SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ આનદ મંદિર. થાય છે. પ્રત્યેક વિવેકી મનુષ્યે પોતાના આત્માને સોધી સૂચના આપવી. અરે આત્મા ! તને નિર્દોષ રત્નના જેવા આ મનુષ્ય ભવ પ્રાપ્ત થયા છે, તે સાથે સકુળમાં જન્મ થયે છે, તે છતાં જો તું પ્રમાદથી આર્હત ધર્મના તત્ત્વને સમજીશ નહીં, તે પછી આ દુ:ખમય સસારચક્રમાં તારે ભ્રમણ કરવું પડશે. અરે ભવાંધ જીવ ! તુ કષાયથી દૂર રહેજે, ક્રેધ સર્વદા તિરસ્કારનું પાત્ર છે, માન મદનુ સ્થાન છે, માયા કર્મબ ંધના હેતુ છે, અને લાભ સર્વ પાપનું મૂળ છે, એ વાત તારા અંતરગમાં ધારણ કરજે. અરે અધમ જીવ ! તેં તારૂ બાલ્યવય માહમય અંધકારમાં મગ્ન થઇ ગુમાવી દીધું, તારૂણ્યવય તરૂણીના ભાગમાંજ આસક્ત કરી પ્રસાર કર્યું, અને વૃદ્વવય જરાવસ્થાથી શક્તિ રહિત થઇ ગુમાવીશ, તે। પછી તારી શી ગતિ થશે ? અરે ચંચલ ચિત્ત ! જેને માટે તું સમુદ્રને ઉલ્લુ ધન કરે છે, ભય કર અટવીમાં ભ્રમણ કરે છે, લેકાને છેતરે છે, અને વચનના ભંગ કરે છે, તેવા દ્રવ્યથી નિવૃત્ત થઇ જા, અને ધર્મના પવિત્ર માર્ગ ગ્રહણ કર, અરે જીવ ! દ્રવ્ય, જળના પરપોટાના જેવુ ચપળ, શરીરને દીવાના કપના જેવું ક્ષણભંગુર, તાણ્યને ચપળા સ્ત્રીના કટાક્ષના જેવુ' અસ્થિર, અને બળને વિદ્યુના જેવુ ચલિત જાણી, દાન, ધ્યાન, તપ અને વ્રતધા પવિત્ર એવા ધર્મતે ધારણ કર. આ પ્રમાણે આત્માને પ્રતિષ્ઠાભ આપી, સર્વ પ્રાણીએ ધર્મ આમરણ કરવું. સર્વદા હૃદયમાં શ્રા અદ્વૈત પ્રભુનું ધ્યાન કરવું. જેના પવિત્ર હૃદયમાં સર્વદા પરમાત્માનું ધ્યાન પ્રવર્ત્તમાન હોય, તેને તર્ક, છંદ, શસ્ત્ર, સ્વાધ્યાય પાઠ અને લક્ષણશાસ્ત્રની શી જરૂર છે ? તે પ્રાણી પડિત શિરામણી છે. આ મહા પોંકરૂપ સંસારમાંથી પોતાના આત્માના તે ઉદ્ધારક છે. યોગ્યતારૂપ રગિત વસ્ત્રને ધારણ કરનારી, શીલરૂપ પુંગરાગથી સુશેભિત, શ્રદ્ધા, ધ્યાન તથા વિવેકરૂપ આભૂષણવાળી, કરૂણારૂપ હારને પહેરનારી, સોધરૂપ અંજનથી ર ંજન કરનારી, અને ચારિત્રરૂપ પતલકથી અલ કૃત એવી ક્ષમારૂપ પ્રિયા તેવા પુરૂષનેજ આલિ ંગન કરે છે. એ નવરગિત સુંદરીને તે સર્વદા ભોક્તા થાય છે, ભવિ જને ! સર્વદા તમારે જિનવાણીરૂપ સુધાનું પાન કરવું, એ પવિત્ર વાણીના પ્રસાદથી અનેક પ્રાણીએ ભવાદધીને તરી ગયાં છે. આર્હત વાણીના પ્રતિધ્વનિ જેના કર્ણ માર્ગમાં પડેલા છે, તે પ્રાણીઓનુ માનવ જીવન ઉન્નત્તિએ પહેાંચેલુ છે, તેવાં પ્રાણીએ જ્ઞાનનેજ પેાતાનેા મિત્ર માને છે, કામને શત્રુ માને છે, સ્ત્રીએનેજ જરાવસ્થા ગણે છે, અને અહિંસાનેજ પરમ ધર્મ ગણે છે. પ્રભુની વાસ્મુધાનું સેવન કરનારા સમ્યકત્વધારી પુરૂષા કદિ પણ ભવવાસમાં આસક્ત થતા નથી, વનિતાની વિકારી ચેષ્ટાને આધીન થતા નથી, અને કષાયના મલિન ભાવના વિષયમાં આવતા નથી, તેવી અદ્વૈત વાણીનું સેવન કરવુ, સર્વદા તેનુ ંજ મનન કરવું, મન, વચન અને કાયાવડે તે ઉપર શુદ્ધ શ્રહા ધારણ કરવી, એજ માર્ગાનુસારીઓને પરમ ધર્મ છે, અને એજ આદુઃખમય સં. સારમાંથી મુક્ત થવાનો ઉપાય છે. જિનવાણીના પ્રભાવ કેવળી શિવાય બીજાથી વર્ણવી શકાય તે નથી, એ સામાન્ય જનની વાણીના અગાયર છે, નિર્વાંચનીય છૅ, અને અગમ્યું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy