________________
આનંદ મંદિર,
તે વિદેશી વિદ્વાનનાં આવાં વચન સાંભળી પ્રતાપસિંહ હાસ્ય કરી બો– પંડિતવર્ય ! આ તમારાં રાજકુમારીનાં સામુદ્રિક લક્ષણ કેવાં છે? તે યથાર્થ રીતે જણાવો. પ્રતાપસિંહનાં આ વચન સાંભળી, તે ચતુર વિદ્વાન બોલ્યો–મહારાજા ! એ રાજકુમારીનાં સર્વ લક્ષણ મેં તેમના પિતાના દરબારમાં જોયેલાં છે. હવે તેમની ફળશ્રુતિ સંભલાવવા માટે જ હું અહીં આવ્યો છું. એ રાજકુમારીને આપ મહારાજા પટરાણીની પદવી આપજે, એ લક્ષણોથી અને ભાગ્યથી સર્વ રીતે એગ્ય છે. તેમનાં હસ્તની અને લલાટની રેખાઓનાં લક્ષણથી હું કહી શકું છું કે, એ મહા દેવીનાં કુક્ષિ રનમાંથી બે ગુણવાન પુત્ર પ્રગટ થશે. જેમ રહણગિરીની ભૂમિ રત્નને જન્મ આપે, તેમ તે બે કુળદીપક પુત્રને જન્મ આપશે, તેમના ભાગ્યવાન બે પુત્રોથી પિતા, શ્વસુર, પિતામહ અને શિરછત્ર માતામહ પણ પૃથ્વીમાં પ્રખ્યાત થશે. આ મનોજ્ઞ મહાદેવી તમારા અંતઃપુરને દીપાવશે, તેમના ધાર્મિક અને પવિત્ર પુત્રથી જગતમાં ધર્મ કીર્તિનો પ્રસાર થશે, એ મહા દેવીના પ્રભાવથી તમારે પ્રભાવિક પ્રતાપ પૃથ્વી ઉપર ગ્રીષ્મ રૂતુના સૂર્યની જેમ તપશે, અને પ્રત્યેક સ્થળે તમારી વિજય પતાકા ફરકશે. વળી સૂર્યવતીના સૂર્ય જેવા તેજસ્વી પુત્રથી આ ભરતક્ષેત્ર સર્વદા પ્રકાશીત રહેશે, અને ભવિષ્યમાં ભારતની જન પ્રજા પિતાના પવિત્ર ધર્મની સાથે તેના નિર્મળ ગુણનું યશગાન કર્યા કરશે.
તે વિદ્વાનનાં આવાં વચન સાંભળી પ્રતાપસિંહના મુખ ઉપર હની પ્રભા પ્રસરી રહી, અને તત્કાળ તે મધુર અને ગંભીર સ્વરે બોલી ઉઠ–ભદ્ર ! તમારાં વચન યથાર્થ થાઓ. આજથી હું આ સૂર્યવતીને પટરાણુની મહાન પદવી આપું છું કુશસ્થલીની રાજધાનીમાં એ મહાદેવી હવે પટરાણી થઈ પૂજાશે, અને મારા અંતઃપુરનો ઉત્તમ અલંકાર થઈ સર્વદા રાજ માનથી વિરાજમાન થશે. આ પ્રમાણે કહી, મહારાજાએ તે સામુદ્રિક વેત્તાને એક અમૂલ્ય હાર અર્પણ કર્યો, અને પ્રણામ કરી તેના પ્રસન્ન મુખ કમળની આ શિષો ગ્રહણ કરી, ક્ષણવાર પછી તે વિદ્વાન આનંદ પામતો રજા લઈ ચાલતો થયો, અને મહારાજા પ્રતાપે સૂર્યવતીને પટરાણીનું સંબોધન આપી, પ્રેમપૂર્વક આલિંગન કર્યું. દીપશિખાના મહારાજાની રાજપુત્રીએ કુશસ્થલીના મહારાજાનાં પટરાણની પદવી પ્રાપ્ત કરી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org