SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ આનંદ મંદિર, ઉપર તે ચિન્હ હોય, તે પુત્રને જ પ્રસવ કરનારી, અને દારિદ્રને ધનારી થાય છે, સ્ત્રીને અલ્પ પસિન, અપ રૂવાંટા, અલ્પ નિદ્રા, અ૫ ભોજન, અલ્પ હાસ્ય અને અંગ ઉપર રૂવાંટા ન હોય, તે સ્ત્રી ઉત્તમ ગણાય છે. સ્તન ભરેલાં, સાથળ હાથીની સૂંઢ જેવા, એની પીપળાના પાન જેવી, નિતંબ અને લલાટ વિશાળ, નાભિ ગૂઢ અને ઉંડી હેય, શીત અને ઉષ્ણ ઋતુમાં આલિંગન સુખ સરખું હેય, રૂવાંટા ન હોય, તે નિર્ધન કુળમાં હેય, તોપણુ રાજાના જેવું સુખ ભોગવે છે. જે સ્ત્રીના અંધા, સ્તન, મુખ અને હેઠ ઉપર રૂવાંટી હેય, નાભિ તથા લલાટ ભમરાળાં હોય, તે સ્ત્રી સત્વર વિધવા થાય છે. જે સ્ત્રીની જંધા ઘણી જાડી હોય, અને પગ ચપટા હોય, તે સ્ત્રી દાસી, દરિદ્રી, દુઃખી, મૃતપ્રજા કે વંધ્યા થાય છે. જેને પૃષ્ટ ભાગે આવર્ત ( ઘુમરી) હેય, તે પતિને મારનારી થાય છે, હદયમાં આવર્ત હોય, તે પતિભતા થાય છે, કટ ઉપર આવર્ત હોય, તે સ્વચ્છંદ–વ્યભિચારિણી થાય છે. એ સ્ત્રીઓની ત્રણ ગતિ કહેલી છે. જે સ્ત્રીને લલાટ, ઉદર અને યોનિ એ ત્રણ લાંબાં હોય, તે સ્ત્રી સાસરાને, દીયરને કે વરને હણનારી, અને પુત્ર સુખથી રહિત થાય છે. જે સ્ત્રીની જીભ કાળી હોય, નેત્ર પીળાં હેય, હઠ લાંબા હોય, સ્વર ઘોઘરો હોય, અને અંગે અતિ કાળી કે અતિ ગોરી હોય તે સ્ત્રી વર્જવા યોગ્ય છે. જે સ્ત્રીને હાસ્ય કરતાં ગાલ ઉપર ખાડા પડે, તે સ્ત્રી પતિ ઘેર રહેતી નથી. સ્વેચ્છાચારી થઈ કુળ લજજા ગુમાવતી ફરે છે. જેના અંગુઠા પગથી વધતા હોય, તે સ્ત્રી પણ પિતાના ઘરમાં રહેતી નથી, અને જેના પગના અંગુઠા મધ્ય ભાગે ઉંચા હેય, તે કામ વિના રહી શકતી નથી. જેના ચરણના ભાગ પૃથ્વીને અડે નહીં, અને પાની ઉપડતી હેય, તેમજ અનામિકા આંગળી પણ પૃથ્વીને સ્પર્શ નહીં, તે જારને ઘેર રહેનારી થાય છે. જેના પગની ટચલી આંગળી ભૂમિને અડતી ન હોય, તે પણ જાર સ્ત્રી હોય છે. જેણીના કેશ કપલવણું હોય, તે દરિદ્રી અને દાસી થાય છે. જેના હાથ અને પગ સરખા હેય, અને જંઘા પણ તેવી હોય, તે ગૃહમાં રહેનારી થાય છે. જેને સ્વર કાગડાના જે હોય, જંઘા પણ કાગડાના જેવી હોય, દાંત લાંબા હેય, અને પૃષ્ટ ભાગે રૂવાંટી * હોય, તે પરણ્યા પછી દશ માસે પતિને હણનારી થાય છે, તે વિષ કન્યા ગણાય છે. જેના આંગળાંમાં છિદ્ર પડતાં હોય, આંગળીઓ વિષમ હોય, અને નાસિકા ચીપટી હોય, તે શ્રી વૈર વધારનારી અને પતિને અણગમતી થાય છે. જે ધમધમાટ કરતી ચાલતી હોય, તે પણ વૈર વધારનારી થાય છે. જે સ્ત્રી અતિ લાંબી, અતિ ટુંકી, અતિ દુબળી, અતિ કાળી, અને અતિ ગોરી હોય, તે સ્ત્રી વાદિલી અને કલહ કરનારી થાય છે. જે સ્ત્રી બીજાના ઘરની પ્રશંસા કરે, બીજાને અનુકૂળ રહે, અસ્થિર આસને બેસે, અને સામો ઉત્તર આપે, તે સ્ત્રી વંશને પ્રતિકૂળ સમજવી. જે પતિની સામે આક્રોશ કરે, જે પગ પહોળા કરી બેસે, મુખ વાંકું રાખે, અને ડોળા પીળા હોય, તેવી સ્ત્રી પુત્રવતી હોય, તે પણ ત્યાગ કરવા યોગ્ય છે. તે શુભ અને અશુભા સ્ત્રી ઓળખવા માટે નીચેનાં બે સંસ્કૃત કાવ્ય સર્વદા મનન કરવા એગ્ય છે– Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy