________________
કાપડી ગુમ થયા,
૧૮૫ હમત કરી બોલી–પિતાજી ! આપની આગળ લજજા સાથે જણાવવું પડે છે કે, તે પુરૂષ જાતિહીન નથી, મેં તેની મુદ્રિકા ઉપર લેખ વાંચ્યો હતો. આપની પ્રતિજ્ઞા સાથે જ મેં તે પુરૂષને પતિપદી આપી દીધી છે. તેવા ઉપકારી પુરૂષોની આગળ પ્રતિજ્ઞા ભંગ ક, રવી, તે પ્રતિષ્ઠાની હાનિનું મહાન કારણ થાય. રાજકન્યાઓ ક્ષત્રિય કન્યા છે, તે ધારેલા પુરૂષ શીવાય બીજાને વરી અભિશાપ પામતી નથી.
સુચનાનાં આવાં વચન સાંભળી રાજા ત્રિલોચન ખુશી થયો. તેના હૃદયમાં રાજકન્યાની વાણુએ ઘણી અસર કરી. તત્કાળ સ્વસ્થ થઈ, રાજાએ પોતાની પ્રતિજ્ઞા સફળ કરવાનો નિશ્ચય કર્યો. ત્યાંથી સભા મંડપમાં આવી મંત્રીઓને બોલાવ્યા, અને સર્વની સંમતિ લઈ, લગ્નનો નિશ્ચય કરવા રાજજોપિઓને બોલાવ્યા. તે પ્રસંગે કાપડીને વિષ ધરનાર શ્રી ચંદ્રકુમારને તેડવા રાજસેવકોને ઉતાવળા મોકલ્યા.
જેવીઓ ગણિત વિદ્યાથી લગ્નનો નિર્ણય કરતા હતા, એક તરફ મહારાજા વિલેચન સિંહાસન ઉપર બેઠો હતે, બીજી તરફ મંત્રીઓનાં આસન અનુક્રમે આવેલાં હતાં, એક તરફ રાણી તથા સુલેચના સુંદર પિશાકથી પ્રકાશતાં હતાં. ક્ષણ વાર વિચારી વિદ્વાન જેવીઓએ લગ્નને દિવસ નક્કી કરી, મહારાજાની સમક્ષ જાહેર કર્યા લગ્નમાં આવેલા ગ્રહનું બળ તેઓ પ્રમાણ આપી સિદ્ધ કરતા હતા. તે પછી રાજ્ય ગુરૂએ ઉભા થઈ, સવને કુંકુમના ગંધાક્ષત કર્યા. પ્રસન્ન થયેલા રાજાએ ઉત્તમ દાન આપી, સર્વ જેવીઓને સંતુષ્ટ કર્યા. તેમણે હદયની પ્રસન્નતાથી બધા રાજકુટુંબને આશીર્વચન આપ્યાં.
અહીં સમારંભ શ્રી ચંદ્રકુમારની રાહ જોઈ બેઠે છે, તેવામાં તેને તેડવા ગએલા રાજસેવકોએ આવી ખબર આપ્યા કે, મહારાજા ! કોઇ ઠેકાણે તે વિદેશી પુરૂષને પત્તા લાગતું નથી. પ્રત્યેક પ્રખ્યાત સ્થાનમાં તેની વિશેષ શોધ કરવામાં આવી, પણ કોઈએ તેના ખબર આપ્યા નહીં. આ ઉપરથી એમ સમજાય છે કે તે નારાજ થઈને વખતે ચાલ્યો ગયે હેય.
આ ખબર સાંભળતાંજ અભિનવ આશારૂપ સરિતાની લહરીમાં દલિત થતી સુલોચના લતાની જેમ મૂછિત થઈ, પૃથ્વી ઉપર પડી ગઈ. ક્ષણ વારે સાવધાન થઈ, કરૂણ સ્વરે વિલાપ કરવા લાગી. પુત્રીની આવી દઢ લાગણી જોઈ, રાજા ત્રિલોચને મંત્રીઓને આજ્ઞા કરી કે, આપણ નગરમાં કોઈ કુશસ્થળમાંથી આવ્યો હોય, તે તેની તપાસ કરે, અને કુશસ્થળમાં શ્રીચંદ્ર કે પ્રખ્યાત છે ? તે જાણી લીઓ. રાજાની આવી આજ્ઞાથી મંત્રીઓએ નગરમાં તપાસ કરવા માંડી. દૈવયોગે કઈ પુરૂષે આવી ખબર આપ્યા કે, હું કુશસ્થળપુરીની વાત જાણું છું. મંત્રીઓ તે પુરૂષને રાજા ત્રિલોચન પાસે લઈ ગયા. રાજાએ પુછ્યું, ભદ્ર ! શ્રીચંદ્ર વિષે શી વાત જાણે છે ? તે કહે. તે પુરૂષ બો –હું એક ધન નામના શેઠને સેવક છું. મારા શેઠની ધનવતી નામે પુત્રી છે, તેને શ્રીચંદ્રને આપી છે. તે શ્રીચંદ્ર લક્ષ્મીદા શેઠને પુત્ર છે. કુરારથળી નગરીમાં ઘણો વિખ્યાત છે.
આ કૃત નણી રાજા ખુશી થયે, તેણે આવી રાણી ગુણસુંદરીની સમા તે
૨૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org