________________
૧૬૮
આનંદ મંદિર.
ઘરમાં તેજ રાત્રે ચોરી થતી હતી આ અદ્દભુત બનાવથી ગામમાં હાહાકાર થઈ રહ્યા હ, લોકો દુઃખી થઈ નાયકપુરને છોડી ચાલ્યા જવાને તૈયાર થઈ ગયા. રાત્રે કોઈ સુખે
તું નહીં, તે નિર્દય ચોરને ભયંકર ત્રાસ વર્તાઈ ગયે. બધુ ! આથી કરીને નાયકપુર ના રાજાએ ફેધ કરી મારા સ્વામિ રવિદત્તને બોલાવીને કહ્યું કે, મંત્રી ! ગમે તેમ કરીને આ ભયંકર અને ચમત્કારી ચોરને પકડી લાવો. નહીંત મંત્રીપદ છેડી છે. અથવા મારી શિક્ષા સહન કરો. રાજાનાં આવાં વચન સાંભળી મારા શાંત પતિ કંપી ચાલ્યા, તેણે પ્રાણ જાય તોપણ ભલે, એવો નિશ્ચય કરી તે ચોરને પકડવાનું કાર્ય માથે લીધું. તે પિતાનું ઘર ખાલી રાખી, મને એકને તેમાં રાખી ચોરની શોધ માટે રાત દિવસ ભમવા લાગ્યા. મારા પતિને નિશ્ચય જાણી એ ઈર્ષાળુ દુષ્ટ ચેર મારા ઘરમાં આવ્યું. ઘર ખાલી કરેલું હતું, કાંઈ પણ દ્રવ્ય કે વસ્તુ હાથ આવી નહીં, પછી તે દુર મને ઉપાડીને અહિં લાવ્યા છે. પ્રિય ભાઈ ! ત્યારથી હું એ દુષ્ટના પજમાં સપડાણી છું. મારે એક બાળપુ. ત્ર છે, તેની શી દશા થઈ હશે ? પતિ અને પુત્રના વિયોગે હું અહિં કષ્ટ દશા ભોગવું છું. એ દુષ્ટ ચોરે મને આ ભયંકર કારાગૃહમાં નાખી છે. પુણ્યયોગે હું અદ્યાપિ પવિત્ર રહી છું. સદૈવની અનુકૂળતાથી મારા શીળને હું સાચવી શકી છું. હાલા ભાઈ ! જો શક્તિ હોય તે મારી સહાય કરશે. એ દુષ્ટ ચોર કોઇનાથી પરાભૂત થાય તેવો નથી. તે ચેરનું નામ રત્નાકર છે, તેની પાસે એક સિદ્ધ અંજન ગુટીકા છે, તેના પ્રભાવથી તે અદશ્ય થઈ શકે છે. કૃપાળુ બંધુ ! આપના વિશાળ લલાટ ઉપર ક્ષાત્ર તેજ ચળકી રહ્યું છે, આપનું સામર્થ્ય, આકૃતિ ઉપરથી દેખાઈ આવે છે. દયા લાવી આ દુ:ખી બેનની રક્ષા કરે મારા બાળપુત્રના મુખનું દર્શન અને કરાવે, આ પ્રમાણે કહી તે રમણી ઉચે સ્વરે રૂદન કરવા લાગી.
વાંચનાર ! અધીરા થશો નહીં, આ તરૂણ પુરાય તે આ વાર્તાનો નાયક શ્રીચંદ્રકમાર હતા. લક્ષ્મીદત્ત શેઠની લુબ્ધતાથી કંટાળી કુશસ્થલીનગરીને છોડી ચાલ્યા પછી આ ભયંકર અટવીમાં તે આવી ચડયો હતો, એ ધર્મવીર શ્રી ચંદ્રને આ ગુહામાં તે દુઃખી સ્ત્રીને સમાગમ થઈ આવ્યો હતો, તે બાળાને દુઃખી જોઈ, તેના દયાળુ હદયમાં ઘણી અસર થઈ હતી.
શ્રીચંદ્રકુમાર-ધર્મ ભગિની ! રૂદન કરે નહીં, હું તમારો ધર્મ બંધુ છું, કઈ જાતની ચિંતા રાખશો નહીં. હું વિદેશી છું. સર્વદા મને રૂચે ત્યાં હું ભણું છું. યથાશક્તિ તમને સુખી કરવાનો હું પ્રયત્ન કરીશ. બેન ! મારી સાથે ચાલો, હું તમને તમારે ઘેર પહોંચાડું. તે દુષ્ટ ચેર આવ્યા પહેલાં આપણે ચાલ્યા જઈએ તો સારું. શ્રીચંદ્રનાં આવાં વચન સાંભળી શિવમતી સત્વર તૈયાર થઈ. શ્રીચંદ્ર શિવમતીને લઈ નાયકપુરમાં આવ્યા. ત્યાં તેને ઘેર પહોંચાડી, તેને પતિ રવિદત્ત પિતાની સ્ત્રીને જોઈ અપાર આનંદ પામ્યો. શિવમતીએ પિતાના ઉપકારી રાજકુમારની પ્રશંસા કરી, એટલે રવિદત્ત શ્રીચંદ્રના ચરણમાં પશે. અત્યંત પ્રેમ લાવી, તેને સત્કાર કર્યો, અને પોતાના તરફથી સુવર્ણ દ્ર. બને બદલે તેને આપવા માંડ્યો. ઉપકારશળ શ્રીચંદે તે લેવાની ના પાડી, અને પિતાની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org