SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૩ વેષ પરાવર્ત. પ્રકરણ ૪૬ મું. વેષ પરાવર્ત.. - ses છે ; તિનગરમાં આજે ધામધુમ થઈ રહી છે, દરબારગઢ ધ્વજા પતાકાથી શણગારવામાં આવ્યો છે, મંગળ રણની માળા ચારે તરફ લટકાવી છે, માનિનીના મુખમાંથી માંગલ્ય ગીત ગવાય છે, વિવિધ જાતનાં વા જિત્રોના નાદ થઈ રહ્યા છે. શહેરના લેકે નવરંગિત આભૂષણ ધારણ કરી, મંડપની રચના જેવાને આવજાવ કરે છે, રાજ્યના અધિકારીઓ અને સામંતો સુંદર પોશાક પહેરી રાજભુવનમાં ગમનાગમન કરી રહ્યા છે. કુમાર મદનપાળના મહેલને પણ સારી રીતે શણગારવામાં આવ્યું છે, તેનાં દ્વાર આગળ મધુર વાજિ 2 વાગી રહ્યાં છે, નવનવા પોષાક પહેરી મદનપાળને સેવક વર્ગ તૈયાર થઈ રહ્યા છે, રાજકુમાર વિવાહનો પોશાક પહેરી ગેખ ઉપર સજજ થઇ બેઠો છે, પિતાના ઉપકારી મિત્ર શ્રી ચંદ્રની સાથે નવનવા મરથ ભરેલી પ્રિયંગુમંજરીની વાર્તા કરે છે. આ વખતે બે સુંદરીઓ ગેખ નીચે પાણીના બેડાં લઈ જતી હતી, તેઓએ સુંદર પિશાક પહેર્યો હતો, નવીન તારૂણ્યના નવરંગથી તે રંગિત હતી. તેમાંથી એક સ્ત્રી બેલી–પ્રિય બેન ! આજે રાજકુમારી પ્રિયંગુમંજરીના લગ્નમાં શું થવાનું છે? તેની વાત તે કર. તે બોલી–બેન ! તને પણ તેની ખબર હશે. ના બેન ! મારા જાણવામાં બીલકુલ નથી. આજે રાજકુમારીના લગ્નનો દિવસ છે, એટલું જ હું જાણું છું, પણ લગ્નમાં શું થવાનું છે, તેની મને બીલકુલ ખબર નથી. તે બેલી–સખી ! મારા ઘરની નજીક રાજકુમારીની ખાસ દાસી રહે છે, તેના મુખથી મારા સાંભળવામાં આવ્યું છે કે, આજે શ્રીચંદ્રકુમારની સાથે પ્રિયંગુમંજરીનાં લગ્ન થશે, પાણિગ્રહણ વખતે રાજકુમારી પદ્મિણી વિગેરે સ્ત્રીઓનાં અને પુરૂષનાં લક્ષણે પુછશે, તે સાથે ચેસઠ કળી સ્ત્રીની અને બેતિર કળા પુરૂષની પુછવામાં આવશે. આપણું રાજકુમારી અને શ્રીચંદ્ર એક ગુરૂનાં શિષ્યો છે. સર્વ પ્રકારની પરીક્ષા કર્યા પછી રાજકુમારીનું પાણીગ્રહણ થશે. આ શિવાય બીજી કેટલીએક વાર્તા કરતી તે બે સ્ત્રીઓ આગળ ચાલી ગઈ. કુમાર મદનપાળ તે સ્ત્રીઓની વાત સાંભળી ચિંતામાં પડ્યો. તેણે નિઃશ્વાસ મુકી શ્રીચંદ્રને કહ્યું, મિત્ર ! મારા ભાગ્યમાં આ રાજકન્યાને ગજ નથી, સ્ત્રી અને પુરૂષનાં લક્ષણે ચેસઠ તથા બેતેરે કળાઓની મને બીલકુલ ખબર નથી; હું તે ચતુરાને શી રીતે ઉત્તર આપીશ ? મિત્ર ! લગ્નમંડપમાં મારું ઉપહાસ્ય થશે, હવે શું કરવું? મારા હૃદયમાં ઘણજ પશ્ચાતાપ થાય છે; રાજકુમારને જે જે વિદ્યાઓ અને કળાઓ શીખવી જોઈએ, તે હું પૂર્ણ રીતે શીખ્યો નથી. મેં પિતાને, માતાને અને ગુરૂનો ઉપદેશ મા નહીં. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy