SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદ મંદિર. કુમાર બની રાધાવેધ કરવા ઉભો થાય છે, કોઈ રાજકન્યા થઈ પાલખીમાં બેસી રાધાવેધ કરનાર શ્રી ચંદ્રને વરવા આવે છે, કોઈ રાજકન્યાની સખીઓ થઈ તેની પાસે હાજર રહે છે, કઈ રાધાવેધ થાય, એટલે શ્રી ચંદ્રને જયનાદ કરી, સ્વયંવર મંડપને ગજાવે છે, તે વખતે શ્રીચંદ્ર અને પુરૂષ સર્વ સમાજ વચ્ચેથી પ્રસાર થઈ જાય છે, અને ચારે તરફ તેની શોધાશોધ થઈ પડે છે. - ભદ્ર ! આ પ્રમાણે કુમાર કનકરથ પોતાના દરબારમાં અને લોકોના સમાજમાં રાધાવેધના ખેલ કરી સર્વને આનંદ આપે છે. ગઈ કાલે કુમારે અંતઃપુરમાં તે ખેલ ભજવી બતાવ્યો હતો. તે વખતે તેની બેન કનકવતી પોતાની ત્રણ સખીઓની સાથે ત્યાં રહેલી હતી. રાજકુમારી કનકવતીને પ્રેમ અને વિશ્વાસનું પાત્ર પ્રેમવતી, ધનથી અને હેમશ્રી નામે ત્રણ સખીઓ છે. પ્રેમવતી મુખ્ય મંત્રીની પુત્રી છે, ધનથી સાર્થવાહની પુત્રી છે, અને હેમથી નગરશેઠની પુત્રી છે. શ્રી ચંદ્રકુમારે કરેલ રાધાવેધ અને તેના ગુણનું ખ્યાન સાંભળી રાજપુત્રી કનકાવતીએ અને તેની ત્રણ સખાઓએ શ્રાચંદ્રકુમારને વરવાનો નિશ્ચય કર્યો છે. રાધાવેધના ખેલમાંથીજ તે બાળાઓના વિચાર ઉત્પન્ન થયા, અને ધાત્રી માતાની દ્વારા તે વૃત્તાંત રાજાને જણાવ્યું. રાજા જિતશત્રુ મોટી ચિંતામાં આવી પડે, તે સાથે તેને મંત્રી, સાર્થવાહ અને નગરશેઠ પણ ચિંતાતુર થઈ ગયા. સર્વ કુમારીઓ આગ્રહ કરી બેઠી, એટલે રાજાએ આજે કુશસ્થળીમાં શ્રી ચંદ્રની શોધ કરવા મંત્રી વિગેરે માણસોને મોકલ્યાં છે. - આ વાતની ચર્ચા નગરમાં ઉત્પન્ન થઈ છે, અને તે ચચાને માટે આ લેકોનું ટોળું એકઠું થયું છે. રાજકીય વાર્તા ચર્ચવી તે યુક્ત નથી, એમ જાણી હું તેમાંથી પ્રસાર થઈ ચાલે જાઉં છું. આ પ્રમાણે કહી તે પ્રઢ વણિક ત્યાંથી ચાલી નીકળ્યો, અને શ્રીચક પણ પિતાને બંધન થશે, એવો ભય રાખી તે નગરીની અંદર નહીં જતાં, પરભા બજે માર્ગે ચાલતે થે. આગળ જતાં એક સુંદર મંદિર જોવામાં આવ્યું. મંદિરની શોભા અપૂર્વ હતી. ઉંચા શિખર ઉપર ધ્વજાઓ ફરકતી હતી, પ્રજાઓની સાથે ઘંટડીઓના નાદ થતા હતા, મંદિરદ્વાર ઉપર અનેક જાતની પાષાણમય પ્રતિમાઓ ગોઠવી હતી, તે મંદિરની આસપાસ વૃક્ષોની વાટિકા હતી, વાટિકામાં અનેક જાતનાં રંગબેરંગી પૂષ્પો વિકસિત થયાં હતાં; ગુલાબ, જાસુદ, જુઈ, ચંબેલી, કરેણ, અને મેગરાનાં પુનાં વૃક્ષ શ્રેણીબંધ ઉભાં હતાં. આ પુષ્પથી લોકે તે મંદિરમાં રહેલા યક્ષની પૂજા કરતા હતા. કેટલાક પળનાં વૃક્ષોમાંથી ફળ લઈ, તે યક્ષને નૈવેદ્ય ધરતા હતા. શ્રી ચંદ્રકુમાર વાટિકામાં ફરી યક્ષ મંદિરમાં આવ્યો. વાટિકાના મધ્ય ભાગે દેવ વિમાનના જેવું સુંદર મંદિર જોઈ તેને ત્યાં રહેવા પ્રીતિ ઉત્પન્ન થઈ. મંદિરની કારીગરી અને ભવ્ય દેખાવ જોઈ તે મંદિરના કરનારની પ્રશંસા કરવા લાગે. મંદિરની શોભા જ તો જે તે રાજકુમાર અંદર ગયે, ત્યાં યક્ષની મોટી પ્રતિમા જોવામાં આવી. પ્રતિમાની ઉપર ચંદન અક્ષત અને પુષ્પની માળાઓ જથ્થાબંધ રહેલી હતી. પ્રતિમાને દેખાવ ઉગ્ર છતાં સુંદર હતો. તે પ્રતિમાને જોઈ જમણી તરફ રાજકુમારની દૃષ્ટિ પડી, ત્યાં એક તરૂણ પુરૂષ ભરાઈ બેઠેલ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy