SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષ મંદિર, પુછેલી સમસ્યા ખરેખરી ચાતુર્યની પરીક્ષક છે, સમશ્યા ઉપરથી સમજાય છે કે, મારા વિદ્યાગુરૂ શ્રી ગુણધરની તે શિષ્યા હશે. શ્રી ગુણધર આ દેશમાં આવેલા હતા, એમ મેં પૂર્વ સાંભળ્યું હતું, આવું વિચારી રાજપુત્ર બેલ્યો–ભાઈ મદનપાળ ! ચિંતા કરશો નહીં, હું મારાથી બનશે તેટલી તમને સહાય કરીશ. રાજકુમારીએ પુછેલી સમસ્યા ગૂઢાર્થ છે. પુષ્પની છાબમાંથી રાતું પુષ્પ લઈ કાને અને નેત્રે અડાડી નીચે મુક્યું, એથી એ ચતુર બાળાએ સૂચવ્યું કે, તમે આ રાતાં પુષ્પની જેમ મારી ઉપર રકત છે, પણ તમે કેવા છે ? તે મેં કાને સાંભળ્યા નથી, અને નજરે જોયા પણ નથી. બીજું એ પાંખડીવાળું કમળ લઇ કાને અડાડી હૃદય ઉ ર નાખ્યું, તેથી એમ સૂચવ્યું કે, કુશસ્થલીને શ્રી ચંદ્રકુમાર મારીપર રકત નથી, પણ મેં તેમના ગુણ કાને સાંભળ્યા છે, તેથી મેં તેને હૃદયમાં રાખ્યો છે. સર્વદા તે રંગી શ્રીચંદ્ર મારા હૃદયમાં વસ્યો છે. શ્રીચંદ્રનાં આવાં વચન સાંભળી મદનપાળ ચકિત થઈ ગયો. અહા ! કેવું ચાતુર્ય ! કેવી વિદ્વતા ? કે વાગવિલાસ ! આવું પાડિય છતાં તેના મુખ ઉપર જરા પણ ગર્વ નથી. પ્રત્યેક અંગ ઉપર વિજ્યની છયા કેવી પ્રસરી છે ? વચનમાં કેવું માધુર્ય છે ? આટલું ચિતવી મદનપાળ શ્રી ચંદ્રને નમી પડ્યો. ઉપકારી બધુ! તમારી બુદ્ધિની શું પ્રશંસા કરું ? આ દુ:ખી જન તમારી સહાયથી સુખી થશે, કોઈ પણ ઉપાય કરી એ ચતુરાની સાથે મારે યોગ કરી દે, મારા પરિતપ્ત હૃદયને શાંતિ આપો, મારા કાર્યની સિદ્ધિ તમારાથી જ થવાની છે. મારા જીવનની સાર્થકતા તમારે સ્વાધીન છે. મિત્રવર્ય ! દુઃખસાગરમાં પડતા એવા મારા હસ્તને અવલંબન આપે. આ પ્રમાણે બંને વાત કરતા હતા, ત્યાં વાટિકામાંથી શંખને નાદ સાંભળવામાં આવ્યો. તરત મદન બોલ્યા–મીત્ર ! સાંભળો, આ શંખને નાદ થાય છે; રાજકુમારી પ્રિયંગુમંજરી પિતાના પરિવાર સાથે ઉદ્યાનમાં આવે છે. મૃદંગ, વિષ્ણુ, શંખ, કાંસી, અને કડતાળ વાગી રહ્યાં છે, અસંખ્ય યોદ્ધાઓ તેની સાથે પરિવૃત્ત થઈ ચાલ્યા આવે છે, જુઓ પેલી સખીઓ અહીં આવે છે. ચાલો, આપણે એક ખુણામાં ભરાઇ બેસીએ. શ્રીચંદ્રને લઈ મદનપાળ યક્ષ મંદિરના એક ખુણામાં ભરાઈ રહ્યા. પેલી સખીઓ યક્ષ મંદિરમાં આવી દાખલ થઇ, તેવામાં રૂદનને મહા ધ્વનિ સાંભળવામાં આવ્યું. મંદિરમાં આવેલી સખીઓ ચમકી ગઈ. દ્વાર બાહર નીકળી, ત્યાં એક દાસી દોડતી આવી. સખીઓએ સંભ્રમથી પુછ્યું–બેન ! આ શું થયું ? રાજકમારી કુશળ તે છે ? તે બોલી બેન ! એક ચિત્તે સાંભળ. આપણુ મહારાજાએ જે યોગિનીને કુશસ્થળી મોકલી હતી, તે નિષ્ફળ થઈ પાછી આવી છે. કુશસ્થળીમાં શ્રીચંદ્રકુમારના નિવાસને પત્તા મળે, પણ તે જોવામાં આવ્યો નહીં. રાજકુમારી તેને શેઠને પુત્ર ધારી વરી હતી, પણ તે રાજપુત્ર નીકળ્યો છે. તેનાં માતા પિતાએ તેને ઓળખી લીધો છે. આ ખબર યોગિની પાસેથી સાંભળતાંજ રાજકુમારી પ્રિયંગુમંજરી મૂછ ખાઈ નીચે પડી ગઈ, તે જોઈ સખીઓ આક્રંદ કરી રૂદન કરે છે. ચાલે, આપણે ત્યાં જઈ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy