________________
અંતર્ધટનું ઉદ્દઘાટન.
૧૬૫ શ્રી ચંદ્રકુમાર એક વર્ષ પછી આવશે, અને તે રાણ સૂર્યવતીને ગુમ થએલે કુમાર હતા આ વાર્તા શેરમાં ફેલાવાથી લેકેમાં આનંદ ઉત્સવ થઈ રહ્યું. શ્રી ચંદ્રકુમાર ભવિષ્યમાં પિતાને રાજા થશે, એવા ઉમંગથી લોકો હર્ષના આવેશમાં આવી ગયાં. ચાટે, ચકલે, અને શેરીએ શેરીએ આનંદ મંગળ વર્તાઈ રહ્યા, રાજા પ્રતાપસિંહ અને રાણી સૂર્યવતીએ ચંદ્રકળાને લાવી, પુત્રવધુ તરીકે માન આપ્યું, પવિણ ચંદ્રકળાને મહારાજાના અંતઃપુરમાં નિવાસ સ્થાન આપ્યું, લક્ષ્મીદા શેઠને દુઃખ ન લાગે તેવા હેતુથી ચંકકળા કઈ વાર થોડા દિવસ સુધી તેમને ઘેર પણ રહેતી હતી, પિતાના ધર્મવીર પતિની રાહ જોઈ આહત ધર્મનું આરાધન કરતી હતી. એ સદ્ગુણી રાજશ્રાવિકાએ નિશ્ચય કર્યો હતો કે, ધર્મના પ્રભાવથી સર્વ સંપત્તિ, રૂપ, ભાગ્ય, સૌભાગ્ય, અને સત્કીર્તિ પ્રાપ્ત થાય છે. ધર્મના પસાયથી રોગ, વિપત્તિ, સંકષ્ટ, અને કલેશ દૂર થાય છે. એ મહાશયા રાજમહેલમાં રહી, ધર્મ આરાધન કરતી, પતિનું શ્રેય ચિંતવતી, અને સર્વદા નીચેના લોકનું સ્મરણ કરતી હતી.
धर्मोऽयं धनवल्लभेषु धनदः कामार्थिनां कामदः सौभाग्यार्थिषु तत्पदः किमपरं पुत्रार्थिनां पुत्रदः । राज्यार्थिष्वपि राज्यदः किमथवा नानाविकल्पैःकृतै, स्तक्कि यन्न करोति किंतुं कुरुते स्वार्गापवर्गावपि ॥ १ ॥
ધર્મ, જેમને ધનની ઇચ્છા હોય તેમને ધન આપે છે, કામના અથઓને કામ આપે છે, સૌભાગ્યના અર્થઓને સૌભાગ્ય આપે છે, પુત્રની કામનાવાળાને પુત્ર આપે છે, અને રાજ્યની ઈચ્છાવાળાઓને રાજ્ય આપે છે, અથવા એવા વિવિધ જાતના વિકલ્પ કરવાથી શું ? એવું શું છે કે, જે ધર્મ કરી શકતો નથી ? તે સ્વર્ગ અને મોક્ષને પણ આપે છે.
| દ્વિતીય ખંડ સમાપ્ત .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org