SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષ મંદિર. ૨૦૧ विषकी कदली बे, भूमिविना जगमाहि, વિર વાઘા રે, રાધિ પર નિરિ. ( . ) निर्नामे कोइ अपरमहाग्रह, विष नामांतर निपायु; फणि विणु सापिणी पापिणी जाणे, जस मन तरूणी लायु; द्वादशमो छायासुत बेठो, जसमनपर तरूणी इहा, गति मति छति सवि होइ हीणी, होइ वली दुर्बल देहा ॥ ४ ॥ इम मन जाणी वे, चंचलता निवारी, કૃતિ પતિ ઘરિ રે, શિક્ષા વિધારી. ( . ) धारी जे शिक्षा थइ दक्षा, लख्या लेख न छुटी जे, तुं कुमर भूभाला मदनपाला, सत्व थकी नवि त्रुटी जे । ज्ञानविमल मति शुं चित्त धरजे, शीख हमारी अति सारी, जम इहभवे परभवे होय सुखकारी, सहेजथकी मुणो नर ના છે છે. મિત્ર મદનપાળ ! ઉપરની કવિતાના અર્થનું મનન કરો. સ્ત્રી મોહ સ્વરૂપ છે, તેની સાથે યારી કરવી ન જોઈએ. તેમાં પરસ્ત્રીની સાથે તે કદિ પણ પ્રીતિ કરવી નહીં. એ સ્ત્રી, વિષ ફળની જેમ મુખે મધુરી લાગે છે, પણ પરિણામે તે દુઃખની વલ્લી થઈ પડે છે એ પરસ્ત્રી દશમો ગ્રહ છે, બીજા નામનું વિષ છે, અને ફણ વગરની સર્પિણ છે, જેનું મન પરસ્ત્રીમાં આસક્ત છે, તેને બારમો રાહુ બેઠો સમજ. સ્ત્રીના પ્રસંગથી ગતિ, મતિ, અને મનોબળ હીણ થઈ જાય છે, શરીર દુર્બળ થઈ જાય છે. રાજપુત્ર ! વૈર્ય રાખો, ગુરૂની શિક્ષા હૃદયમાં ધારણ કરે; તમે રાજાના પુત્ર છે, તમારે સત્વથી ભ્રષ્ટ થવું ન જોઈએ. હિતશિક્ષા અને ધાર્મિક સાવ રાખવાથી આ ભવ અને પરભવમાં સુખ પ્રાપ્ત થાય છે. મિત્ર ! આ શિક્ષાનો પ્રતિબોધ ધ્યાનમાં રાખવા યોગ્ય છે. તે છતાં તમારા હદચમાં જે મોહની સત્તા ઓછી થાય તેમ ન હોય, તો હવે કોઈ યુક્તિ કરી, તે રાજબાળાને સંપાદન કરો. યુકિત કર્યા વિના આ કાર્ય સિદ્ધ થશે નહીં. પ્રથમ તે દ્રવ્ય વાપરવાની ઉદારતા રાખવી પડશે, અસાધ્યમાં અસાધ્ય કાર્ય પણ દ્રવ્યથી સાધ્ય થઈ શકે છે. દ્રવ્યને માટે નીચેની કહેવત છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy