________________
૧૧૦
આનંદ મંદિર, સુર નરને આમ કટ કરવું ઘટે નહીં. તે મને કદિ પણ વિખૂટો કર્યો નથી, મૈત્રીધર્મના તરવને તું જાણે છે, શુહ મૈત્રીનું લક્ષણ તારા ધ્યાનમાંથી ચાલ્યું જાય, એ આશ્ચર્ય છે. અકસ્માત આ શું કર્યું ? તારા આશ્રિત અને તારા બાધારથી જીવનને જીવન આપનાર ગુણચંદ્રને દૂર કરવામાં તું તારા દયા ધર્મને ભુલી ગયે, એ કેવી વાત ?
મિત્ર ! જે આમ કરવું હતું, તે મને તારા પ્રેમસાગરમાં મમ કર નહે. પ્રેમ એ દિવ્ય વસ્તુ છે, પણ તે વિરહમાં વિષ સમાન થઈ પડે છે. સુહ૬મણિ ! તું પ્રમશાને જ્ઞાતા છું, પ્રેમના પવિત્ર પાઠે તને કંઠસ્થ છે, પ્રેમજીવનના તવને તું પૂર્ણ અભ્યાસી છે, પ્રેમ અને વિગ એ બંને શબ્દને સંધિ કે ભયંકર છે, તે તું મારી રીતે જાણે છે. પ્રેમ શબ્દની સાધના એક કવિતામાં વર્ણવેલ છે. આટલું કહી ગુણચંદ્ર નીચેની કવિતા ઉંચે સ્વરે બોલ્યો
પ્રેમતણે બે લઇને, યમને લઇ સકાર, પ્રેમ ઈસી પર નીપજે, તિથી દુઃખદાતાર પ્રેમ તે પ્રાણીને કરે, પ્રાણુતો પરવાર,
પ્રેમ તે હિમપર દાઝ, મુખ મુકે નીસાસ.
આ કવિતા બેલી તેણે ઘણે ખેદ કર્યો, બીજા તેના સ્નેહીઓએ તેને આશ્વાસન આપ્યું. ક્ષણવાર આશ્વાસન પ્રાપ્ત કરી, ગુણચંદ્ર ગ્લાન મુખે રૂદન કરતે ચંદ્રકળાની પાસે આવ્યા. જ્યારે શ્રીચંદ્રકુમારને પત્તે કોઈ ઠેકાણે મળે નહીં. એટલે લક્ષ્મીદત્ત શેઠને નિશ્ચય થયું કે, જરૂર પુત્ર મારા વચનથી દુઃખ પામી વિદેશમાં ચાલ્યો ગયો. સુવેગરથનું દાન આપી, પિતાના આત્માને કૃતાર્થ માનનારા મારા પુત્રને મેં વિપરીત આશા કરી, તે મોટી ભુલ કરી છે. શ્રીચંદ્ર જે ઉદાર પુરૂષ આપેલું દાન પાછું લે, તે અને સંભવિત છે, તે છતાં મેં લોભગ્રસ્ત થઇ, તેવી પ્રેરણું કરી, તે ઘણું વિપરીત કર્યું. અરે અજ્ઞાની હૃદય ! તેં શે વિચાર કર્યો ? અરે દુષ્ટ લેભ ! તને જરાપણ લજજા આવી નહીં ? મારા નિર્મળ હૃદયમાં પ્રવેશ કરી, મને કલંકિત કેમ કર્યો? વત્સ શ્રીચંદ્ર! તેં તારા લુબ્ધ પિતાને તિરસ્કાર કેમ ન કર્યો ? આમ અચાનક વિદેશમાં કેમ ચાલ્યા ગયે ? અરે દયાળુ પુત્ર! વૃદ્ધ માતાપિતાની આમ ઉપેક્ષા કરવી, તે તારા જેવા આજ્ઞાંકિત પુત્રને ઘટે નહીં. આ ગ્રહ, વૈભવ, સંપત્તિ વિગેરે તારા વિના શૂન્ય છે. આ પ્રમાણે કહેતા કહેતા લક્ષ્મીદત શેઠ મૂછ પામી ભૂમિ ઉપર પડી ગયા. રાજા પ્રતાપસિંહે શીતપચાર કરાવી સ્વસ્થ કર્યો. પછી કેટલાએક શાંત વચનેથી તેમને આશ્વાસન આપી, રાજા પ્રતાપસિંહ સૂર્યવતીની સાથે શોક કરતે, પિતાના મહેલમાં ચાલ્યા ગયે.
આ પ્રમાણે ત્રણ દિવસ સુધી કુથસ્થલીમાં સર્વત્ર શક પ્રસરી રહે, લોકે પણ શ્રીચંદ્રના સગુણ સંભારી અફસેસ કરતા હતા. રાજા પ્રતાપસિંહને પણ ઘણે શોક થત હતા, રાણુ સૂર્યવતી શ્રીચંદ્રના સદ્ગુણે સંભારી સંભારી ઘણે અફસોસ કરતી હતી, અને તેના વિયોગને શોક અંતઃકરણથી દર્શાવતી હતી. પ્રતાપસિંહના રાજમહેલમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org