________________
ચંદ્રલેખા.
૧૮૯ બાળપુત્રને લઈ અબુપાત કરતી નગરની બહાર નીકળી, તે વખતે અમારી વફાદાર પ્રજાએ અમારી સાથે જ અથુપાત કર્યો. મંત્રિવર શુભમતિની સહાયથી અમે કોઈ અરણ્યને આ શ્રય લેવા માગે ચાલ્યાં. થોડેક દૂર આવતાં એક વિદ્વાન નિમિત્તિઓ અમને સામે મળે. અમારી દીન સ્થિતી જોઈ તે મહાનુભાવને દયા ઉત્પન્ન થઈ. અમારી સાથે ચાલતાં મંત્રી શુભમતિએ વિનંતી કરી, તે વિદ્વાન જેવીને એક વૃક્ષ નીચે બેસારી આ પ્રમાણે પુછ્યુંમહાશય ! આ બાળકુમારને રાજ્યસુખ મળશે કે નહિ ? આ રાજકુમારી ચંદ્રકળાને સ્વામી કેણ થશે ? તે આપ કૃપા કરી જાવશે. વિદ્વાન ગણકે સમયને અનુસાર પ્રશ્ન બાંધી કહ્યું, મંત્રિરાજ ! તમારે છેવટે સુખ મળવાનું છે. આ ચંદ્રકળાને પતિ પ્રતાપસિંહને કુમાર થશે, તે કુમાર ભારતવર્ષમાં પ્રખ્યાત છે. અહીંથી થોડે દુર એક ખદિરનું વન આવે છે, ત્યાં તમે નિવાસ કરી રહેશે, સુંદર ઉદ્યાનમાં રાસડા કરી, કાળ નિર્ગમન કરજે. જે કોઈ પુરૂષ આ ચંદ્રકળાને પતિ થવાને છે, તે ત્યાં આવશે. જે પુરૂષની ઉપર તે રાયણના વૃક્ષમાંથી દુધની ધારા છુટે, તે ચંદ્રકળાને પતિ, એમ સમજી લેજો. આ પ્રમાણે કહી તેણે અમને એક ગાથા લખી આપી, તે પછી તે વિદ્વાન જોષી અમારો સકાર લઈ ત્યાંથી ચાલ્યો ગયો.
મહાનુભાવ ! તે જોષીનાં વચને અમને પૂર્ણ આશ્વાસન આપ્યું, ત્યારથી અમે અહીં આવીને રહ્યાં છીએ. તે ઉપકારી જોષીએ ઉદ્ધવ અને માધવ નામે બે પુરૂષ
ગીને વેષે મોકલ્યા હતા, તેમણે અમને ચંદ્રલેખાને વિવાહ કોઈ શ્રેષ્ટીના પુત્ર સાથે કરો, રાજકુમાર સાથે કહા નહિ; આથી અમે વિશેષ શંકામાં પડ્યાં છીએ. અદ્યાપિ કોઈ પુરૂષ મળ્યો નથી. તેની રાહ જોઇને કાળ નિર્ગમન કરીએ છીએ. આ બાળા ચંદ્રકળા પુરૂષો વેષ પહેરી તેની સખીઓની સાથે ગમ્મત કરે છે, કેઈ વાર મધુર સંગીત કરી, આત્માને અતિ આનંદ આપે છે.
તે વૃદ્ધાના મુખથી આ વૃત્તાંત સાંભળી, બટુક કાપડી વિચારમાં પશે. “ અહીં પણ બંધનનો યોગ થયો, ચાલ હવે અહીંથી ચાલ્યા જઈએ.” આવું વિચારી બટુક ઉભો છે. ઉમે થઈ ચાલવા લાગ્યો, ત્યાં રાયણના વૃક્ષમાંથી દુધની ધારા છુટી. તે જે સર્વ રાજકુટુંબ અને સખીઓ આશ્ચર્ય સાથે આનંદમગ્ન થઈ ગઈ. માતાના કહેવાથી ચંદ્રલેખાએ વિનયથી કાયા નમાવી, તે બટુના કંઠમાં વરમાળા આરોપણ કરી. સર્વ સખીઓએ મળી ગીત ગાયાં, અને સ્વાદિષ્ટ ફળ પુલ લાવી વિવાહભોજન કર્યું. યથાશક્તિ દાન આપવામાં આવ્યાં. શ્રીચંદ્ર પણ ચંદ્રલેખાને વરી, હૃદયમાં હર્ષ પામે. પછી વીરમતી પિતાના બાળકુમાર વિરવર્માને આગળ કરી, શ્રીચંદ્રને કહેવા લાગી મહાવીર ! આ કુમારને નિધાનની જેમ ગુપ્ત રાખી ઉછેર્યો છે. હવે તમે તેને સ્વામિપદ આપે. જો કે તે વયમાં બાળ છે, પણ તમારા જેવા આશ્રયને લઈ તે હવે મે થયો છે. ગુણીના આશ્રયથી વધુ પણ ગુરૂ થાય છે. તે વિષે એક નીતિને ક યાદ આવે છે.
માત્રયવરોન રિયા વિના ર ના તેડવાણ ! विध्ये विध्यसमानाः करिणो वत दर्पणे लघवः ॥१॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org