________________
૧૮૬
આનંદ મંદિર. વૃત્તાંત સુલોચનાને જણાવ્યું, અને ધીરજ આપી કહ્યું કે, અહીંથી તેને તેડવાને માણસો મેકલવામાં આવશે, તે સાથે વિશેષ જણાવ્યું કે, શ્રીચંદ્ર કુશસ્થળીમાં પ્રખ્યાત પુરૂષ છે, ઘણા ધાર્મિક, વિદ્વાન અને સદ્ગુણી છે, તે સાથે તેની સમૃદ્ધિ રાજસમૃદ્ધિના જેવી છે. પિતાનાં આવાં વચન સાંભળી સુચના આશ્વાસન પામી. પિતે એક સગુણી અને પ્રખ્યાત પતિ સંપાદન કર્યો છે, તેને માટે મગરૂર થવા લાગી.
માહેંદ્રનગરમાંથી શ્રીચંદ્ર નીકળી ગયો, એ વાત પ્રજા વર્ગમાં ચર્ચાવા લાગી. લેકે અનેક પ્રકારની કલ્પનાઓ કરવા લાગ્યા. સુલોચના પુનઃ આશીલતાનું અવલંબન કરી, રાજમેહેલમાં શોક સહિત રહેતી હતી, અને મન, વચન, તથા કાયાવડે ચંદ્રને વરવાને નિશ્ચય કરી, તેનું જ સ્મરણ કરતી હતી.
પ્રકરણ ૪૩ મું.
ચંદ્રલેખા.
Bક એ ક સુંદર ઉદ્યાન વસંતના પ્રભાવથી ખીલી નીકળ્યું હતું, આસપાસ
વસંતની વન સમૃદ્ધિ પૂર્ણ રીતે વિકાશતી હતી, વિવિધ ક્ષેની ઘટામાંથી પક્ષીઓનું કૂજિતરૂપ સંગીત ચાલતું હતું, વસંતે પોતાના મિત્ર
મદનને જાણે આમંત્રણ કરેલ હોય, તેમ નવરંગિત પુખરૂપ ગલીચા વૃક્ષ સ્થળ ઉપર પાથર્યા હતા, ચારે તરફ શાખારૂપ પતાકાઓ પ્રેમથી ફરકતી હતી, કાક્ષા મંડળમાં વિવિધ જાતની કમાને કરવામાં આવી હતી.
આવા સુંદર ઉદ્યાનની નજીક એક કમળ પુષ્પથી સુશોભિત સ્વચ્છ જળવાળું સરોવર આવેલું હતું. સરોવર અને ઉદ્યાનની વચ્ચે માત્ર એક ક્ષેત્ર પ્રમાણ ભૂમિનું જ અંતર હતું.
આ સરોવરના તીર ઉપર એક મુસાફર ઉભા ઉભો સરોવરની શોભા જેતે હતો. કમળ ઉપર ક્રીડા કરતાં પક્ષીઓના છંદ ઉપર તેની દૃષ્ટિ સ્થિર થઈ હતી. આ મુસાફરની બટુક મુર્તિ હતી, નાજુક અંગ ઉપર તેણે કાપડીને વેષ ધારણ કર્યો હતો, તેની મુખ મુદ્રા ઉપર કૌતુક જોવાની વાંછા પ્રબળ હતી. દ્રષ્ટિ શાંત છતાં ચાપત્યથી ભરેલી હતી. આ બટુકે સરોવરની શોભા જોઈ પડખે દ્રષ્ટિ કરી, ત્યાં તરતજ પેલું સુંદર ઉદ્યાન તેના જોવામાં આવ્યું. તત્કાળ તે ઉદ્યાન તરફ ચાલ્યો. ક્ષણવારમાં તો ઉધાનમાં પ્રવેશ કરી મધ્ય ભાગે આવ્યો, ત્યાં તેણે ચિત્તને ચમત્કાર કરે તેવો નીચેનો દેખાવ અવલો .
એક કુમાર વલ્કલ વસ્ત્ર પહેરી હીંડોળા ઉપર હીંચકો હતા. તેના મસ્તક ઉપર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org