________________
પ્રયાણ.
૧૫૭ ધર્મને બરાબર સાધજે, સમક્તિ મૂળ શીલ ગુણની રક્ષા કરજે, એવાં એવાં આચરણથી મારી વિદેશની વિપત્તિ દૂર થઈ જશે, ધર્મના પ્રસાદથી મને સર્વદા સુખશાંતા રહેશે, ધર્મના આચરણમાંજ મારું શુભ છે, મારું કલ્યાણ છે, અને મારો ઉદય છે. પતિનાં આવાં વચન સાંભળી ચંદ્રકળાનું મન શાંત થઈ ગયું, તેના હૃદયમાં જરા ઉલ્લાસ આવ્યા, તે વિનયથી બેલી–પ્રાણેશ ! હવે કાંઈ કહેવાનું નથી. જે “ ન જાઓ” એમ કહે છે, અમંગળ કહેવાય, “ જાઓ ” એમ કહું તે સ્નેહ વગરનું વચન લાગે. • અહિં રહે ” એમ કહું, તે મારી પ્રભુતા વર્તાય, “તમને રૂચે તેમ કર ” એમ કહું, તે ઉદાસીનતા દેખાય, ‘હુ સાથે આવું” એમ કહેવાથી કદાગ્રહ લાગે, અને “ એમ કરે નહીં ” એમ કહું, તે તુચ્છતા કહેવાય, તેથી હવે “ શું કહેવું ” તે હું કાંઈ જાણી શકતી નથી, આટલું કહી, તેણીએ વિશેષમાં જણાવ્યું કે, પ્રાણેશ ! છેવટમાં એટલું કહેવાનું કે, આપ સર્વદા પંચપરમેષ્ટીનું ધ્યાન કરજે. એ ધ્યાન આપને વજના કવચ જેવું છે. મસ્તકથી તે ચરણ પર્યત આ કવચ આપની રક્ષા કરશે, આપના શરીરની બાહેર તેનેજ વિજય કીલ્લો થશે, આપની ઉપર તે વજ મંડ૫૨૫ થઈ છાયા ધારણ કરશે, એનાથી બંષ્ટ મહા ભય પાસે જ નહીં આવે, તે સાથે તમારા પાપ અને વિધ્ર પ્રલય થઈ જશે. પરમેષ્ટી નમસ્કારના ન્યાસ, મુદ્રા, કવચ, પ્રસ્થાન, અને આસન વિગેરે ગુરૂમુખે જાણી લેજો. એ પવિત્ર કિયાના પસાયથી આપનું વિદેશમાં શ્રેય થશે. વિશેષ શું કહેવું? આપ સર્વ રીતે સુજ્ઞ છે, વિદેશના વર્તનના વેત્તા છે, આપના સઘળા માર્ગ મંગળમય થજે. શ્વાસની જેમ મને સંભારજે, અને નિયમિત રીતે પત્ર તથા સંદેશા મોકલતા રહેજો. કદિ મારા અપરાધ સ્મરણમાં આવે, તે ક્ષમા કરજે. આટલું કહી ચંદ્રકળા નીચેને બ્લેક અંજલી જોડીને બેલી
तब वर्त्मनि वर्तता शिवम् पुनरस्तु त्वरितं समागमः । अयि साधय साधयेप्सितं
स्मरणीयाः समये वयं सदा ॥ १ ॥
આપનું માર્ગમાં કલ્યાણ થાઓ, પુનઃ પાછ સત્વર સમાગમ થાઓ, ઈચ્છિત અર્થને સાધ, અને સર્વદા અવસરે અમને સંભારજો. ૧”
આ સુભાષિત બેલી ચંદ્રકળાએ એક ફળ લાવી, પતિના કરમાં અર્પણ કર્યું. પતિએ તેના બદલામાં પિતાનું હદય પ્રિયાને આપ્યું. પ્રથમથી જ શ્રીચંદ્ર પિતાના મિત્ર ગુણચંદ્રને સર્વ વસ્તુને અધિકાર સે હતે. ધનંજય સારથિને પિતાને સેનાપતિ કર્યો હતા, અને બીજા જે સેવક હતા, તેઓને ઇનામ આપી સંતુષ્ટ કર્યા હતા, છેવટે ચાલતી વખતે તે ચંદ્રકળા પાસે આવ્યા હત; તે માત્ર પિતાના માતાપિતાથી ગુપ્ત રહ્યા હતો. તેઓને પોતાના પ્રયાણના ખબર આપ્યા નહતા, તેઓનાથી ગુપ્ત રીતે ચંદ્રકળા પાસે આવ્યો હતો. ચંદ્રકળાની રજા મેળવી, તેણીના હદયની આશીષ સંપાદન કરી, શ્રી ચંદ્રકુમાર ચાલી નીકળે..
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org