, અને તેના મસ્તકને પ્રેમાશ્રુથી ભીંજાવી નીચે પ્રમાણે કહ્યું—પ્રિય સુતા ! તારા સિવાય આ સુંદર મહેલમાં મને ક્ષણવાર પણ ગમશે નહીં. તારા વિયોગનું દુ:ખ મને સતત પીડા કરશે, તથાપિ પુત્રીને અવતાર પરને અર્થે છે, એટલે બીજો શા ઉપાય ? સૈાભાગ્યના મહિમા પતિગૃહમાંજ વધવાને છે, તારા સર્વ જીવનને! સબંધ શ્વસુર કુળની સાથે રહેલા છે, અને તારા સ ંસારરૂપ વૃક્ષને પલ્લવિત થવાની ભૂમિ પણ તેજ છે. એટલે બીજો કાંઇ ઉપાય નથી. મારી વહાલી સુતા ! તું સર્વ ગુણુ સપન્ન છે, એટલે તને વિશેષ કહેવાની જરૂર નથી, તથાપિ એક માતા તરીકે મારી ફરજ બજાવવા ખાતર હું તને શીખામણ આપું છું. વ્હાલા ! તને હવે એક ખીન્ન રાજ્યમાં મેાકલીએ છીએ, જે રાજ્યમાં તું રાણી થઇ રહેવાની છું. રાજકુમારીની પદવી હવે સમાપ્ત થઇ છે, અને મહારાણીની પદવી તને પ્રાપ્ત થઇ છે. પુત્રી । રાજ્યને અંગે અનેક દોષ ઉદ્દભવે છે. જેવું રાજ્ય વૈભવની ખાણુરૂપ છે, તેવું તે દેષની પણખાણુરૂપ છે. સુખ સૌંપત્તિ, વૈભવ, ભાગ અને વિલાસ એ રાજ્યરૂપ વૃક્ષનાં ફળ છે, અને તે કુળ જે ઉપયેગ પૂર્વક ભાગવ્યાં હાય, તે। પાપનાં કારણુ થતાં નથી, અને ઉપયોગ વિના ભાગવ્યાં હોય તે પાપનાં કારણરૂપ થાય છે. રાજ્ય લક્ષ્મીને મદ ાંર્મક પ્રવૃત્તિને ભુલાવી દે છે. એ મદના પ્રભાવથી ધણા છત્રે નારકીના અધિકારી થયા છે. પ્રિય સુતા ! તેવા રાજ્યમાં હવે શ્રેષ્ટ પદવી સાથે તારા પ્રવેરા થાય છે. તુ ક્ષણે ક્ષણે ચેતીને ચાલજે. પ્રભાતકાળે પતિની પહેલાં જાગી નવકાર મંત્રનું સ્મરણ કરજે, જિન પ્રતિમાની પૂજા કર્યા વગર કદિ પણ બાજન કરીશ નહીં, શ્રાવક ધર્મના સદાચારનુ સેવન કરજે, જે જે આશાતનાઓ છે, તેઓને દૂર કરજે, વિધિથી ધર્મની આરાધના કરજે, ગુણી કે વડીલ વર્ગના વિનય કરજે. મારી પ્રિય પુત્રી ! સર્વદા ત્રિવિધ શાળની યતના કરજે, શીળ એ સુંદરીઓના દિવ્ય અા કાર છે. તારા ભતારની ભક્તિ કરજે, શુદ્ધ હૃદયથી પતિની સેવા કરનારી શ્રાવિકા સતી પદની અધિકારી થાય છે. વૃદ્ધ જનનાં વચનને અંગીકાર કરજે, સર્વદા જૈન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy