________________
૧૯૭
યક્ષ કન્યા, રાજકુમારનાં આવાં વચન સાંભળી રાક્ષસ ચમકી ગયો. કુમારની પ્રાભાવિક કાંતિ જોઈ તે નિસ્તેજ થઈ ગયે. તત્કાળ તેના હદયમાં વિચાર થયો, આ રાજકુમાર ખરેખર કીંમતવાન છે. મારા જેવા ક્રૂર રાક્ષસના ઘરમાં આવી તે નિશ્ચિંત થઈ સુઈ ગયો, એ કેવું ધેર્થ ! આવા વીર શિરોમણિ કુમારને મારે ધન્યવાદ આપવો જોઈએ. આવું વિચારી રાક્ષસ ખુશી થઈ બોલ્યો, રાજવીર ! તમારી હિંમત જોઈ હું ખુશી થયો છું. તમારું અપૂર્વ સત્વ જોઈ મારું હદય અતિ સંતુષ્ટ થયું છે, જે ઈચ્છા હોય તે માગી લે. તમારી હિમ્મત, વીરત્વ અને વૈર્ય જે તમારી કે ઉત્તમ જાતિ છે, એમ જણાઈ આવે છે.
રાજકુમાર પ્રીતિ દર્શાવી બે –ભદ્ર ! જે તમે ખરેખર પ્રસન્ન થઈ મને વર આપવા ઈચ્છતા હો તે, એટલીજ માગણી છે કે, “હવેથી ફૂરપણું છોડી ઘા, અને દરેક મનુષ્ય ઉપર સારી નજરથી અવલોકન કરો. આ ઉજડ નગર વસાય તેમ કરો, અને પુણ્ય બુદ્ધિ ધારણ કરો. ” શ્રીચંદ્રની આવી માગણી સાંભળી તે રાક્ષસ પ્રસન્ન થયે. પ્રેમથી રાજકુમારના ચરણમાં નમી બે –ભદ્ર ! તમે મારા ધર્મદાતા છે, મારી ઉપર અસાધારણ ઉપકાર કરનારા છે, આ કુંડલપુરને ઉદ્ધાર કરે. તમે ધર્મી છે, ધર્મની પસાયથી સર્વ જાતને ઉદય થાય છે. તમારા જેવા ધર્મવીરનાં જ્યાં પગલાં થાય, ત્યાં સર્વ પ્રકારની સમૃદ્ધિ થાય છે. મહાનુભાવ ! હવે મારી જેમ આ રાજધાનીને દીપાવે. આ પ્રમાણે કહી તે રાક્ષસ શ્રી ચંદ્રને લઈ અંતઃપુરમાં આવ્યો. અર્જુન રાજાની રાણી સુરસુંદરીને નમીને બો –ભદ્ર ! મારા અને તમારા ભાગ્યથી કોઈ આ સુકૃતિ પુરૂષ આવ્યા છે. તે મહાનુભાવનાં દર્શન કરી તમે કૃતાર્થ થાઓ. દેવી ! મારા અપરાધને ક્ષમા કરજે. આજથી તમે મારાં ભગિની છે. મેં આ તમારું રાજ્ય એ મહાનુભાવને સોંપ્યું છે. આ નરવરના પુણ્યથી તમે સુખી થશે.
રાક્ષસની આવી સત્તિ જોઈ રાણી ખુશી થઈ. શ્રીચંદ્રની સૌમ્ય અને સુંદર મૂર્તિ જોઈ તેના હદયમાં પૂર્ણ સ ષ થયો. રાણી વિનયથી નમન કરી બોલી–મહાનુભાવ! આપની આકૃતિ જ ઉત્તમ કુળ, જાતિ અને સગુણ સૂચવી આપે છે. તેથી જે કાંઈ તે વિષે પુછવું, તે પુનરૂક્તિ છે. તથાપિ એટલી તે પ્રાર્થના છે કે, આપ ક્યાંથી આવે છે? અને આ ઉજડ નગરમાં કેમ આવી ચડયા ? તે સંક્ષેપમાં જણાવશો. રાજકુમારે સસ્મિત વદને કહ્યું-ભદ્રે ! હું એક મુસાફર છું. વિદેશી કૌતુકે જોવાની ઈચ્છાથી ભારતવર્ષ ઉપર ભમ્યા કરું છું. ઘર છોડયા પછી અનેક સ્થળે ફરતા ફરતે એક મુસાફરોની ધર્મશાળામાં આવી ચડ્યો. રાત્રી પડવાથી મેં પણ તેજ ધર્મશાળામાં વાસ કર્યો. વિવિધ દેશના મુસાફરો ત્યાં સુતા સુતા અનેક જાતની વાત કરતા હતા, તેવામાં કોઈ વૈતાલિકે મારી પૂર્વની વાર્તા કહેવા માંડી. જેમાં પ્રથમથી તે આજ સુધીની મારી સ્થિતિનું તેણે યથાર્થ ખ્યાન કર્યું, જે સાંભળી હું ઘણોજ આશ્ચર્ય પામી ગયો. પ્રાતઃકાળે મેં આનંદથી તે વાપ્ત કરનારાઓને ભોજન કરાવ્યું, અને કેટલીક વસ્તુઓની ભેટ આપી ખુશી કર્યા.
મહાદેવી ! માંથી હું આગળ ચાલે, કેટલેક દૂર જતાં દંડકા નામે એક એવી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org