________________
મંત્ર ગુટિકા. ખરેખરી અકારણ બંધુતા દર્શાવી આપી. ઘણે આગ્રહ કરતાં પણ જ્યારે શ્રીચંદ્ર કાંઈપણ લીધું નહીં, ત્યારે રવિદત્ત વિનયથી બે – ઉપકારી મહાશય ! આપે કરેલા ઉપકારને બદલે મારાથી શી રીતે વળશે ? જ્યારે આપ મારી પાસેથી કાંઈપણ ઉપહાર લેતા નથી, તે છેવટે મારી એક પ્રાર્થના છે, તે આપ સ્વીકારશે. તમારા જેવા મહેપારી મહાશયનું મને સર્વદા સ્મરણ રહે, તેથી આપના નામની મુદ્રા અને અર્પણ કરો. શ્રીચંદ્ર સ્નેહથી પોતાની નામમુદ્રા રવિદતને આપી, પિતાની ધર્મબેન શિવમતીની રજા લઈ શ્રીચંદ્ર ત્યાંથી ચાલી નીકળ્યો. લેકેના સુખને માટે પેલા રત્નાકર ચોરને નિગ્રહ કરવાની તેની ઇચ્છા થઇ, તેથી શ્રીચંદ્ર પાછો તે ભયંકર ગુહા તરફ ચાલ્ય.
પેલો દુષ્ટ ચોર રત્નાકર ગામમાંથી આવી, ગુહા પાસે આવ્યો ત્યાં ગુહાનું દ્વાર શિલા રહિત જોઈ આશ્ચર્ય પામી ગયે. અંદર પ્રવેશ કરી જુએ, ત્યાં તે સ્ત્રીને પણ જોઈ નહિ, આથી તેના મનમાં મોટી ચિંતા ઉત્પન્ન થઈ કે, મારા ગુપ્ત દ્વારમાં કાણું આવ્યું હશે ? આ ગુપ્ત સ્થળમાં કોઈથી આવી શકાય તેમ નથી. મારી ગુફાના દ્વારની શિલા મારા શિવાય ઉધાડી શકે તેવો કે હશે ? આમ ચિંતવતે ગુહાની બહેર આવ્યો. ચારે તરફ જેવા માંડયું, ત્યાં શ્રી ચંદ્રકુમારને આવે . રત્નાકર ચારે વિચાર્યું કે, આ કઈ ચોર હશે, તેને અહીં બેલાવું. રત્નાકરે તેને પાસે બેલાવીને કહ્યું – ભાઈ ! તમે કોણ છો ? અને તમારું નામ શું છે ? શ્રીચંદ્ર યુક્તિ કરી છે મારું નામ લક્ષ્મીચંદ્ર છે, હું એક સ્વેચ્છાચારી મુસાફર છું. તમે કોણ છે ? અને તમારું નામ શું છે? રત્નાકર બો –મારું નામ રત્નાકર છે, હું એક પરોપકારી પુરૂષ છું. તે સાંભળી શ્રીચંદે કહ્યું, તમારા જેવા પરોપકારી મિત્રને જોઈ હુ ખુશી થયે છું. મિત્ર ! તમારા મુખ ઉપર ગ્લાનિ કેમ દેખાય છે ? એવી શી ચિંતા છે ? તે કૃપા કરી જણાવશો. રત્નાકરે કલ્પિત ઉત્તર આવે. મિત્ર ! મારા મસ્તક પર કાર્યને બેજો ઘણો છે. પરકાર્યની ઉપાધિને લઈ મારું મુખ સર્વદા ગ્લાનિને ધારણ કરે છે.
આ પ્રમાણે તેઓ બંને વાતચિત કરતા હતા, ત્યાં કોઈ પાંચ મુસાફરો આવી ચડ્યા. તેમને જોઈ આ ઠગારા ચોરે વિચાર્યું કે, જે બને તે આ પુરૂષને ઠગી લેવા, તેમની પાસે કાંઈ દ્રવ્ય હશે, આવું વિચારી રત્નાકરે તેમને પ્રેમથી બેલાવ્યા, પરસ્પર સુખપૃછા કરવામાં આવી. મુગ્ધ હૃદયના તે મુસાફરો રત્નાકરનાં વંચક વચનોથી ભોળવાઈ ગયા. તે મુસાફરોને જેયા, એટલે દુષ્ટ રત્નાકરે પોતાની પાસે રાખેલી પેલી સિદ્ધગુટિકા છુપી રીતે પોતાના માથાના ફેંટાની સાથે બાંધી લીધી, તે શ્રીચંદ્રકુમારના જોવામાં આવી. ચતુર કુમારે નિશ્ચય કર્યો કે, હવે કઈ યુક્તિ કરી આ ગુટિકા છીનવી લેવી, જેથી ઘણું લોકોનું કલ્યાણ થાય. આવું ચિંતવી શ્રી ચંદ્ર બોલ્ય-મિત્ર રત્નાકર ! મારે તમારી સાથે ગમ્મત કરવી છે, એમ કહી તેને ફેંટ પતે હાથમાં લીધે, તેની સાથે પિતાનું વસ્ત્ર રાખી બંને વસ્ત્ર એક શિલા નીચે દબાવ્યાં. પછી કહ્યું કે, આપણામાંથી જે કઈ આ શિલા નીચેથી વસ્ત્ર ખેંચી લે, તેને હું એક સુવર્ણ મુદ્રા આપીશ, અને જે જે વસ્ત્ર ખેંચી લે, તેને તે વસ્ત્ર પણ મળશે. આ ઠરાવમાં પેલા પાંચ મુસાફરોને સાક્ષી રાખવામાં આવ્યા, પછી ચતુર શ્રીચકે બે વસ્ત્ર લઈ શિલાની નીચે દબાવ્યાં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org