SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ આનંદ મંદિર. આ ક્ષણવાર પછી નરમાંસ ભક્ષક પેલે રાક્ષસ બહેરથી આવ્યો. રાજમેહેલ આગળ આવતાં તે મનુષ્યના પગલાં તેના જેવામાં આવ્યાં. તે પગલાંની શ્રેણી રાજમહેલની અંદર જતી જોઈ તે આશ્ચર્ય પામ્યો. તેને અનુસાર મહેલમાં શોધ કરતાં જ્યાં શ્રીચંદ્ર નિશ્ચિત થઈ સુતો હવે, તેજ ભુવનમાં આવ્યો. તેને જોતાંજ રાક્ષસ આશ્ચર્ય પામી ગયો. તેના મનમાં આવ્યું કે, આ ધીર પુરૂષ કેણ હશે ? પોતાના જીવિતની અપેક્ષા કર્યા વગર મારી શયા ઉપર આવી સુતે છે, એ કેવું સાહસ ! આ નિર્ભય પુરૂષને સુતેજ જળમાં ફેંકી દઉં, નથી તેના ચૂરેચૂરા કરી નાખું, કે દંડવડે શયા સહિત ટીપી દઉં? આવું ચિંતવી રાક્ષસે હાક મારી, અરે નિર્લજ! તું કેણ છે? સત્વર ઉઠી જા. રે ગમાર!તું કયાં સુ છું ? એ વિચાર કર. આ કોના સ્થાનમાં આવ્યો છું? અરે શીયાળ ! કેશરીસિંહના સ્થાનમાં આવી સુતાં તને કેમ શરમ આવતી નથી ? હું કોણ છું ? તે તેને વિચાર પણ ન થયો ? આવાં રાક્ષસનાં વચન સાંભળી રાજકુમાર જાગી ગયો. તેણે પિતાની પાસે ઉન ભેલા રાક્ષસને જોયે. રાજકુમાર નમ્રતાથી બે, અરે ભાઈ ! તું નીતિ જાણે કે નહીં? કોઈ પણ સુતેલા માણસને જગાડવે તે નીતિ વિરુદ્ધ છે. તે નીતિ વિરૂદ્ધ વર્તનાર અધમ પુરૂષ કહેવાય છે. જેને માટે નીચે પ્રમાણે નીતિને લેક છે. धर्मनिंदी पंक्तिभेदी निद्राच्छेदी निरर्थकः । कथाभंगी गुणद्वेषी पंचैत परमाधमाः ॥ १॥ ધર્મની નિંદા કરનાર, પંક્તિભેદ કરનાર, નીરર્થક નિદ્રાને ભંગ કરનાર, કથામાં ભંગ પાડનાર, અને ગુણનો દેવ કરનાર, એ પાંચ અતિ અધમ પુરૂષ છે. ૧ ભદ્ર!તુ વિચાર કર, હું તારે ઘેર મુસાફર અતિથિ આવ્યો છું. ઘેર આવનાર અતિથિને ઘણે સ્નેહ બતાવવો જોઈએ. ઉત્તમ પુરૂષ ઘેર આવેલા મિજમાનની સારી બરદાસ કરે છે. રાજકુમારનાં આવાં વચન સાભળી રાક્ષસ બે, અરે અધમ ! તું શા માટે મારી ખુશામત કરે છે ? હવે તારા પ્રાણને અંત આવવાને છે, પુછયા વિના બીજાના ઘરમાં પ્રવેશ કરે, તે કેવું નીચ કામ છે ? તારા જેવા બીચ પુરૂષનું આતિથ્ય કરવું યંગ્ય નથી. શ્રીચંદ્ર ક્રોધ કરી બે –અરે દુષ્ટ ! આવાં અનુચિત વચન કેમ બોલે છે ? હું મારા બનથી તારા ઘરમાં પેઠો છું. નપુંસકની જેમ યાતદ્દા શું બકે છે ? તે ઘણાં દૂર કર્મ કાં છે, અદ્યાપિ ફૂર કર્મ કરવાથી શું નથી થાક્યો ? હજુ તારાં કુકર્મથી તું તૃપ્ત થયો નથી ? આવા સમૃદ્ધિમાન રાજ્યને તે પાયમાલ કરી દીધું, એ કેવી વાત ? અરે અધમ! આ રાજકુટુંબને કારાગ્રહમાં રાખતાં તને લજજા પણ આવી નહીં ? તારા મર્મને હું સારી રીતે સમજું છું. તું એમ જાણે છે કે, હું શસ્ત્રધારી છું, અને આ કુમાર શસ્ત્ર રહિત છે, તેથી શું થયું ? એથી તારે જરા પણ ફુલાઈ જવાનું નથી. કદિ મૂર્ખ સ્થલ હેય, અને પ્રાસ કૃષ હોય, તેથી શું થયું ? કાકપંકિત ઉંચા વૃક્ષ ઉપર બેસે, અને હંસશ્રેણી ભૂમિ ઉપર ચાલે, તેથી કાંઈ હંસશ્રેણીનું ગૌરવ ઘટતું નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy