SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ આનંદ મંદિર, કે નહીં ? એ રાજકુમાર વણિકગૃહમાં રહેવાનું કેમ પસંદ કરશે ? રાજ્ય લક્ષ્મીના વિલા સમાં મગ્ન થઈ એ અમને તદ્દન ભુલી જશે. 1. સૂર્યવતી હૃદયમાં આનંદ પામી, ગુરૂને પ્રેમપૂર્વક વંદના કરી બલી-મહા મુનિ ! હવે એ કુમાર મને ક્યારે દર્શન આપશે ? તે કૃપા કરી જણાવશે. આપે મારા મનની ભ્રાંતિને નિર્મળ કરી છે. આપ મહાશયના જ્ઞાનતેજથી મારૂ૩ ચિરકાળનું અંધકાર દૂર થઈ ગયું છે; પણ સાંપ્રતકાળે એ શ્રીચંદ્ર અમને વિયોગાગ્નિમાં મુકી ચાલ્યો ગયે છે, તેથી તેના સમાગમને મહાન લાભ અમને ક્યારે પ્રાપ્ત થશે ? તે જાણવાની પ્રબળ ઈચ્છા છે. જ્ઞાનરૂ૫ દિવ્યમણિથી પ્રકાશિત એ મહાનુભાવ મુનિ મંદ હાસ્ય કરતા બોલ્યા-રા જશ્રાવિકા ! ચિંતા કરશે નહીં. તમારે કુમાર શ્રીચંદ્ર સુખી છે. આજથી ખક વર્ષે તેને સુખદાયક સમાગમ તમને પ્રાપ્ત થશે, ત્યાં સુધી જ તમારે પુત્ર વિયોગનો અધ છે. એ મહાનુભાવ રાજકુમાર તમારાં રાજકુટુંબને આનંદરૂપ થશે. છેવટે આત્મસ્વરૂપને અવલેકી, તે પોતાના આત્માને પણ શ્રેય શ્રેણીમાં આરૂઢ કરશે. ભારતવર્ષમાં એક અદ્વિતીય કેવળીપદ સંપાદન કરશે. | મુનિવરનાં આવાં વચન સાંભળી રાણી સૂર્યવતી, રાજા પ્રતાપસિંહ, અને લક્ષ્મીદત્ત, તથા લક્ષ્મીવતી પરમાનંદને પ્રાપ્ત થઈ ગયાં. મુનવરે આપેલાં આ સત્ય આવાસનાથી તેઓની વિયોગાગ્નિની જવાળા લગભગ નિર્વાણ પામી ગઈ, તેમની આશાલતા હૃદયરૂપ ક્યારામાં નવપલ્લવિત થઈ ગઈ, પતિપ્રાણુ ચંદ્રકળાને નવું જીવન પ્રાપ્ત થયું. પિતે એક રાજવીરની પત્ની છે, એમ જાણે તેણીના હદયમાં આનંદનો પાર રહ્યા નહીં હવે એક વર્ષ પછી તે એક મહારાણીની પદવીની અધિકારિણી થશે, અને ભવિષ્યમાં કુશસ્થળી પુરીના યુવરાજા અને અનુક્રમે મહારાજાની એક પવિણ પટરાણી થશે. આ મનોરથે તે ણીના અંતરંગમાં શીતળતાનો સંચાર કરવા માંડયો; સર્વ રાજકુટુંબ અને શ્રેષ્ટિકુટુંબ અતિ આનંદને પ્રાપ્ત થયું. ક્ષણ વાર પછી લક્ષ્મીદત શેઠે મુનિને વંદના કરી પુ. છયું–સ્વામી ! શ્રી ચંદ્રકુમાર ચાલ્યો ગયો, તેનું શું કારણ હશે ? મુનિ બોલ્યા-ભદ્ર ! તેનું કારણ તમે પિતે જ છો, તેણે આપેલા દિવ્ય રથને પાછો લેવાના તમારા આગ્રહે એ રાજકુમારના હૃદયને ભ કર્યો છે. તમારી વણિક જાતિના સ્વભાવે દર્શાવેલ લેભ, એ રાજવીરને કેમ પસંદ પડે ? આ સાંભળી લક્ષ્મીદા શેઠને પશ્ચાત્તાપ થયો. શ્રી ચંદ્ર જેવા ઉદાર અને સગુણી પુત્રને પિતે દુભાવ્ય, તેને માટે પિતાને શોક ઉત્પન્ન થયા. લક્ષ્મીદ. ત્તની મુખમુદ્રા પ્લાન જોઈ, રાજા પ્રતાપસિંહે કહ્યુંલેસ્ત્રશ્રેષ્ટિવર્ય ! તમે અોસ કરશો નહીં. સર્વ પ્રાણી માત્રને પ્રેરણા કરનાર કર્મ છે, કર્મના પ્રભાવથી પ્રાણી પરાધીન થઈ જાય છે, તેમાં તમારે કાંઈ પણ અપરાધ નથી. તમે તે માત્ર નિમિત્તરૂપ છે. આવાં રાજાનાં વયનથી લક્ષ્મીદા શેઠને જરા આશ્વાસન મળ્યું; સર્વે જૈન ધર્મનો જય બોલાવી પિતતાને સ્થાને ચાલ્યાં ગયાં. પરમજ્ઞાનધારી મુનિ ત્યાંથી બીજે વિહાર કરી ચાલ્યા ગયા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy