SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ દુષિત સાં. ૧છી પ્રકરણ ૩૯ મું, દુષિત સાં. પ્ર : તકાળને સમય હતે, ગગનમણિમાંથી કીરણોને પ્રકાશ વિશ્વને સુવર્ણરંગી " કા કરતે હો, પ્રવૃત્તિમાન પ્રવાહ માં પ્રવર્તતો હતો, ગાઢ અંધકા &ી રમાંથી મુક્ત થએલું જગત અનેક આનંદની આશાઓ બાંધતું હતું, Bક છે નિશાપતિ પોતાની રાત્રિરમણીના વિયોગથી નિસ્તેજ થઈ, શક પ્રદર્શિત કરતે હેય, તેમ દેખાતે હતો. આ સમયે એક સુંદર મુગ્ધા જાગ્રત થઈ હતી; પણ તેના નેત્રનું અંધકાર દૂર થતું નહતું, તે જન્મથી જ ઘોર અંધકારમાં મમ હતીવિધાતાની પ્રકાશ શક્તિને તે બીલકુલ જાણતી નહતી; એ બાળા જન્મથી અંધ હતી, તેનું સૌંદર્ય અનુપમ હતું, પણ આ મહાન દેશથી તે દૂષિત હતું. અંધત્વ આપનારી કર્મ પ્રકૃતિની તે ભોગ થઈ પડી હતી. નગ્રત થયા પછી એ બાળા અફસોસ કરતી બેલી કે, અરે કર્મરાજે ! તારી સત્તા સર્વોપરી છે. સર્વ જાતનાં જંતુજાળ ઉપર તારૂં એક ચારાજ્ય ચાલે છે. સ્થાવર જંગમ સર્વ પદાર્થ તારી અનુëધ્ય આજ્ઞાને તાબે છે, તારી ઇચ્છાથી માનવમંડળ પ્રવર્તી છે. રંક રાજા થવાને, અને રાજા રંક થવાને તારી આગળ ઉભા છે; આ વિશ્વની ચમત્કારી મહા વિદ્યા તારા એક દેશમાં રહેલી છે, એ મહા વિદ્યાનો અધ્યાપક તું મહારાજા એકજ છું. અરે રાજા ! લોકો તેને વિધાતા નામથી પણ ઓળખે છે, અને દુઃખી લેકે તને નિર્દય કહી બોલાવે છે. જૈન તત્વ શાસ્ત્રનું થોડું ઘણું જ્ઞાન મેં સાંભળી સાંભળી તારું સ્વરૂપ જાણ્યું, તેથી હું તને નિર્દય કહેતી નથી. તથાપિ મારા સ્વાર્થને લઈ દુઃખથી એટલું તો કહેવું પડે છે કે, મારા દુઃખને અંત ક્યારે આવશે? રાજાને ઘેર જન્મ થવાથી રાજકુમારી કહેવાઉં છું. તે સાથે લેકે મારા સૈદયને વખાણે છે, જે સૈદિર્ય કેવું છે, તે મારા જેવામાં આવ્યું નથી. પ્રત્યેક પ્રેક્ષક મને જોઈ નિઃશ્વાસ મુકે છે અને તારી ઉપર વિવિધ ગાળે અને શાપની વૃષ્ટિ કરે છે, કર્મપતિ ! હવે તારી કૃપા ક્યારે થશે ? તને અનુકૂળ કરવાને મેં આહંત ધર્મનું શરણ લીધું છે. આ પ્રમાણે તે મુગ્ધા શયા ઉપર બેઠી બેઠી શેકે દુગાર કાઢતી હતી, તે વખતે એક પ્રઢ વયની સ્ત્રી તેની પાસે ઉભી ઉભી સાંભળતી હતી. તે સાંભળતાં તેણીના નેત્રમાંથી અશ્રુધારા ચાલતી હતી. ક્ષણ વાર પછી રૂદન કરતી તે પ્રઢા ત્યાંથી ચાલી ગઈ. વાંચનારને જાણવાની ઉત્કંઠા થઈ હશે. તે અફસેસ કરનારી મુગ્ધા કેણું હશે? તેને શોકેદગાર સાંભળી રૂદન કરતી ચાલી જનારી પ્રેઢા પણ કેણ હશે ? એ મુગ્ધા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy