________________
૧૯૦
આનંદ મંદિર, સુવર્ણ મુદ્રાના લાભથી રત્નાકર અતિ બળ કરી, તે વસ્ત્ર ખેંચવા લાગ્યો, તથાપી શિલા નીચેથી તે કાઢી શકે નહીં. તેણે પ્રસ્વેદ ઉત્પન્ન થાય તેવી રીતે શરીરને ઘણે પ્રયાસ આપે, તથાપિ શિલા નીચેથી વસ્ત્રો નીકળી શકયાં નહીં. તે પછી પેલા પાંચ મુસાફરો અતિબળથી અને બાહર કાઢવા મથ્યા, તેમનાથી પણ શિલા ચલાયમાન થઈ નહીં, જ્યારે તેઓ શાંત થઈ ઉભા રહ્યા, એટલે બળિષ્ટ રાજકુમારે તે સર્વની સમક્ષ શિલા નીચેથી તે વ ખેંચી લીધાં. વસ્ત્રની સાથે તેને ગુટિકાને અલભ્ય લાભ મળી ગયો. તેના મનમાં વાંછિત લાભ મળવાથી અપાર હર્ષ ઉત્પન્ન થયો. પછી રાજકુમારે આમ્રફળ મંગાવ્યાં, તે વડે સર્વને તપ્ત કર્યા. દુષ્ટ રત્નાકર નિસ્તેજ થઈ ગયે, વસ્ત્રની સાથે બાંધેલી ગુટીક જવાથી તેના મનમાં અતિશે ખેદ ઉત્પન્ન થયો. જે તે ગુટીક જાહેર કરી માગી લે, તે રાજકુમાર તેને આપે તેમ નહોતો, પેલા પાંચ મુસાફરોની સાક્ષીએ તેણે પ્રથમથી જ ઠરાવ કર્યું હતું કે, જે તે વસ્ત્રને ખેંચી લે, તે વસ્ત્રને સ્વામી થાય. રત્નાકરે મનમાં વિચાર્યું કે, આ કુમાર બળવાન છે, તે જે ગુટિકાને પ્રભાવ જાણે, તો પછી મારી ગુપ્ત ગુફાને ઓળખી લે, માટે હાલ કાંઈ પણ કહેવું નહીં, હળવે હળવે યુક્તિ કરી તેની પાસેથી તે મેળવી લઇશ, આવું ચિંતવી રત્નાકર કાંઈ પણ બે નહીં.
આ પ્રમાણે પેલા પાંચ મુસાફર કે જેઓ ચોર હતા, તે અને રત્નાકરની સાથે શ્રીચંદ્રકુમાર અનેક જાતની ગંમત કરતે હતો, તેવામાં દૂરથી એક મેટે કોલાહલ સાંભળવામાં આવ્યું. તે કોલાહલ નાયકપુરના રાજાનાં માણસોને હતો. તેઓ ચોરની શોધમાં કરતા હતા. તે કોલાહલ સાંભળતાં જ પેલા પાંચ શેર જીવ લઈને નાશી ગયા. રત્નાકર પણ ભય પામતો પલાયન કરી ગયે. તે વખતે શ્રીચંદ્રકુમાર પેલી સિદ્ધ ગુટિકા મુખમાં રાખી, અદશ્ય થઈ વૃક્ષ ઉપર ચડીને ઉભો રહ્યો. રાજસેવોએ ત્યાં આવી જોયું, એટલે કાઈ ચેર લોક જોવામાં આવ્યા નહીં, તેઓ તેમને પગલે પગલે આગળ શોધવાને ચાલતા થયા.
શ્રીચંદ્રકુમાર એ સ્થાનને નિશાનીથી ધ્યાનમાં રાખી વિદેશનાં કૌતુક જેવાને ત્યાંથી પ્રસાર થઈ ગયે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org