SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદ મંદિર. આ સમયે એક વૃદ્ધા તાપસી ત્યાં આવી, તે વિધવા હતી. શ્વેત વસ્ત્ર તેણીએ પહેર્યા હતાં. તેની મુખમુદ્રા ઉપર થ્રઢતાને પૂર્ણ પ્રકાશ દેખાતો હતો. તેણીએ પેલા આ વેષધારી તાપસને પુરૂષને વેષ આપો. તરતજ તેણીની દૃષ્ટિ બટુકની ઉપર પડી, બટુકને જોતાં જ તેને પ્રેમ ઉત્પન્ન થયું. તે વિનયથી નમી બટુક પ્રત્યે બેલી–ભદ્ર ! અપ કોણ છે ? અને કયાંથી આવે છે ? બટુકે કહ્યું, માતા ! હું મુસાફર છું, કુશસ્થલી નગરીમાંથી આવું છું. કુશસ્થલીનું નામ સાંભળતાં જ સર્વે ઉસુક થઈ ગયાં, બીજી તાપસ બાલિકાઓ ઈંતેજારીથી બેલી ઉઠી, મહાશય ! બહું સારું થયું. જે વાતની અમારે જિજ્ઞાસા હતી, તે સફળ થવાનું કારણ બન્યા. કહે, કુશસ્થલીના શા ખબર છે ? રાજકુમારી ચંદ્રકળાને કોઈ પતિ થે કે નહીં ? તે જાણતા હો તો કૃપા કરી કહો. બટુક બે -લક્ષ્મીદા શેઠને પુત્ર શ્રી ચંદ્રકુમાર ચંદ્રકળાનો પતિ થયો છે. તેમને વિવાહેત્સવ ઘણી ધામધુમથી કરવામાં આવ્યું છે. તે સાંભળી સર્વ બાળીકાઓ ઉમંગથી બોલી–ચંદ્રકળા સુખી છે ? બટુકે ઉપેક્ષા બતાવી કહ્યું, તે સુખી છે કે નહીં, તે હું કહી શક્તો નથી. હું કાપડી મુસાફર છું. વિશેષ વૃત્તાંત મેળવવાની મારે શી જરૂર ? કહે તમે બધાં કોણ છે ? આ એકાંત ઉદ્યાનમાં કેમ વસ્યાં છો ? વૃદ્ધા નયનમાંથી અશ્રુ પાડતી બોલી–મહાશય ! હું દુઃખી સ્ત્રી છું, મારો વૃત્તાંત આપ એક ચિત્તે સાંભળો. વસંત નામના નગરમાં વીરસેન નામે રાજા હતા, તેને વીરમતી અને વીરપ્રભા નામે બે રાણીઓ છે. તેમાં વીરમતી હું પોતે છું. મારા પિતાનું નામ મંગુ રાજા છે. મારા પિતા મંગુને બે પુત્રીઓ છે, તેમાં મોટી જયશ્રી અને નાની પુત્રી હું છું. મારું બીજું નામ વિજયવત છે. મારી મોટી બહેન જયશ્રી કુશસ્થલીના પ્રતાપ સિંહ રાજાને આપેલ છે, તેને જય વિગેરે ચાર પુત્રો છે. હું વસંત નગરમાં હતી. મારા રાજયમાં ઘણાં પ્રમાણિક અને અમારા પિતરાઈ શુભમતી નામે મંત્રી છે. મારી પત્ની વિરપ્રભાને નરવર્મા નામે એક પુત્ર છે, તે ઘણે સાહસી, પરાક્રમી અને શસ્ત્ર વિદ્યામાં નિપુણ થશે. મારે વીરવ નામે પુત્ર અને ચંદ્રલેખા નામે એક પુત્રી થઈ છે. આ પુરૂષનો વેશ પહેરી રહેલી તે મારી પુત્રી ચંદ્રલેખા છે. મારો પુત્ર વીર વર્ગ પાંચ વર્ષને થયે છે. જુઓ, તે આ રહ્યા. એક વખતે રાજા વીરસેનને અકસ્માત કાળજવર આવ્યો. તેનાથી તેના શરીરમાં દાહ ઉત્પન્ન થયો, તે વખતે રાજાએ પોતાના વિશ્વાસુ મંત્રી શુભમતીને તેડાવી કહ્યું કે, કુમાર વીરવને મારું રાજ આપજે. તે પછી એક મુદ્ધજ પછી રાજાએ સ્વર્ગવાસ ક. જદ્ર મહાશય ! રાજાના સ્વર્ગવાસ પછી બળવાન કુમાર નરવર્માએ પિતાના જેરથી રાજ્ય દબાવી લીધું અને અમને નગરીની બાહર કાઢી મુક્યાં. હું મારી પુરી અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy