________________
મંત્ર ગુટિકા.
૧૬૭ વિશ્રાંત થઈ બેઠો, ત્યાં એક પુરૂષની છાયા તેના જોવામાં આવી, પ્રકાશિત રાત્રિએ તે છે ને અનુસારે તેણે ચોતરફ જવા માંડયું, પણ કેઈ આકૃતિ જોવામાં આવી નહીં, તેના મનમાં આશ્ચર્ય ઉત્પન્ન થયું, તેણે ચિંતવ્યું કે, “ આ કેઇ સિદ્ધ પુરૂષ લાગે છે, અંજનાદિકના યોગથી તેણે પિતાની આકૃતિ છુપાવી છે, માટે ચાલ તેની પછવાડે જાઊ. “આવું ચિંતવી તે તરણ પુરૂષ તેની પછવાડે ગયે. આગળ જતાં વૃક્ષોની ઘાટી ઝાડી આવી, એટલે તે ત્યાં ઉભો રહ્યા. એમ કરતાં સૂર્યોદય થયો. સૂર્યના પ્રકાશથી પૃથ્વી ઉપર પગલાં પડેલાં જોવામાં આવ્યાં. તેને અનુસાર તે યુવાન આગળ ચાલ્યો. ત્યાં એક મહા પર્વત આવ્યો. પર્વતની પાસે તે પગલાંની શ્રેણી એક ગુફા તરફ પડેલી જોઈ, તે ગુદાની પાસે આવ્યો. અહિં પ્રવેશનાં પગલાં તેના જેવામાં આવ્યાં, પણ નીકળવાનાં જોવામાં આવ્યાં નહીં, આથી તે પુરુષ નીકળવાની રાહ જોઈ ત્યાં રહ્યા. તેની પાસે એક સ્વચ્છ જળની વાપીકા હતી, તેમાંથી જળ લઈ ફળાહાર અને જળપાન કરી તે યુવાન ત્યાં એક વૃક્ષ નીચે પેલા પુરૂષની રાહ જોઈ બેઠો.
દિવસના ત્રીજે પાર થશે. એટલે તે ગુહામાંથી એક તરૂણ પુરૂષ નીકળે, તેના વેષ ઉપરથી તે એર હોય તેમ દેખાતો હતો. વાપીકામાં આવી તેણે જળપાન કર્યું, પછી પિલી ગુહા ઉપર એક શિલા આડી મુકી પાછો વાપિકામાં આવ્યું. ત્યાં સ્નાન કરી એક વસ્ત્રની ગાંઠ છોડી તેમાંથી એક પ્રભાવિક ગુટિકા લઈ મુખમાં આરોપણ કરી. તત્કાળ તે ગુટીકાના પ્રભાવથી અદશ્ય થઈ ગયો. પછી આગળ કઈ નગર તરફ ચાલ્યો. છાયાને અનુસારે પેલે તરૂણ પુરૂષ પણ તેની પાછળ ચાલ્ય, પેલે ગુટીકાના પ્રભાવથી વેગવડે દોડવા લાગ્યો, એટલે આ તરૂણ પુરૂષ પાછો વળ્યો, જ્યાં પેલી તેની ગુફા હતી, ત્યાં આવ્યો. તે બળવાન પુરૂષે બળથી ગુહા ઉપરની શિલા ઉખેડી નાંખી, અને મેટી હીંમત ધરી અંદર દાખલ થયો. ગુહાની અંદર કેટલેક દૂર જતાં એક રત્નભરિત સુંદર ઘર જોવામાં આવ્યું, તેની અંદર એક સાંદર્યથી સુશોભિત અને પ્રઢ તેજથી પ્રકાશિત મને હર બાળા જોવામાં આવી. આ તરૂણ નરને જોઈ બાળ ચમકી ગઈ, એટલે તે પવિત્ર પુરૂષ બોલ્ય–બેન ! તમે કોણ છો ? આવા ભયંકર સ્થાનમાં કયાંથી આવ્યાં છે ? અને એકલાં કેમ રહે છે ? બાળા ! મારાથી ભય પામશો નહીં, મને તમારો ભ્રાતા જાણજો.
તે પુરૂષની ભદ્ર આકૃતિ જોઈ એ સુંદરીને પુર્ણ આશ્વાસન મળ્યું. તેણીનાં નેત્રમાંથી અશ્રુધારા ચાલવા લાગી, રૂદન કરતી એ રમણી વિનયથી બેલી–ભાઈ ! હું સંપૂર્ણ દુઃખી છું, મારું ચરિત્ર કષ્ટ ભરેલું છે. આપનું આ હૃદય જોઈ મને કહેવાની પ્રેરગાં થાય છે. અનાથ બંધુ ! નાયકપુરમાં સારથિપતિ નામે એક બ્રાહ્મણ રાજા છે, તેને રવિદત્ત નામે મંત્રી છે, તેની શિવમતી નામે હું પત્ની છું. એ નગરમાં હમેશાં અદૂભૂત ચોરી થતી હતી, તે ચેર ગામમાં ચોરી કરીને વિચિત્ર રીતે સંતાઈ જતો હતો. રાજ દ્વિજપતિએ ઘણી ચોકીઓ રાખી, પણ કોઈ રીતે તે સિદ્ધ ચર પકડવામાં આવતો નહતો. રાજાએ તેને પકડવા માટે અનેક યુક્તિ કરી, અને મોટાં મોટાં ઈનામ જાહેર કરાવ્યાં, તો પણ કોઈ તેને પકડી શકતું નહતું. જે કોઈ પકડવાની હીંમત કરે, તેનાજ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org