SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષ કન્યા. ૧૭૩ માહેંદ્રનગરમાં તે આષણા કરવામાં આવી, એથી અનેક પ્રકારની લેકચર્ચા ઉત્પન્ન થઈ. દેશવિદેશમાં પણ એ વાર્તા પ્રસાર પામી. આ વાર્તા સાથે સુલોચનાનું સૌંદર્ય પણ વિશેષ પ્રકાશમાં આવ્યું. ઘણા દિવસ સુધી આષણા કરવામાં આવી, પણ કોઈ તેને ચમત્કારી પુરૂષ મળ્યો નહીં. રાજા ત્રિલોચન હૃદયમાં નિરાશ થયો, પણ તેણે તે ઉદ્યોગ જારી રાખ્યો. દેશવિદેશમાં આ વાર્તા પ્રસાર પામવાથી અનેક માંત્રિકે, નેત્રર્વ અને ઉપાસક તાપસે આવી, વિવિધ જાતના પ્રયોગો કરવા લાગ્યા, પણ કોઈ સુલોચનાને સુલોચના કરી શક્યું નહીં. રાણી ગુરુસુંદરીના હૃદયમાં ચિંતા થવા લાગી. પિતાની પ્રિયપુત્રીનું અંધત્વ દૂર કરવા તે મહારાણી અનેક કષ્ટ ભરેલાં તપ કરતી હતી, અનેક ઔષધ ઉપચાર જાણનારા વૈદ્યની અને માંત્રિક મહાશયોની સેવા કરતી હતી. - - - પ્રકરણ ૪૦ મું. - યક્ષ કન્યા, 1] હીં શ્રીચંદ્રકુમાર અનુક્રમે ફરતે ફરતે એક સુંદર નગરની નજીક આવે, દૂરથી તે શહેર ઘણું રમણીય લાગતું હતું, તેની અંદર ધનાઢયની હવેલીઓ My શ્રેણીબંધ ઉભી હતી. તેમની ચંદ્રશાળા ( અગાશીઓ ) ગગનની સાથે જ વાત કરતી હતી. શહેરના કિલ્લાની શોભા અતિ રમણિય હતી, નગરદ્વાર ઉપર આવેલી કમાને કારીગીરીથી સુશોભિત લાગતી હતી. આ રમણીય નગરને દૂરથી જોઈ શ્રી ચંદ્રને હર્ષ ઉત્પન્ન થયો, તેણે વિચાર્યું કે, “ અહા ! આ કેવું સુંદર શહેર છે ? તેમની રમણિયતા પ્રત્યેક પથિકના હદયને આકર્ષે તેવી છે. તેને સુંદર કિલ્લો કે ભવ્ય લાગે છે ? ધનાઢયોની હવેલીઓ કેવી મનહર છે? આ નગર ખરેખર જોવા લાયક છે. ભારતવર્ષની રમણીયતા આવા શહેરની શોભાને લઈને જ લાગે છે. આજે મારાં અનેક તકે પૂરાં થશે. આટલા દિવસની મુસાફરી આજે સફળતા સંપાદન કરશે. ” આવું વિચારી શ્રીચંદ્ર ઉતાવળે ચાલી નગરહાર આગળ આવી પહોંચ્યો. નગરદ્વારની આગળ ઉભા રહ્યા, ત્યાં કોઈ મનુષ્ય તે કારમાંથી નીકળ, કે પેસતે જોવામાં આવ્યો નહીં. આથી તેને આશ્ચર્ય થયું. આશ્ચર્યથી ક્ષણવાર વિચાર કરી નગરદ્વારમાં પેસવા માંગ્યું, ત્યાં દ્વારના ઉદ્દે ભાગેથી “ રાજકુમાર પ્રવેશ કરશે નહીં, પ્રવેશ કરવામાં ઘણું વિદને છે. ” આ વાક્ય સાંભળી શ્રીચંદ્ર ચમકી ઉભો રહ્યા. ઉચે દ્રષ્ટિ કરી જોયું, ત્યાં એક સારિકા જેવામાં આવી. કુમાર સારિકાને જોઈ બોલ્ય–પક્ષિણી ! મને પ્રવેશ કરતાં કેમ વારો છે ? આવા સુંદર નગરમાં પિસવામાં શું વિત છે ? અહીં કોઈ પણ માણસ કેમ જોવામાં આવતું નથી ? આ શહેરમાંથી પ્રજા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy