________________
પટરાણીની પદવી.
૧૧
પોતાની રાજધાનીથી પશુ અધિક વૈભવ સોંપાદન કરી શ્વસુર ગૃહમાં રહ્યા હતા, અને તે નીચેની પ્રસિદ્ધ કહેવત ખરાબર સાર્થક કરતા હતા.
“ વ્રુષ્ટનિવાસઃ સ્વતંતુથો નાળામ્ ॥ ’
આ સમયે એક પુરૂષ પ્રતાપસિહુના મેહેલ પાસે આવી ઉભા રહ્યા, તેણે સભ્યતાના વેષ ધારણ કર્યું હતેા, તેના વિશાળ લલાટ ઉપર વિદ્વતાનું તેજ પ્રકાશતું હતું, દ્રવ્યની અપેક્ષા છતાં તે નિઃસ્પૃહ દેખાતા હતા, એક હાથમાં સામુદ્રિકનું પુસ્તક ધર્યું હતું, બીજા હાથમાં મંત્ર જપતી માળા રહેલી હતી, તેની નિર્મળ મનેવૃત્તિમાં પ્રતાપસિંહ જેવા કૃતજ્ઞ અને વિદ્યા પરીક્ષક રાજાને મળવાની ઉત્કંઠા ઉત્પન્ન થઇ હતી. દ્રવ્યના લાભ કરતાં પોતાના ગુણની પરીક્ષા કરવાના લાભ તે વિશેષ માનતા હતા. તેણે દ્વારપાળને પેાતાનું આગમન મહારાજાને સૂચવવા કહ્યું, એટલે તત્કાળ દ્વારપાળ મહારાજાને નિવેદન કરવા આવ્યા. આ વખતે મહારાજા પ્રતાપસિ ંહ નિત્ય ક્રિયામાંથી નિવૃત્ત થઇ, પેાતાની પ્રિયતમા સુથૈવતીની સાથે વાત્તા વિનાદ કરતા હતા. દ્વારપાળે તે ખબર કહ્યા, એટલે પ્રતાપ રાજા ખુશી થયે, અને પેાતાની પ્રિયાને કહ્યું, કેમ પ્રિયા ! સામુદ્રિકવેત્તાને ખેલાવી કાંઇ વિદ્યા વિનેદ કરવા છે ? તમારી શી ઇચ્છા છે ? સૂર્યવતી સાન ંદા થઇ ખેાલી— પ્રાણેશ ! જેવી આપની ઇચ્છા. પ્રિયાની મનેત્તિ જાણી રાજાએ આજ્ઞા કરી, એટલે દ્વારપાળ તે સામુદ્રિક લક્ષણ જાણુનારને ખેલાવી લાવ્યેા. જ્યાં પ્રતાપસિંહૈં અને સૂર્યવતી બેઠાં હતાં, ત્યાં તેને દાખલ કર્યું. તે વિદ્વાન પુરૂષ આશીષ આપી ઉભા રહ્યા, એટલે રાજા પ્રતાપસિંહે તેને સન્માન પૂર્વક આસન ઉપર બેસાયા. મહારાજાએ કુશળતા પ્રશ્ન પૂર્વક પુછ્યું, આપ કાણુ । ? અને કયાંથી આવે છે ? તે વિદ્વાન પુરૂષ ખેલ્યા— પૃથ્વીપતિ ! હું સામુદ્રિક લક્ષણ જાણનાર એક વિદેશી વિદ્વાન છું. ધણા દિવસ થયાં આ દીપશિખા નગરીમાં આવી વસ્યા છું. મહારાજા દીપચંદ્ર મારી વિદ્યાની કદર જાણી મને આશ્રય આપે છે. તે કુશળ મહારાજા મતે ધણી વાર ખેલાવી મારી વિદ્યાની પરીક્ષા કરે છે, અને તેથી ખુશી થઇ, મતે યોગ્ય ઇનામ આપે છે. હું ભિક્ષા કે, દક્ષિણા લેનાર યાચક નથી, પણ રાજાએ તથા ગૃહસ્થાને ખુશી કરી ઇનામ લેનારા છું. હું પ્રથમથીજ દાન પાત્ર થવા ઇચ્છતા નથી, પણ ઇનામ કે, ઉપહાર પાત્ર થવાને ઇચ્છું છું, મને દ્રવ્યને લાભ નથી, પણ ગુણજ્ઞની સાબાશીના લાભ છે. આપ મહારાજાની સત્કીર્તિ મેં પ્રથમથીજ સાંભળેલી છે. એક વખતે આપની સત્કતિ મને આપની રાજધાની તરપ્ આકર્ષણ કરવા તત્પર થઇ હતી, પણ મહારાજા દીપચંદ્રના દ્રઢ ગુણાએ મને અહીંજ બાંધી લીધા છે, આપ ઉત્તમ ગુણજ્ઞ, અને શ્વેતા છે।, તેથી આપની પાસે અનેક ગુણીજન આવ્યા હશે, પણ આ એક અલ્પ ગુણીને તેની વિદ્યાની પરીક્ષા કરી ઉત્તમ ન્યાય આપવા કૃપા કરશે. આ વખતે હું ખાસ આપને કહેવા આવ્યો છું કે, મહારાજા દીપચંદ્રનાં રાજકુમારી રૈવતીનાં સામુદ્રિક લક્ષણ ચમત્કારી છે, જે આપને ધ્યાન પૂર્વક સાંભળવા યાગ્ય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org