SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ અંતરંટનું ઉદ્દઘાટન. આ પ્રમાણે દેશના આપી મુનિ વિરામ પામ્યા, એટલે રાણી સ્વતી વંદના કરી વિનયથી બેલી–મુનિરાજ ! કેટલાંક વર્ષ પહેલાં મારે પુત્ર થયો હતો, મારા સપન્ન પુત્ર જયકુમાર વિગેરેના ભયથી મેં મારા બાળપુત્રને કોઈ ગુપ્ત સ્થાને રાખ્યો હતો, ત્યાંથી તે પુત્ર અકસ્માત ગુમ થઈ ગયેલ છે, તે ક્યાં હશે ? જે તેને પુષ્પના રાશીમાં રાખ્યો હતો, મારો અનાથ બાળપુત્ર કાના હસ્તમાં આવ્યો હશે ? આપ ત્રિકાળજ્ઞ છો, પરોપકારી છે, અને દુઃખી પ્રાણીઓના આધારરૂપ છો. મારા સંશયને છેદી દૂર કરશો. એ મારા રસ પુત્રનો સંગમ મને થશે કે નહીં ? મારું જીવન એ કુમારરત્નના દર્શન નથી કૃતાર્થ થશે કે નહીં ? એ આપ જ્ઞાનના પ્રભાવથી જણાવશે. ભવસાગરમાં મગ્ન રહેનારી, અને રાગ દશાને સર્વદા અનુભવ કરનારી, આ અધમ નારીને પુત્રમેહ અત્યંત દુઃખ આપે છે. સંવેગ રત્ન આપ કૃપા કરી તે વૃત્તાંત જણાવશે, તે મારા મેહમમ હૃદયને શાંતિ મળશે. ગૃહસ્થાવાસમાં રહી, ધર્મસાધન કરવામાં મને સંપૂર્ણ સહાય મળશે. આપ સારી રીતે જાણો છો કે, ગૃહસ્થાવાસી મનુષ્યોની રાગદશા પ્રબળ હોય છે, એ પ્રબળ રાગદશાને લઈને તેમને અનેક અંતરાયો ઉત્પન્ન થાય છે, એ અંતરાયથી તેઓને ધર્મસાધન કરવામાં શિથિલતા થઈ જાય છે. સૂર્યવતીનાં આવાં નમ્ર વચન સાંભળી અનગાર શિરોમણિ જ્ઞાનદ્રષ્ટિથી અવલોકી જરા વિચાર કરી બોલ્યા–સૂર્યવતી ! તારે પુત્ર તને ઘણી વાર મળે છે, પણ અજ્ઞાનરૂપ અંતર્પટને લઈ, તું જાણી શકી નથી. જ્યારે સપનૂ પુત્રના ભયથી તેં તારા પુત્રને પુન રાશીમાં મુક્યો, ત્યારે ગોત્રદેવીના કહેવાથી આ લક્ષ્મીદત્ત શેઠે ગ્રહણ કરે છે. અપુત્ર લક્ષ્મીદ તેને પુત્રવત માની સ્વીકારે છે. તેનું નામ શ્રી ચંદ્રકમાર છે. જુવો તેની મુદ્રિકા ઉપર તે નામ લખવામાં આવ્યું છે, શેઠાણી લક્ષ્મીવતીએ ઉછેરેલે તે પુત્ર હાલ વન લ્યને પ્રાપ્ત થયો છે. રાજ પ્રતાપસિંહ ! તમારે જ્યારે તેને પ્રથમ સમાગમ થયો, ત્યારે તમને તેની ઉપર અતિ વાત્સલ્ય ઉત્પન્ન થયું હતું. ઉલ્લંગમાં બેસારી અતરના સ્નેહથી તમે તેને કર્ણકોટ નગરનું રાજ્ય ઇનામમાં આપ્યું હતું, એ તમારે અપૂર્વ સ્નેહ પુત્ર વાત્સલ્ય સુય હતે. સૂર્યવતી ! તારો તેની ઉપર જે અપૂર્વ પ્રેમ હતો, તે તારી પુત્રતાને જણાવતો હતો. શ્રાવિકા સૂર્યવતી ! આ પ્રમાણે તારા પુત્રની સ્થિતી થઈ છે. બીજું શું જાણવાનું છે ? તે કહે. મુનિનાં આવાં વચન સાંભળી સૂર્યવતી આશ્ચર્ય પામી ગઈ, તેના નયનની આગળ શ્રીચંદ્રની મનોહર મૂર્તિ ખડી થઈ ગઈ. સ્તનમાંથી પયોધારા છુટવા લાગી. તેના હૃદયમાં પુત્રને મળવાની ઉત્કંઠા વિશેષ જાગ્રત થઈ આવી, વધુ ઉં. પર રેમે દુગમ થઈ આબે, રાજા પ્રતાપસિંહ પણ સાનંદાશ્ચર્ય થઈ ગ. શ્રીચંદ્રકુમાર પિતાને આરસ પુત્ર જાણું તે પિતાને ધન્ય માનવા લાગ્યો. તે કુશસ્થળી નગરીને ભવિ ધ્યમાં રાજા થવાથી તે પિતાને અને પિતાના રાજ્યને આબાદ જાણવા લાગ્યું. શ્રી ચંદ્રકુમારને મળવાની આતુરતા વધવાથી તેને આત્મા અપાર ઉત્કંઠામાં મગ્ન થઈ ગયા. લક્ષ્મીદા શેઠ અને લક્ષ્મીવતી બંને અજાયબી સાથે મોટા વિચારમાં પડયાં, એક રાજકુમારનું વડિલપણું આટલે વખત સંપાદન કર્યું, તેને માટે તેઓ પિતાને કૃતાર્થ માનવા લાગ્યાં. તે સાથે તેમના હૃદયમાં એ વિચાર થયો કે, હવે શ્રીચંદ્ર અમારા ઘરમાં રહેશે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy