SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદ મંદિર. धन उपाय करि मेलिए, धनथी होये सवि काम, अवगुण पण गुण करिलिये, जगमा मोहन दाम. ॥ १॥ कुरूप रूप निर्गुण गुणी, सघळा वांछित थाय, लोकतणो व्यवहार छे, प्राये एम कहाय. ॥२॥ મિત્ર મદનપાળ ! તમે કાંતિનગરમાં જઇ નિવાસ કરો. રાજકુમારને સુંદર વેલ ધારણ કરી, ગુપ્ત રીતે રહેજો. હું તમારી સાથે સેવક થઈને રહીશ. કોઈ કોઈ લેક પાસે “ શ્રીચંદ્રકુમાર છું " એમ ગુપ્ત રીતે વાત ચલાવજો. જે કોઈ યાચક આવે, તેને અને ગણિત દાન આપજે, ગૃહ વૈભવનો દબદબો રાખજે, એમ કરવાથી અનુક્રમે નૃસિંહ રાજ એવું જાણશે કે, શ્રીચંદ્ર ગુપ્ત રીતે અહીં આવી રહેલો છે; તેમ કરતાં જે તમારાં ભાગ્ય હશે, તે તમે પ્રિયંગુમંજરીને મેળવી શકશે. શ્રીચંદ્ર આવી યુક્તિ બતાવી, તેથી મદનપાળ ખુશી થશે. તત્કાળ તે શ્રીચંદ્રની સાથે કાંતિનગરમાં આવ્યા. મદનપાળની પાસે ઘણું દ્રવ્ય અને ઝવેરાત હતું, તેમાંથી તેણે એક સાત માળની હવેલી ખરીદ કરી. શહેરના ગુણીજનેને બેલાવી, નિત્ય ગોષ્ટી કરવા લાગે. તેઓને મોટાં મોટાં ઇનામો આપી, સત્કાર કરવા લાગે. અસંખ્ય યાચકોને વાંછિત દાન આપી, સંતુષ્ટ કરવા લાગે. શહેરમાં પ્રત્યેક સ્થાને તેના ગુણના પ્રવાહ છુટવા માંધ્યા. લકે શ્રીચંદ્રનું. યશગાન અતિ આનંદથી કરવા લાગ્યા. આ વૃત્તાંત રાજા નૃસિં. હના જાણવામાં આવ્યા. પિતાના રાજ્યમાં શ્રી ચંદ્રકુમાર આવી ગુપ્ત રીતે રહેલો છે, એમ જાણી રાજ અતિ ખુશી થયો. પોતે ધારેલી ધારણું અનાયાસે સફળ થઈ, તેથી તે પતાને ચરિતાર્થ માનવા લાગ્યો. તેણે પિતાના મંત્રી અને સામંત વર્ગને સૂચના કરી કે, શ્રી ચંદ્રકુમારની સાથે પ્રીતિ કરી, રાજકુમારીને સંબંધ જોડી દ્યો. રાજાની ઇચ્છાથી મંત્રીઓ અને સામંત મદનપાળને ઉતારે જવા લાગ્યા. અલ્પ સમયમાં મદનપાળની સાથે તેઓની પ્રીતિ થઈ. બધા કાંતિપુરમાં શ્રીચંદ્રની કીર્તિ ચંદ્રવત પ્રકાશવા લાગી. શ્રીચંદ્રના મેહેલ આગળ રાજમંત્રીઓ અને સામે તેની ગાડીઓની શ્રેણી સર્વદા ઉભી રહેવા લાગી. કાંતિપુરના ધનાઢય વ્યાપારીઓ અને ગુણી જનોનાં છંદ ઉપરાઉપર ત્યાં આવવા લાગ્યાં. શ્રીચંદ્ર સેવક થઈ મદનપાળને ચાતુર્ય ભરેલી શિક્ષા આપતે હતે. મદનપાળ તે પ્રમાણે પ્રવૃત્તિ કરતા હતા. તેની ઉદારતાથી, વિનયથી, અને પ્રેમથી કાંતિપુરના લેકનાં મન અતિ રંજિત થયાં હતાં. ઘેર ઘેર તેનીજ પ્રશંસા અને તેની ચર્ચા થતી હતી. * મદનપાળ એ શ્રીચંદ્ર છે ” એમ લેકેને પૂર્ણ ખાત્રી થઈ ગઈ હતી. જ્યારે મદનપાળ ગાડીમાં બેસી ફરવા નીકળતે, તે વખતે લોકોના ટોળેટોળાં તેને જોવાનું એકત્ર થતાં હતાં. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy