SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ અંતર્ધટનું ઉદ્ધાટન ૧૫૯ ઉસંગમાં બેસાડી, મુખપર ચુંબન કરી, સૂર્યવતી મસ્તકનું આધાણ કરવા લાગી. માશી * અને ભાણેજને અપૂર્વ ને જાગ્રત થઈ ગયે, અને બનેએ પરસ્પર કુશળતા પુછી. તે પછી કરમોચન વખતે જે દાયજામાં આપવામાં આવ્યું હતું, તે ચંદ્રકળાએ માશીને કહિી સંભળાવ્યું. માશીએ પિતાના તરફથી કેટલીએક લગ્નની ભેટ આપી; તે લઈ ચંદ્રકના અત્યંત આનંદ પામી. ક્ષણવાર પછી રજા પ્રતાપસિંહે લક્ષ્મીદત્ત શેઠને કહ્યું કે, શ્રીચંદ્રકુમાર કયાં છે ? તેને અહિં બોલાવે. રાજાના કહેવાથી લમીદત્ત શેઠે શ્રીચંદ્રને ધવા માણસ મેકલ્યાં. શ્રીચંદ્ર બે દિવસ થયાં ચાલ્યો ગયો છે; આ ખબર શેઠના જાણવામાં જ રહેતા. સુગરથની ચિંતામાં પ્રસ્ત થએલા શેઠે શ્રીચંદ્રને ભાવજ પુ નહેતા, તેનું અપૂર્વ પુત્રવાત્સલ્ય લેભસાચરના પ્રવાહમાં તણાઈ ગયું હતું. ભધિ દ્રષ્ટિવાળા લક્ષ્મીદત્તની પ્રેમદ્રષ્ટિ અસ્ત થઈ ગઈ હતી. શ્રી ચંદ્રને શોધવા ગએલાં માણસે પાછી આવ્યાં, શ્રીચંદ્રકુમાર કોઈ સ્થળે જોવામાં આવતો નથી. નગરના બાહ્ય અને અંદરના પ્રદેશ તેઓએ જોઈ લીધા, કોઈ સ્થળે શ્રી ચંદ્રકુમાર દષ્ટિએ પડે નહીં; તેઓ લાન મુખે પાછા આવ્યા. આથી શેઠના હદયમાં ચિંતા ઉત્પન્ન થઈ. “ શ્રી ચંદ્રકુમાર યાં ગયે હશે ? સુવેગ રથને પાછો સંપાદન કરવા તે નહીં ગયો હોય ? મારી આજ્ઞાથી રખે તેમ કરવા ગયો હોય. શ્રીચંદ મારી આજ્ઞાંકિત પુત્ર છે, મારી આજ્ઞા સાર્થક કર્યા વિના રહેજ નહી. જરૂર તે વીણારવની પછવાડે ગયે હશે.આ પ્રમાણે લક્ષ્મીદા શેઠ ચિંતવવા લાગ્યા.. આ વૃત્તાંત કુશસ્થળીમાં પ્રસરી ગયા. લેકે તે સંબંધી ચર્ચા કરવા લાગ્યા. શ્રીચંદ્ર એકાકી ગુમ થવા વિષે લેકે અનેક જાતની વાત કરવા લાગ્યા. કેઈ લક્ષ્મીદત્ત શેઠને અને કોઈ વીણરવને ધિક્કાર આપવા લાગ્યા. રાજા પ્રતાપસિંહને પણ આશ્ચર્ય થયું કે, શ્રી ચંદ્રકુમાર કેમ ગુમ થયેલ હશે? તેવો સુજ્ઞ અને વિદ્વાન નર એકાએક ચાલ્યો જાય, એ અસંભવિત છે. તેના ગુમ થવામાં મહાન હેતુ હોવો જોઈએ. સુગરથનું દાન આપ્યા પછી પશ્ચાતાપ કરે, તે તે અધમ પુરૂષ નથી. તેનામાં દિવ્ય શક્તિ છે. આહત શાસ્ત્રને તે મહાન વેત્તા છે, તે સાધારણ કારણને લઈ આવું સાહસ કરે નહી. આવું વિચારી પ્રતાપસિંહે તેની શોધ કરવા અનેક દૂતને મેકલ્યા, ૫ણ શ્રીચંદ્રકુમાર સંબંધી કઈ પણ વૃત્તાંત જાણવામાં આવ્યું નહીં. શ્રીચંદ્રના મિત્ર ગુણચંદ્રને આ ખબર મળતાં અત્યંત શક થઈ આવ્યો. તે અગાઉથી એટલું તે જાણતો હતો કે, શ્રી ચંદ્રકુમારનું હદય પિતાના સ્વભાવને લઇને ચિંતાગ્રસ્ત છે, તે કુશસ્થળીમાં હવે ચિરકાળ ટકશે નહીં, તથાપિ જ્યારે તેના જાણવામાં આવ્યું કે, પિતાને પ્રાણપ્રિય મિત્ર શ્રીચંદ્ર સર્વને છોડી ચાલ્યો ગયો, ત્યારે તેને બહુ દુઃખ લાગી આવ્યું ક્ષણવાર તે તેણે મૂછ સ્થિતિ અનુભવી, તેના નેત્રમાંથી અશ્રુધારા ચાલવા લાગી, છેવટે મુક્ત કઠે રૂદન કરવા લાગ્યું. તેણે પિતાના હદયને સંબોધીને કહ્યું, અરે હદય ! તેં તારી અપૂર્વ શાંતિ ગુમાવી છે. તને શીતલ છાયા આપનાર અને વિશ્રાંતિને આનંદ અર્પણ કરનાર એક સુંદર કલ્પવૃક્ષને તેં ગુમાવ્યું છે. મિત્ર શ્રીચંદ્ર ! તારા જેવા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy