________________
આનંદ મદિર.
રાજા તાપસના વેષથી તેને ઓળખી શક્યા નહિ, ક્ષણવાર વિચારમાં પડી, એટલે ચતુર મંત્રીએ કહ્યું કે, મહારાજા ! સુલે:ચનાને સુલાચના કરનાર આપણા ઉપકારી પુરૂષ આવ્યા છે. તત્કાળ રાજાએ તેને ઓળખી લીધા, કાપડીના વેષ જોઇ રાજા વિચારમાં પડયા. જો કે મારી પ્રતિજ્ઞા પ્રમાણે અર્ધ રાજ્ય અને રાજકન્યા આ પુરૂષને આપવાં જોઇએ, પણ આ વેષ ઉપરથી તેની જાતિ અને કુળ કેવાં હશે ? આવા અજ્ઞાત પુરૂષને રાજ્ય આપવું તે કાંઇક યોગ્ય, પણ રાજકન્યા આપવી મેગ્ય નથી. રાજાને વિચારમાં પડેલા જાણી ચતુર મંત્રી સમજી ગયેા. તત્કાળ વિનયથી તે કાપડીને પુછ્યું, ભદ્ર ! આપ જાતે કેવા છે ? કયા વંશમાં આપને જન્મ છે ?
૧૮૪
શ્રીચંદ્ર મીડમાં એક્લ્યા—રાજેંદ્ર ! હવે કુળ, જાતિ પુછે, તે શા કામનાં છે ? પાણી પીને ધર પુછવા જેવા ન્યાય તમે કરી છે, તમારે હવે તે વિચાર કરવાના નથી. જે પ્રતિજ્ઞા તમે કરેલી હતી, તે સત્ય કરવી છે કે નહીં ? રોગ મટ્યા પછી વૈદ્ય વેરી થાય, એ પ્રમાણે તમારૂં વર્ઝન થાય છે, તથાપિ મારી જાતિને ઇતિહાસ સાંભળેા. કુશસ્થળનગરમાં લક્ષ્મીદત્ત નામે એક શ્રેષ્ટ છે, તેનેા હું વ્યસની પુત્ર છું. ઘરમાંથી છાની રીતે લઈ લક્ષ્મી ઉડાડવાનું મારામાં વ્યસન છે, મારા એ વ્યસનથી કંટાળી પિતાએ મને ધણાં વાર વાયા, તથાપી હું સુધર્યા નહીં, એટલે મારા પિતાએ મને ધરમાંથી કાઢી મુક્યા છે, મારે ધન ખર્ચવાનું વ્યસન હાવાથી દ્રવ્ય વીના મને ગેતું નહતું, તેથી મેં મુસાફરી કરી એક સિદ્ધ પુરૂષને શોધી કાઢયે. તેણે મંત્ર, તંત્ર અને ઔષધના પ્રયેાગે મને બતાવ્યા, જે મારે દ્રવ્ય ઉપાર્જન કરવામાં સાધનભૂત થયા છે. દ્રવ્યની ા માટેજ મેં તમારી સમક્ષ આ પ્રયાગ કર્યો છે, હવે શું કહેો છે ?
કાપડીનાં આવાં વચન સાંભળી રાજા વિશેષ વિચારમાં પડ્યેા. આ વાતના નિર્ણય કરવા રાજાએ તે કાપડીને વિનતિ કરી કહ્યું, ભદ્ર ! મારી પ્રતિજ્ઞા નિષ્ફળ નહીં થાય, થોડા દિવસ આ નગરમાં કૃપા કરી નિવાસ કરે. આ પ્રમાણે રાજાના કહેવાથી તે રજા લઇ પોતાને ઉતારે આવ્યા. રાજા ત્રિલેાચન હવે શું કરવું, તે વિષે નિર્ણય કરવા અંતઃપુરમાં ગયેા. રાણી ગુણસુંદરી રાજાને આવતા જોઇ હર્ષભેર બેઠી થઇ, ઉત્સગમાં એડેલી સુલેચના પણ ઉભી થઇ. નરપતિના મુખ ઉપર ગ્લાનિ જોઇ ચતુર રાણી ખેલી— પ્રાણનાથ ! આવા ઉત્સવ પ્રસગે મુખ ઉપર ગ્લાનિ કેમ દેખાય છે ? પુત્રીનું જન્માંધપણાનું દુઃખ દૂર થવાથી માહેંદ્રપુરની સર્વ પ્રજા આનંદમાં મગ્ન છે, ત્યારે આપ મહારાજાના મુખ ઉપર ગ્લાનિ કેમ ? નરપતિએ કહ્યું, રાણી ! સુલેાચનાને મહાન દોષ દુર થયા, તેથી આન ંદજ થવા જોઇએ; પણ મે' કરેલી પ્રતિજ્ઞા મને ચિંતાનું કારણ થઈ પડી છે. રાજપુત્રી તે ઉપકારી પુરૂષને આપતાં આનંદ આવે તેમ નથી. તે પુરૂષ હીન જાતિના દેખાય છે, તે છતાં વળી વ્યસની છે. તેવા જાતિહીન અને વ્યસની પુરૂષને રાજકન્યા આપવી, તે વિચારવાનું છે. જે ન આપીએ તેા પ્રતિજ્ઞાની હાનિ થાય છે; હવે શું કરવું, તે નિર્ણય થઇ શકતા નથી.
રાજાનાં આ વચન સાંભળી, ચતુરા સુલેચના લજ્જાથી આક્રાંત ય, પણુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org