________________
૧૯૪
આનંદ મંદિર, રાજા મકરધ્વજ પિતાના કુમારની પાસે આવ્યા. પુત્રને ઉત્કંગમાં બેસારી આ પ્રમાણે કહ્યું, વત્સ ! હૃદયમાં શા માટે શોક કરે છે ? ભારતવર્ષ ઉપર બીજી ઘણી રાજ કન્યાઓ સ્વરૂપવતી છે, પ્રિયંગુમંજરીને માટે વૃથા આગ્રહ શામાટે રાખે છે ? બીજી સેદર્યવતી સુંદરીની સાથે તારે વિવાહ કરીશ. રાજા નૃસિંહે મારું અપમાન કરેલું છે, તેનો બદલે હું આગળ ઉપર લઈશ. પુત્ર ! તેવા અભિમાની રાજાને વારંવાર પ્રાર્થના કરવી, તે ક્ષત્રિયવટને ઉચિત નથી. રાજા સિંહે આપણું મંત્રીને ના કહી છે, એટલું જ નહીં, પણ એક નીચેને શ્લેક લખીને સાથે મોકલાવ્યો છે.
यवागूजरणे जाड्यं मोदकानां तु का कथा । वचनेऽपि दरिद्रत्वं धनाशा तत्र कीदृशी ॥ १ ॥
જે રાબડી [ જાવલી ] ને પચાવવાને અશક્ત છે, તેમની આગળ લાડુની તે શી વાત કરવી ? જ્યાં વચનમાં દરિદ્રતા છે, ત્યાં ધન મેળવવાની આશા કયાંથી રખાય ?
આ ઉપરથી આપણે જાણવું જોઈએ કે, તમારે પ્રિયંગુમંજરીની આશા રાખવીજ નહીં. વત્સ ! તું સુજ્ઞ છે, તેવી દુર્લભ રાજકન્યાની આશા શા માટે રાખવી જોઈએ ? તારે માટે બીજી હજારો રાજકન્યાઓ તૈયાર છે.
આ પ્રમાણે રાજા મકરધ્વજે તેને ઘણું સમજાવ્યો, પણ તે દુરાગ્રહી રાજકુમાર સમજ્યો નહીં. તેના હૃદયમાંથી ચિત્રપટની મોહરા જરા પણ દુર થઈ નહીં. પ્રતિદિન તેનુજ ચિંતવન કરવા લાગ્યો. ઘણું દિવસ સુધી મેહેલના ગોખ ઉપર બેસી, તેનેજ વિચાર કરવા લાગ્યો. હાલતાં, ચાલતાં, ઉઠતાં અને બેસતાં તેનું જ મનન કરતો હતો. પુનઃ તે યોગિની ક્યારે મળે ? એવી હવાઈ કલ્પના કરી, તેજ દિશા તરફ જોતો હતે. છેવટે રાજ્યવૈભવને અનાદર કરી, તે મેહી મદનપાળ નગરમાંથી ગુપ્ત રીતે ચાલ્યો ગયો. રાજ મકરધ્વજ અને તેનું રાજકુટુંબ ભારે ચિંતામાં આવી પડયું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org