________________
૨૧૦
આનંદ મંદિર. જે પરસ્ત્રીમાં પ્રીતિ કરે નહિ, પિતાની સ્ત્રીમાંજ પ્રીતિ કરે, અને સ્ત્રીને ખુશ રાખે, તે અનુકૂળ નાયક કહેવાય છે; તે સર્વદા શુભ લક્ષણવાળો હોય છે. જેના ચિત્તમાં પરસ્ત્રી રમી રહી હોય, પણ તેવા વિકારો દેખાવ કરે નહીં, અને કુળાચારને ચુકે નહીં, તે દક્ષિણ નાયક કહેવાય છે. મુખે પ્રિય બોલે, પણ પ્રિય કરે નહીં, અને કેપ રાખ્યા કરે, તે શઠ નાયક કહેવાય છે; એવા નાયકને પ્રચાર ઘણે હોય છે. જે પિતાના અપરાધ જાણે નહીં, અને અપમાન કરે, તો પણ અજ્ઞાનથી કામ કરે, તે ધષ્ટ નાયક કહેવાય છે. એ સિવાય વર્ણભેદથી તેઓના ચાર ચાર ભેદ થતાં એકંદર સોળ ભેદ થાય છે.
નાયકના ભેદ યથાર્થ સાંભળી પ્રસન્ન થયેલી પ્રિયંગુમંજરીએ પુનઃ પ્રશ્ન કર્યો– સ્વામી ! રસ કેટલા ?
- શ્રીચંદ્ર બોલ્ય-રસ નવ. શૃંગાર, હારય, વીર, કરણ, અદૂભૂત, ભા–રૌદ્ર, બીભત્સ અને શાંત. તે પ્રત્યેકના સ્થાપીભાવ, સંચારીભાવ, સાત્વિકભાવ વિગેરે પ્રકાર છે. શૃંગારરસ સ્ત્રી પુરૂષના રાગથી ઉત્પન્ન થાય છે. તે સંગ શૃંગાર અને વિગ શૃંગાર એવા બે પ્રકાર છે; તેના પણ પ્રચ્છન્ન, અપ્રચ્છન્ન વિગેરે ઘણા પ્રકાર થાય છે. હાસ્યરસ સહજ અને નિમિત્ત હાસ્ય, એમ બે પ્રકારે થાય છે. વીરરસના દાનવીર, ધર્મવીર અને યુદ્ધવીર એવા ત્રણ પ્રકાર છે. કરૂણરસના ભેદ મૂંગારની જેમ થઈ શંક છે. રૌદ્ર અને બીભસરસ શરીરના આવેશ તથા ચેષ્ટા ઉપરથી જણાય છે. રૌદ્રરસ ભયંકર દેખાવથી ઉત્પન્ન થાય છે, બીભત્સની ઉત્પત્તિ ગંદાઈમાંથી થાય છે. પૂર્વના સર્વ રસની પુછતા જેના ગુણથી થાય, તે શાંતરસ; ને સર્વથી વિશેષ પોષણ કરવાને યોગ્ય છે, તેને માટે અર્વતની વાણીમાં ઘણું વર્ણન કરેલું છે.
सम्यग्ज्ञान समुत्थानः शांता निःस्पृह नायकः । रागद्वेषपरित्यागाच्छांतो रस उदाहतः ॥१॥
સમ્યગ જ્ઞાનથી ઉત્પન્ન થયેલો અને નિસ્પૃહ નાયક શાંત કહેવાય, અને રાગ, દેષના ત્યાગથી શાંત રસ કહેલો છે.
- રસનું સંક્ષેપમાં વર્ણન સાંભળી પ્રિયંગુમંજરી પ્રસન્ન થઈ, તત્કાળ તે હૃદયથી તેજ પતિને વરી. પ્રેમથી સંબોધન આપી બોલી–પ્રાણનાથ ! પુરૂષની બોતેર કળાનાં નામ કહે.
શ્રીચંદ્ર બો–૧ લેખન, ૨ ગણિત, ૩ ચિત્ર, ૪ ગીત, ૫ નૃત્ય, ૬ વાઘ, ૭ સાત સ્વરનું જ્ઞાન, ૮ મૃદંગાદિવાઘ, ૯ તાલમાન, ૧૦ જુગાર, ૧૧ પાસા, ૧૨ શેગંજ–બાજી, ૧૩ જનવાદ, ૧૪ દક્ષતા, ૧૫ મિટ્ટીનું જ્ઞાન, ૧૬ અશન, ૧૭ પાન, ૧૮ વસ્ત્ર, ૧૯ વિલેપન, ૨૦ શયન વિધિ, ર૧ આથી, રર પ્રહેલિકા, ૨૩ માગધકા, ૨૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org