________________
ચક્ષ કન્યા,
૧૭૫
શકતું નથી. સુંદરકુમાર ! તમે ખરેખરા વીર દેખાઓ છે, તમારા લલાટ ઉપર ક્ષાત્રતેજ ઝળકે છે, તથાપિ આવા સાહસમાં ઉતરવાને હું તમને સલાહ આપી શક્તી નથી.
સારિકાનાં આવાં વચન સાંભળી શ્રીચંદ્ર હાસ્ય કરતાં કહ્યું, ભદ્રે ! તમારું કહેવું યથાર્થ છે. કેટલાંએક વિધ ભરેલાં કાર્ય સાહસથી કરવાં અશક્ય થઈ પડે છે; તથાપિ આ દુષ્ટ રાક્ષસનું ચરિત્ર સાંભળી મને અતિશય ક્રોધ ઉત્પન્ન થાય છે, તેને પરાભવ કરવાની મારામાં શક્તિ છે કે નહીં, તે હું ગર્વથી કહી શકતું નથી, પણ તેવા દુષ્ટને શિક્ષા કરવાનું મારું કર્તવ્ય છે, એમ તો મારા હદયમાં નિર્ણય થાય છે. ક્ષત્રિઓનું જીવન પરો. પકારી, સાહસ ભરેલું અને નિર્ભય હોય છે, પ્રજા ઉપર શાસન ચલાવવાની શક્તિ ધારણ કરનાર કોઈ પણ રાજવીર પ્રજાને દુઃખી જોઈ શકતા નથી. તત્કાળ તે પ્રજાની સહાય કરવાને આગળ પડે છે. તે પિતાને પ્રજાપાલનને ધર્મ સમજી પ્રાણને પણ ગણતો નથી. ભદ્રે તમે મારા હિતની ખાતર મને જવાની મના કરે છે, પણ હું સાહસ કરી અંદર પ્રવેશ કરીશ, જે બનશે તે, એ રાજવંશી રમણીઓને દુઃખમાંથી મુક્ત કરાવીશ.
શ્રીચંદ્રકુમારનું અપૂર્વ ધર્ચ અને ક્ષાત્ર જાતિનું અભિમાન જોઈ, સારિકા હર્ષ પામી, તેને હદયથી આશિષ આપી ઉડી ગઈ. રાજકુમારે તે શન્ય નગરમાં પ્રવેશ કર્યો. રાજમાર્ગમાં નવરંગિત હવેલીઓની શ્રેણીઓ, ગેખ, અટારી, અગાશી અને છજાઓની નમુનાદાર રચનાઓ અને હકારના તેરણાલંકૃત કમાનદાર દેખા ઉજડ થયેલાં જોઈ શ્રીચંદ્રને 'વિશેષ અફસોસ થયો. જુદીજુદી આકૃતિવાળી શેરીઓ, હારબંધ ચાટાના માર્ગે, નમુનાદાર દુકાનેની શ્રેણી જોતે જેતે શ્રીચંદ્રકુમાર દરબારગઢ પાસે આવ્યા.
મહારાજા અર્જુન નૃપતિનું રાજદ્વાર જઈ તે ચકિત થઈ ગયો હતે. અમૂલ્ય રત્ન, હીરા અને માણેકથી સુશોભિત રાજમહેલ જોઈ તે સાનંદાશ્ચર્ય થઇ ગયો. આવો સુંદર રાજમહેલ કે જેમાં હજારે દાસદાસીઓ ફરતાં હોય, તેવા દેખાવનું સ્મરણ કરી, રાજકુમારે ઉડે નિઃશ્વાસ મુ, અને તે દુષ્ટ રાક્ષસ ઉપર તેને વિશેષ રેષ ઉત્પન થશે. આવી મનહર રાજધાનીને ઉજડ કરનાર તે દુષ્ટ રાક્ષસને શિક્ષા કરવાને તેણે નિશ્ચય કર્યો. અનુક્રમે આગળ ચાલી રાજકુમારે રાજમહેલની અ દર પ્રવેશ કર્યો. ધંધરૂપી તીક્ષણ અને ધારણ કરી, વીરપુત્ર અર્જુન નરેશના અંતઃપુરમાં આવ્યા. અંદર જઈને તેણે પિતાને રાજવેષ ધારણ કર્યો. ત્યાં આકાશ તરફ જોઈ ચિંતવન કરતી ગોખ ઉપર બેઠેલી રાણીને જોઈ, તેની દ્રષ્ટિએ ન પડાય, તેમ છુપી રીતે પાછો વળી મહેલના એક ભુવનમાં આવ્યું, ત્યાં એક સુંદર હીંડોળાખાટ લટકતી હતી, તે ઉપર કમળ તળાઈ અને ઉપર સ્વચ્છ શ્વેતવણ ઓછાડ પાથર્યો હત; આ શૂન્ય શયા ઉપર શ્રીચંદ્ર સુઈ ગયે. તેણે પંચપરમેષ્ટીના પ્રભાવિક મંત્રથી પોતાના અંગની રક્ષા કરી, એ મહામંત્રરૂપ કવચ પહેરી રાજકુમાર નિશ્ચિત થયો હત; શયન કરતાં જ તેને નિદ્રા આવી ગઈ. ઘણા દિવસ થયાં અરમ્રવાસ કરી શાંત થયેલા રાજકુમારને પૂર્વની સ્થિતીનું સુખ સંપાદન થયું. લક્ષ્મીદત્ત શેઠના સુંદર મેહેલમાં તેણે જેવી નિદ્રા લીધેલ, તે નિદ્રાનો આજે અનુભવ થયો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org