________________
૧૯૮
આનંદ મંદિર, મારી વતી નિવેદન કર કે, હેમપુરીના રાજા મકરધ્વજનો મદનપાળ નામે કુમાર છે, તે ચિત્રપટ ઉપર તમારું અનુપમ સૌંદર્ય જોઈ, મેહ પામી ગયું છે. તમારા ગુણ અને રૂપથી આકર્ષાઈ, તે યક્ષમંદિરમાં આવી રહ્યા છે; તે તમારા રાગી તરૂણને તમે પ્રેમને પાત્ર કરી કૃતાર્થ કરો, તે ઉપરાંત તને જે યોગ્ય લાગે, તેમ બીજાં મિષ્ટ વચન ઉચરજે. હું તારા ઉપકારનો બદલે સારી રીતે વાળીશ. મારા વચનથી તે નિમકહલાલ માલણે રાજકુમારીને મારો સંદેશો કહ્યા, તે ઉપરાંત તેણુએ મારા ગુણનું યથાર્થ અને અતિશયોક્તિ ભરેલું વર્ણન કર્યું. પછી ચતુર કુમારીએ પુષ્પની છાબમાંથી એક રાતું પુષ્પ લીધું, તેને કાન ઉપર ચડાવી દૂર કર્યું, પછી બીજું સો પાંખડીવાળું કુંકુમવણું પુષ્પ લઈ નેત્ર પાસે રાખી હૃદય ઉપર મુક્યું. આ પ્રમાણે સમશ્યા કરી રાજકુમારીએ માલણને કહ્યું, બેન ! તે કુમારને કહેજે કે, આ પુષ્પની સમસ્યાને ઉત્તર આપે. તે પ્રત્યુત્તર લાવ્યા પછી હું તેમની ચાતુરી જાણી લઈશ. પ્રિય મિત્ર ! આજે માલણે આવી મને તે સમસ્યાની વાત કહી; હું તેમાં જરા પણ સમજ નથી. ઘણું વાર સુધી તેને વિચાર કર્યો, પણ મારી મનોવૃત્તિમાં તે આવી નહીં. છેવટે નિશ્વાસ મુકી, નિરાશ થઈ અન્નજળને ત્યાગ કરી અહીં બેઠે છું.
- ભદ્ર ! તે રાજકુમારી હમેશાં અહીં આવે છે, પણ મારા જોવામાં આવતી નથી. તેણીની સાથે અંગરક્ષક પુરૂષ આવી પ્રથમથી કઈ પુરૂષને અહીં રહેવા દેતા નથી, તેથી હું છુપી રીતે અહીં બેસી રહું છું. હાલા મિત્ર! તમારું હૃદય પ્રેમાળ છે, તમે પરદુઃખ ભંજન દેખાઓ છો, આ દુઃખી જનને કોઈપણ સહાય કરવા કૃપા કરો. તમે વિદેશી છો, છતાં તમારા હૃદયમાં સર્વને સ્વદેશી સમજે છે, તમારા અંતરંગમાં “વસુધેર ટું એ મહાવાક્ય રમી રહેલું છે, પરોપકાર કરવામાં તમારી પ્રવૃત્તિ જાગ્રત છે. મિત્ર ! તમે ઉપકાર ધર્મની મહત્તા જાણે છે. આ પ્રમાણે કહી મદનપાળ નીચેના દેહા બોલે.
રો. आरिसा परे संक्रमे, परदुःखहृदये जेह । विरला परदुःख देखीने, ते सज्जन गुणगेह ॥१॥
જેના હૃદયમાં દર્પણની જેમ બીજનું દુઃખ પ્રતિબિંબિત થાય, તેવા સજજન પુરૂષ વિરલા હેય છે.
મદનપાળની સ્થીતિ જોઈ શ્રીચંદ્રને દયા આવી. તેના હૃદયમાં થયું કે, અહા ! શ્રી મોહ કે પ્રબળ છે? સ્ત્રીઓના મેહજાળમાં આ દીન કુમાર ફસાઈ પડે છે, મારે { યથાશક્તિ સહાય કરી, આ દુઃખી પુરૂષને ઉદ્ધાર કરવો જોઈએ. મૃગાક્ષીઓના મેહપાસમાં
બંધાએલા યુવાનની કેવી અધમ સ્થિતી થાય છે ? આ મહી મદનપાળને રાજ્યવૈભવ, રાજબેગ, અને લક્ષ્મીવિલાસ અત્યારે વિષમય થઈ ગયાં છે. રાજકુમારી પ્રિયંગુમંજરીએ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org