________________
કાપડી ગુમ થયે.
૧૮૩ સુલોચનાનું આવું સંક્ષિપ્ત બેલવું સાંભળી શ્રીચંદ્ર પ્રસન્ન થઇ ગયો. તત્કાળ તે જવનિકામાંથી બહાર આવ્યો. સર્પની સમક્ષ જવનિકા દૂર કરી રાજકન્યાને બહાર લાવવામાં આવી. અનુપમ સંદર્યવતી સુચનાને દેખતી જોઇ, સર્વ સમાજ સાનંદાશ્ચર્ય થઇ ગયો. પદ્મનાં જેવાં વિશાળ લોચનવાળી રાજબાળા નેત્ર ફેરવતી સર્વ સમાજને જોવા લાગી. મહારાજા ત્રિલોચન હર્ષના આવેશમાં બેઠે થયો, પુત્રીને આલિંગન કરી ઉસંગમાં લીધી, પ્રજાજને મહારાજાની જય બોલાવી. જયનાદ અને હર્ષનાદની ગર્જનાથી દરબાર ગાજી ઉઠો. અંતઃપુરમાં આનંદ આનંદ થઈ રહ્યા. રાણુ ગુણસુંદરીને હર્ષને પાર રહે નહીં. રાજપુત્રીનું જીવન સફળ થયેલું જાણી, તે અપાર હર્ષ ધારણ કરતી, પુત્રીને મળવા ઉત્સુક થઈ. રાજબાળા પિતાના ઉસંગમાંથી માતા પાસે આવી. પુત્રીવત્સલા માતાએ હર્ષનાં અશુ લાવી બાળાને હૃદયથી ચાંપી, અને પ્રેમથી દુઃખડાં લઈ મુખ નિરીક્ષણ કર્યું.
આ પ્રસંગે મહેંદ્રનગરની પ્રજાએ મોટો મહોત્સવ કર્યો, ધ્વજા પતાકા અને તેરણથી સદન શભા કરી ધવલમંગળનાં ગીત ગાવા માંડયાં. શેરીએ શેરીએ અભિનવ વસ્ત્રાભરણ ધારણ કરતી પર વનિતાઓ રાજકુમારીને જેવા અને વધાવા શ્રેણીબધ આ. વવા લાગી.
રાજકીય અને પ્રજા વર્ગધ અગ્રેસર લેકો શ્રીચંદ્રને અભિનંદન આપવા લાગ્યા, અને એક અવાજે કહેવા લાગ્યા કે, રાજકુમારી સુચનાને ખરેખરી સુલોચના કરનાર આવા સિદ્ધ પુરૂષે ભારતવર્ષમાં ભાગ્યે જ મળે.
પ્રકરણ ૪ર મું. કાપડી ગુમ થ.
2
છે. રા હું જા ત્રિલેચન મંત્રીઓની સભા ભરી બેઠો છે, પુત્રીનું જન્માંધપણાનું ખ ( દૂર થવાથી તેના હૃદયની ચિંતા દૂર થઈ છે, તેવામાં છડીદારે આવી ખબર જ આપ્યા કે, કોઈ તાપસ આપની પાસે મળવા આવે છે. રાજાએ મંત્રીના
મુખ સામું જોઈ આના આપી, એટલે છડીદાર તે તાપસને અંદર તેડી લાવ્યા.
૧
આ તાપસ આ વાતનો નાયક શ્રીચંદ્ર હતો, તે રાજપુત્રીને દેખતી કરી કોઈ સ્થળે જઈ રાજવેષ દૂર કરી બીજે તાપસનો વેષ લઈ આવ્યો હતો. વસ્ત્ર ઉપર કોષાય રંગ લગાવ્યો હ, શારીરે ભસ્મ ચોળી હતી, કેશ છુટા રાખ્યા હતા, તેણે રાજાની પાસે આવી કહ્યું, રાજેન્દ્ર ! મેં મારું કર્તવ્ય પૂર્ણ કર્યું છે, હવે શી આના છે ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org