SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદ મંદિર. બાહેર કેમ નીકળતી નથી ? સારિકા બેલી-રાજકુમાર ! અહીં કુંડળગિરિ નામે એક ગિરિપ્રદેશ છે, તેની આસપાસ માટે દેશ રહેલે છે, તેની રાજધાની આ કુંડળપુર નામે નગર છે, આ નગરમાં અર્જુન નામે એક રાજા થઈ ગયો છે, તેને પાંચ રાણીઓ હતી, તે સર્વમાં રૂપથી રતિને તિરસ્કાર કરનારી સુરસુંદરી નામે પટરાણું છે. આ સુંદર નગરમાં છ દિવસ ગયા પછી સાતમે દિવસે ચોરી થતી હતી, આ ચોરીને પત્તિ બીલકુલ લાગતો નહીં. આથી રાજા અર્જુન અજાયબ પામી પિતાની જાતે તેની તપાસ કરવા લા . એક વખત સાતમે દિવસ આવ્યું, એટલે રાજ અર્જુન શહેરમાં ફરવા નીકળે. દેવગે પેલે ચોર કોઈને માલ લઈ જતે દૃષ્ટિએ પો. રાજા ગુપ્ત રીતે તેની પાછળ ચાલ્યો. સાથે કોટવાળને પરિવાર લીધે. ડેક દૂર જતાં તે પૂર્વ ચેર સર્વની નજર ચુકવી કે મઠમાં પિસી ગયા. ત્યાં કોઈ તાપસ સૂતો હતો, તેની પાસે તે ધનને માલ મુકી ચોર ક્યાંઈ ચાલ્યો ગયો. રાજા અર્જુને અને પિલીસે ઘણી વાર સુધી તે ચેરને શે, પણ પ મળે નહીં. છેવટે રાત્રી વીતી ગઈ, ત્યાં સવારે પેલા મઠમાં પડેલે તાપસ જોવામાં આવ્યું. તાપસની પાસે ચેરીને માલ જોઈ પોલીસે તેને પકડશે, અને ક્રોધ પામેલા રાજાના હુકમથી તેને ત્યાંજ મારી નાખવામાં આવ્યું. રાજકુમાર ! તે નિરપરાધે તાપસ હૈદ્ર ધ્યાન કરતાં મૃત્યુ પામી રાક્ષસ . પિતાનું વૈર લેવા તેણે આ નગરમાં મોટા ઉપદ્રવ કરવા માંડયા. શહેરમાં અનેક લેકેને છવથી મારી નાખવા માંડયા. છેવટે રાજા અર્જુનને અંધારી રાત્રે મારી તેની સેનાનાં અને પિલીસનાં માણસને પણ ઘેર સંહાર કરવા માંડે. રાક્ષસના ત્રાસથી કુંડળપુરમાં હાહાકાર થઈ રહ્યા. લેકે શેહેર છોડી જીવ લઈ નાસી ગયા રાજાની તમામ સેના, અને મંત્રીવર્ગ ભય પામી ચાલ્યા ગયા, તે નિર્દય રાક્ષસે અર્જુન રાજાના અંતઃપુરને રોધ કર્યો, અને તેની પાંચ રાણીઓને ભોગની લાલસાએ ત્યાંજ જીવતી રહેવા દીધી, તેમાં રાણું સુરસુંદરીને ગર્ભ હતો, અને પ્રસવ થવાને વખત નજીક હતું, તે ચતુર રાણેએ જાણ્યું કે, જે મારે પુત્ર થશે, તે તે આ નિર્દય રાક્ષસને મારી મને દુઃખમાંથી મુક્ત કરશે, આવી ઉત્તમ આશ ધારણ કરી રહેલી, તે રાણીને એક પુત્રી થઇ, જેના જન્મ વખતે રાણી નિરાશ થઈ મૂછ પામી હતી, તે પુત્રીનું નામ ચંદ્રમુખી છે, હાલ તે યોગ્ય વયે પહોંચી છે. રાજકુમાર ! તે નિર્દય રાક્ષસ આ ઉજજડ નગરમાં એક રહે છે, તે રાણીઓના અંતઃપુરથીજ આનંદ માને છે, જે કોઈ મનુષ્ય આ નગરમાં આવે, તેને તે જીવથી મારી નાખે છે, તેવી રીતે અનેક માનવ હત્યા કરી, તે આત્માને કૃતાર્થ માને છે. ભદ્ર રાજકુમાર ! તેથી હું તમને અંદર જવાની ના કહું છું, તમારી સુંદર આકૃતિ જોઈ, અને તમારા જેવા નરરત્નનું જીવન ઉપયોગી જાણી, મને તમારા પુણ્ય પ્રેરણા કરી છે, ગમે તે પરાક્રમી હેય, તેપણ તે દુષ્ટ રાક્ષસને ભોગ થઈ પડે છે. જ્યાં સુધી તેનાં પાપી પરિણામ પ્રમુખ થયાં નથી, ત્યાં સુધી કોઈ પણ તેને મારવાને સમર્થ થઈ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy