SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ આનંદ મંદિર. અર્પણ કર્યો. વાજિશના નાદ સાથે વિવાહવિધિ સમાપ્ત કરવામાં આા. તે પછી અભિનવ દંપતીને વરઘોડા ચડયા. માર્ગમાં ઈંદ્ર ઈંદ્રાણી, કામ રતિ, કૃષ્ણુ લક્ષ્મી, ચંદ્ર રાહિણી, શિવ પાર્વતિ અને સૂર્ય રાનાદેનાં સાભાગ્ય લેકા તરથી કહેવામાં આવ્યાં. શ્રીદ્ર રાજરમણીને લઇ મદનપાળના મહેલમાં આવ્યા. મહેલને પ્રકાશમાન રૂશનાથી પ્રકાશિત કરવામાં આવ્યા હતા, રતિમદિરની શૈાભા અદ્ભુત કરવામાં આવી હતી, ચારે તરફ મનહર વિલાસનાં અને શ્રૃંગારનાં સુશોભિત ચિત્રા મુકેલાં હતાં. મનગમતા વિદ્વાન અને વિલાસી પતિની સાથે રતિસુખની ઉંમદી ઇચ્છા કરતી પ્રિય ગુમ જરી પલીંગ ઉપર આવી. સમાન વયની સખીએ અને દાસીએ સાથે મુકવા આવી. શયન મંડપમાં જતાં સખીએ અને દાસીએ બહાર ઉભી રહી. રાજબાળા મુખવજ્ર ઉધાડુ કરી રમણની સામે વિનયથી ઉભી રહી, તે વખતે શ્રીદ્રે કહ્યું, રાજકુમારી ! આજ્ઞા આપે, મારે શરીર ચિંતાએ જવું છે, પાછો હું સત્વર આવું છું. ચતુર પ્રિયા લજ્જાથી હા ના કહી શકી નહીં. શ્રીચંદ્ર મહેલની નીચે ઉતર્યા; ત્યાં મદનપાળ આકુળ વ્યાકુળ થઇ ઉભા હતા. શ્રીચંદ્રે કહ્યું, મિત્ર ! હવે કાર્ય સિદ્ધ કર્યું છે, હું ચાલ્યેા જાઉં છું, એમ કહી જે રાજા તરફથી ભેટ મળી હતી, તે તેને સેાંપી, સાસરાએ નાખેલી મુદ્રિકા પેાતાની આંગળીમાંથી કાઢી આપી. પેાતાને નવરચિત વેષ મદનને પહેરાવ્યો, પોતે કાપડીના વેષ ધારણ કર્યો. શ્રીચંદ્ર જવા તૈયાર થયા, એટલે મદનપાળ એલ્સેા, મિત્ર ! તારા જેવા ઉપકારી મિત્ર થેાડા હશે, મારે માટે તેં બહુ કર્યું છે, એક વિદેશી થઇ મારા જેવા અપરિચિત મિત્રને તે જે સહાય આપી છે, તે ખીજાથી આપી શકાય તેમ નથી. મિત્ર ધર્મને ખરેખરા નમુને તારામાંજ છે. મિત્ર કેવા જોઇએ ? મૈત્રી ધર્મમાં શું રહસ્ય છે ? મિત્રનું કર્તવ્ય શું છે ? એ બધા પાઠ તનેજ વિદિત છે. ઉપકારી વીર ! જગતમાં તારા જેવા પરોપકારી, દયાળુ અને પરદુઃખભંજન વિરલા હશે, મિત્રતાની ઉજ્વળ કાર્ત્તિ, મિત્રતાની પરમ પવિત્રતા તમારા અંતરગમાં રજુરી રહેલી છે. પ્રિય બાંધવ ! તમારે હું પૂર્ણ આભારી છું, યાવવિત તમારી દાસતિત્ત કરવા તૈયાર છું. કહા મિત્ર ! હવે પાછા ક્યારે મળશે ? આ સદાના તમારા રૂણી મિત્રને કિંચિત્ પ્રત્યુપકારરૂપ સેવાના લાભ કયારે આપશે। ? આટલું કહી મદનપાળ શ્રીચંદ્રના ચરણમાં નમી પડયા. શ્રીચંદ્ર તેને કરવડે · ખેડા કરી પ્રેમાલિંગન આપી, ત્યાંથી સત્વર વિદાય થયા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy