SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ આનંદ મંદિર. માહેંદ્રનગરના રાજા ત્રિલોચનની પુત્રી સુલોચના હતી. રાજકુમારી સુલોચનાનું સાંદ અલૈકિક હતું. માનવ સૌદર્યમાં તેણે અગ્રપદ મેળવ્યું હતું. પણ કર્મયોગે તે જન્માંધ હતી. તેનાં પ્રેમી માતાપિતાએ પુત્રી પ્રેમને વશ થઈ તેણીનું નામ સુચના પાડયું હતું, પણ તે નામ આ મનહર બાળામાં કૃતાર્થ નહતું. કઈ જ્ઞાનીએ ભવિષ્યમાં તે સુલોચના થશે, એવી સૂચના કરવાથી પુત્રીવાત્સલ્યને વશ થયેલા રાજા ત્રિલોચને તે નામ કાયમ રાખ્યું હતું. જ્યારે સુચના પ્રાતઃકાળે પિતાના અંધપણાને અસ કરતી હતી, તે વખતે તેની માતા ગુણસુંદરી આવી ચડી હતી. પુત્રીનો વિલાપ સાંભળી તેણીનું હદય ભરાઈ આવ્યું હતું, તેણીનાં નયનમાંથી અશ્રુધારા ચાલતી હતી. પુત્રી વત્સલા માતા પિતાની જન્માંધ પુત્રીને જોઈ, પ્રતિદિન અપાર શક કરતી હતી. સુલોચનાની પાસેથી ગુણસુંદરી પોતાના પતિ ત્રિલોચન રાજા પાસે આવી, પ્રિયા ને અશુપૂર્ણનયના જોઈ, રાજાએ કહ્યું, પ્રિયા ! પ્રાતઃકાળમાં આવું અમાંગલ્ય કેમ કરો છો ? શયામાંથી ઉઠયાં ત્યારે મુખચંદ્ર ઉપર હર્ષમય કિરણો સ્પરતાં હતાં, અને ક્ષણવારમાં તે કેમ બદલાઈ ગયાં ? પતિના આવા પ્રશ્ન સાંભળી રાજમણું ગુણસુંદરી બોલી, પ્રાણનાથ! શવ્યામાંથી ઉઠીને હું સુલોચના પાસે ગઈ હતી. ચતુર પુત્રી પિતાના જન્માંધ પણાને અફસોસ કરતી ઉઠતી હતી. પ્રાણેશ ! ગમે તેમ કરી એ પ્રિય પુત્રીને દુઃખમાંથી મુક્ત કરાવે. કદિ અર્ધ રાજ્ય કે અનગળ દ્રવ્યને વ્યય થાય, તે પણ એ કાર્ય આપણે મહાન પ્રયાસથી કરવું જોઈએ. આવી અંધ પુત્રી માવજીવિત ઘરમાં રહે, તે અતિ કષ્ટ છે. રાજપુત્રીની જિંદગી નિષ્ફળ થાય, એ આપણને નામેશી છે. ગમે તે ઉપાય કરી એ રાજકુમારીને દુઃખમાંથી મુક્ત કરે. પુત્રી વાત્સલ્ય પૂર્ણ રીતે પ્રકાશ કરો, અને પિતાની પવિત્ર પદવીને કૃતાર્થ કરે. રાણી ગુણસુંદરીનાં આવાં વચન સાંભળી રાજા ત્રિલેચનના હૃદયમાં ઘણી અસર થઈ આવી. પુત્રીને અંધ૫ણુના દોષમાંથી મુક્ત કરાવવા પ્રયાસ કરવાને તેણે હદયથી નિશ્ચય કર્યો. રાજાએ હદયથી કહ્યું, પ્રિયા ! તમારાં વચન સાંભળી મારા હૃદયમાં ઘણી અસર થઈ છે. સુચના જેવી સુદર પુત્રી અંધ થઇ અંતઃપુરમાં રહે, એ મને ઘણી નામોશી છે. મહાન પ્રયાસ કરી એ રાજપુત્રીને દુઃખ મુક્ત કરવી જોઈએ. જ્યાં સુધી સુચના અંધપણાનું દુઃખ ભોગવે છે, ત્યાં સુધી મારા જીવિતને ધિક્કાર છે. જગતમાં ત્રિલેચન રાજા નિંદાનું પાત્ર છે. પ્રિયા !હવે સત્વર તેને ઉપાય કરવા હું પ્રયાસ કરીશ. આટલું કહી રાજા ત્રિલોચન ત્યાંથી બેઠો થયો, સભા મંડપમાં આવી તેણે પોતાના મુખ્ય મંત્રીને બોલાવ્યો. ક્ષણવારે મંત્રી હાજર થયો, એટલે રાજા ત્રિલોચને આજ્ઞા કરી–સચિવમણિ! આજે માહેંદ્રનગરમાં એવી આઘેષણ કરાવે છે, “ જે કે પુરૂષ દિવ્ય વિદ્યાથી, મણિ, મંત્ર, કે આષધીના પ્રયોગથી રાજપુત્રી સુલોચનાને ખરેખરી સુલોચના કરશે, તેને અર્ધ રાજ્ય, તે પુત્રી અને સર્વ પ્રકારની મિત્રતા સાથે સત્તા આપવામાં આવશે. ” રાજાની આવી આજ્ઞા મસ્તક ઉપર ચડાવી મંત્રી વિદાય થયા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy