________________
૧૬૬
આનંદ મંદિર. તૃતીય ખંડ પ્રકરણ ૩૮ મું. મંત્ર ગુટિકા,
એ ક ભયંકર જંગલમાં વિવિધ જાતનાં વૃક્ષની શ્રેણી આવેલી છે, એક કatી તરફ નાની નાની ટેકરીઓ જાણે મહા ગિરિની પુત્રીઓ હય, તેમ
( શ્રેણીબંધ ઉભેલી છે, આસપાસ પશુ પક્ષીઓનીજ વસ્તી રહેલી છે,
આ ક્ષણેક્ષણે વનવાસી મૃગના ભયંકર ધ્વનિ થાય છે, એક તરફ ગિરિમાંથી નિર્મળ જળનાં ઝરણાંઓ મધુર ર વહે છે, કોઈ કઈ સ્થળે પવનથી મૃત્ય કરતાં વૃક્ષમાંથી અદ્દભુત અવાજ ઉદ્ભવે છે, વનનાં વિકરાળ પ્રાણીઓના ગર્જરવથી ગિરિગુહાઓ ગાજી રહી છે, પવનના પ્રચંડષ્યની સાથે મિશ્ર થયેલે શુષ્કપણને પટવની પ્રસરી રહ્યા છે, આવા ઘોર અરણ્યમાં એક તરૂણ પુરૂવ હદયમાં અનેક તરંગ કરતો ચાલ્યો જતા હતા. તેના ઘવાળા હૃદયમાં જરા પણ ભયને અવકાશ મળતું ન હતું. તેના પવિત્ર હૃદયમાં ધર્મ ભાવના જાગ્રત હતી, પરમેષ્ટી મંત્રને મહાજપ તે જપતે હ, અંતરંગમાં આહંત ધર્મની મહાયોત પ્રકાશતી હતી, રોમ રેમ અહંતપ્રભુની ભક્તિનો પ્રકાશ વ્યાપી ગયો હતો, એ ધર્મવીર વૈભવને તૃણવત્ ગણી, અને વિષયના લાલિત્યને અસાર માની આ નિર્જન અરયમાં વિચરતું હતુંતેના હૃદયમાં કોઈ વાતને મેહ ઉત્પન્ન થયો નહતો.
કેટલેક દૂર જતાં સાયંકાળને સમય તેના જોવામાં આવ્યો. ગગનમણિને રથ અસ્તગિરિના શિખર તરફ વળતા હતા, પક્ષીઓ મધુર ધ્વનિ કરતાં પોતાનાં વાસસ્થાનમાં એકઠાં થઇ વિશ્રાંતિ લેવા આવતાં હતાં, અંધકારરૂપ મલિન રાજા પિતાનું મહાસૈન્ય લઈ વિશ્વને આક્રાંત કરવા આવતો હતો. આ સમયે તે ધાર્મિક વિશે વિચાર્યું કે, આ અરણ્ય હા વિશાળ લાગે છે, કોઈ ગામ કે નગર નજિક જોવામાં આવતું નથી, તેથી અહિં કોઈ વૃક્ષ તળે વિશ્રાંતિ કરી નિશા નિર્ગમન કરવી યોગ્ય છે. આવા ભયંકર જંગલમાં મંગલરૂપ પરમેષ્ટી મંત્રીનું શરણ લેવું ઊંચત છે. તેના હૃદયમાં “ઘર્મો રક્ષતિ રક્ષિત:” એ મહાવાક્ય સ્યુરી આવ્યું. તત્કાળ એવો નિશ્ચય કરી તે તરૂણ પુરૂષ એક છાયાદાર વૃક્ષ નીચે વિશ્રાંતિ લેવા બેઠા.
કેટલીએક ઘડી રાત્રિ ગયા પછી ચંદ્રને ઉદય થયે, મહારાજા નિશાકરે પિતાનાં કરણોના પ્રકાશથી રાત્રિ રાણને શણગારી દીધી. નિશા નારીએ આછા આછા તારારૂપ અલંકાર ધારણ કરવા માંડયા. આ વખતે તે યુવાન પુરૂષ વિશ્રાંત થવાને વૃક્ષ ઉપર ચડી ગયો. ભૂમિ ઉપર રહેવા કરતાં તેને વૃક્ષ ઉપર રહેવું વિશેષ યોગ્ય લાગ્યું. વૃક્ષની શાખામાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org