SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ અંતર્ધટનું ઉદઘાટન ૧૬૧ સર્વત્ર શોકનો દેખાવ થઈ રહ્યા હતા, તેનાં દાસ, દાસી અને રાજપરિવાર સર્વેની મુખમુદ્રા ઉપર શેકાંકુર ફુરી રહ્યાં હતાં. લક્ષ્મીદત્ત શેઠની કોઈ નિંદા કરતાં હતાં, કોઈ તેમાં કર્મનો દેષ જણાવતાં હતાં. શ્રીચંદ્રના ગુમ થવામાં રાજસેવકે અનેક અનેક કલ્પનાઓ બાંધતા હતા, કોઈ વીણારવ ગાયકને તિરસ્કાર આપતા હતા, કોઈ લેભની નિંદા કરતા હતા. મહારાજા પ્રતાપસિંહ અને રાણી સૂર્યવતી બંને મહેલના એકાંત ભાગમાં બેઠાં હતાં, શ્રીચંદ્રના ગુમ થવાની વાર્તા ચાલતી હતી, અનેક તર્ક વિતર્ક કરી સૂર્યવતી પિતાના પતિની સાથે તે વિષેની ચર્ચા ચલાવતી હતી. છેવટે સૂર્યવતીએ રાજા પ્રતાપસિંહને જણાવ્યું, પ્રાણનાથ ! આજે રાત્રે શ્રીચંદ્રકુમાનાજ વિચાર આવ્યા હતા. નિદ્રામાં પણ એ તેજસ્વી કુમારનાં દર્શન થતાં હતાં, જાગ્રત અને સ્વમ બંને સ્થિતિમાં મને શ્રીચંદ્રનું જ સ્મરણ થાય છે. પુત્રના વિયોગે તેની પુત્ર વત્સલા માતાની જેવી સ્થિતી થાય, તેવી સ્થિતી મારી થઈ છે. શ્રીચંદ્રનો વિયોગ અને પુત્ર વિયોગના જેવો દુસહ લાગે છે, મારી મનોવૃત્તિમાં પુત્રવાત્સલ્યને પ્રવાહ વહન કરે છે, ક્ષણે ક્ષણે ચિંતામય તરંગ હૃદયસાગરમાંથી ઉભરાઇ જાય છે. પ્રાણ પતિ ! આ શું હશે ? તે ભેદ મારા જાણવામાં આવી શકતા નથી. આમાં કાંઈ પણ ગુપ્ત અને ચમત્કારી હેતુ રહેલ હોય, એમ મને લાગે છે. તે વિષે કાંઈ પણ નિર્ણય થઈ શકતો નથી. આવા ગુમ અને ચમત્કારી હેતુઓ કેવળીગમ્ય હેય છે. આ પ્રમાણે સૂર્યવતી પિતાની વાધારા ચલાવતી હતી, ત્યાં છડીદારે આવી ખબર આપ્યા કે, કઈ સેવક મહારાજાને મળવા દોડતો આવ્યો છે. પ્રતાપસિંહે પ્રવેશ કરાવાની આજ્ઞા કરી, એટલે છડીદાર તેને લઈ અંદર આવ્યો. સેવક વિનયથી નમન કરી બે– કૃપાનાથ ! બહેરના ઉદ્યાનમાં કોઈ જ્ઞાની મુનિરાજ પધાર્યા છે. તે ખબર સાંભળતાં પ્રતાપસિંહ ખુશી થયો. તત્કાળ તે ખબર લક્ષ્મીદા શેઠને મોકલાવ્યા. મહારાજા પ્રતાપસિંહ સૂર્યવતી અને બીજા રાજકુટુંબ સાથે મુનિને વંદના કરવા ઉત્સવ સહિત ઉદ્યાનમાં આવ્યો. શેઠ લક્ષ્મીદત્ત પણ પિતાનું સર્વે કુટુંબ લઈ મુનિને વંદના કરવા આવ્યા. શ્રી ચંદ્રકુમારનો પ્રિય મિત્ર ગુણચંદ્ર અને પરિણી ચંદ્રકળા પણ મુનિના ચરણકમળની સાનિધ્ય પ્રાપ્ત થયાં. સર્વ શ્રાવક મંડળે પરમ ભક્તિથી મુનિને વંદના કરી. રત્નમયધારી કૃપાળુ મુનિએ પ્રેમપૂર્વક તેમને ધર્મલાભની આશીષ આપી. ભુવક મંડળની પરિષદા જોઈ પ્રસન્ન થયેલા મુનિવરે નીચે પ્રમાણે વૈરાગ્ય પોષક દેશના આપી– ભદ્રિક શ્રાવક ! આ સંસાર સાગર અનંત દુઃખથી ભરેલો છે. આધિ, વ્યાધિ અને ઉપાધિરૂપ તરંગેની શ્રેણી તેમાં ક્ષણે ક્ષણે ઉદ્ભવ્યા કરે છે. તેમાં મગ્ન થયેલાં પ્રાણીઓ જે પ્રમાદરૂપ ખડકની સાથે અથડાય, તો તેઓ ધર્મ વિમુખ થઈ મહાન હાનિને પ્રાપ્ત કરે છે. કદિ પુર્વ પુણ્યના ભેગે જૈન ધર્મરૂપ દ્રઢ નાવ તેને પ્રાપ્ત થાય, તે તે એ મહાનસાગરને સેહેલથી તરી જાય છે. ધર્મના પ્રભાવથી પ્રાણી અનેક પ્રકારનાં સુખ સંપાદન કરે છે. ધર્મરૂપ કલ્પવૃક્ષ ધર્મના સર્વ વાંછિત પૂરા કરે છે. ધર્મરૂપ પ્રજવલિત અગ્નિમાં પ્રાણીઓનાં પાપ દગ્ધ થઈ જાય છે. સંસારરૂપ વિષવૃક્ષના કટુ ફળને ભક્ષણ કરનારાં પ્રાણીઓ જે ધર્મરૂપ અમૃતનું સેવન કરે છે, તેઓ નિર્વિષ થઈ અધ્યાત્મ સુખના ભાજન ૨૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy