SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષ મંદિર. ૧૯૭ જોયો. તે પુરૂષો મુખ ઉપર ગ્લાનિ, શોક અને ચિંતા ભરપૂર દેખાતાં હતાં, તે તેજસ્વી છતાં ચિંતારૂપ અંગ્ન જવાળાથી દગ્ધ થઈ, નિસ્તેજ થઈ ગયો હતો. તે પુરૂષને જોઈ કીચંદ્ર ઉભો રહ્યા, તેના હૃદયમાં તેને માટે દયા ઉત્પન્ન થઈ. તે બો –ભદ્ર ! તમે કોણ છે? તમારી આકૃતિ પૂણે ચિંતા સૂયવી આપે છે. આ મંદિરમાં આવી કેમ બેઠા છે? યક્ષની આરાધના કરી છે, કે ગુપ્ત રહેવા આવ્યા છે? જે કાંઈ પણ બાધ ન હોય, તે તમારું વૃત્તાંત મને જણાવશે. તે પુરૂષ શ્રી ચંદ્રને જોઈ પ્રસન્ન થયો. “ આ કઈ કુલીન પુરૂષ છે,” એમ તેને નિશ્ચય થયો. પિતાના દુઃખના ભાગીદાર થાય, તેવા આ સુશીલ પુરૂષ છે. તેને મારે વૃત્તાંત જણાવું, તે વખતે લાભ થાય. આમ વિચારી તે પુરૂષ બેલ્યો, મહાશય ! હું અને ત્યંત દુ:ખી છું, અનિવાર્ય ચિંતાએ મને ઘેરી લીધો છે, મારો વૃત્તાંત આપ જેવા પરોપકારી પુરૂષને સાંભળવા યોગ્ય છે. અહીંથી નૈરૂત્ય ખૂણામાં હેમપુર નામે નગર છે, તેમાં મકરધ્વજ નામે રાજા છે, તેને મદનપાળ નામે એક કુમાર છે, તે કુમાર એક વખત ગોખમાં બેઠે હતો, ત્યાં કોઈ યોગિની ચિત્રપટ લઈને નીકળી, તેને કુમારે બેલાવી. ગિણીએ પિતાને વૃત્તાંત જણાવી, તે ચિત્રપટ મદનપાળને બતાવ્યું. મદનપાળ તે ચિત્રપટ જોઈ મેહમગ્ન થઈ ગયો. તત્કાળ તેણે ચિત્રપટનો વૃત્તાંત પુછે, એટલે તે યોગિણીએ કહ્યું, રાજકુમાર ! આ ચિત્રપટ કાંતિનગરના રાજા નૃસિંહની પુત્રી પ્રિયંગુમંજરીનું છે. પ્રિયંગુમંજરીને તેના શિક્ષક ગુરૂ શ્રીગુણધરે કુશસ્થળીના શ્રીચંદ્રકુમારની અતિ પ્રશંસા કરી, તેથી એ રાજબાળાએ શ્રી ચંદ્રને વરવાનો નિશ્ચય કર્યો છે. પુત્રીને દઢ નિશ્ચય જાણી રાજા નૃસિંહ આ ચિત્રપટ લઈ મને કુશસ્થળીમાં મોકલે છે. ભદ્ર ! તે ચિત્રપટને માટે મોહ પામેલા મદનપાળે ઘણી પ્રાર્થના કરી, પણ યોગિનીએ તે ચિત્રપટ આપ્યું નહીં. મદનપાળને મદનપીડામાં નાખી, એગિની ત્યાંથી ચાલી ગઈ. કુમાર મદનપાળ ત્યારથી પ્રિયગુમંજરી માટે તીવ્ર ઈચ્છા રાખી તેનું જ સ્મરણ, તેનું જ ધ્યાન અને તેનું જ મનન કરવા લાગે. આ ખબર તેના પિતા મકરધ્વજને પડવાથી તેણે કુમારની ઈચ્છા પૂર્ણ કરવા પિતાના મંત્રીને કાંતિપુરમાં પ્રિયંગુમ જરીનું માગું કરવા મોકલ્યા. રાજા નૃસિંહે ના પાડી, એટલે મંત્રી નિષ્ફળ થઈ પાછા આવ્યા. પિતા મકરધ્વજે પુત્ર મદનપાળને સમજાવ્યા. કે, તારે માટે બીજી સુંદર રાજકન્યા શોધી લાવીશ; પણ મદનપાળને પ્રિયંગુમંજરીને મેહ દૂર થયો નહીં, તેને વિશેષ ચિંતા થવા લાગી, છેવટે તે રાજ્યવૈભવ છોડી પ્રિયંગુમંજરીને માટે ફકીરી લેવા તૈયાર થયે, નગરમાંથી રાત્રે ગુપ્તપણે ચાલી નીકળ્યો. - ભદ્ર ! તે હું પોતેજ મદનપાળ છું, અતિ ચિંતાથી વ્યાકુળ થઈ, આ યક્ષમંદિરમાં આવી ગુપ્ત રીતે રહ્યો છું. અહીંથી કાતિપુર નજીક છે, રાજકુમારી પ્રિયંગુમંજરી પ્રતિદિવસ આ વાટિકામાં રમવા આવે છે, તેને મેળવવાની આશાએ હું અહીં રહ્યો છું. મિત્ર ! ગઈ કાલે આ વાટિકાની માલણ મને મળી હતી, તે માલણ રાજકુમારીની પાસે ઘણી વાર જાય છે, મેં તેને દ્રવ્ય આપી સ્વાધીન કરી લીધી છે. માલણની સાથે રાજબાળા પ્રિયંગુમંજરીને સ્નેહ છે. મેં વિનતિ કરી માલણને કહ્યું કે, બેન ! રાજકુમારીને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy