________________
૧૫૬
આનંદ મંદિર કવિએ સ્વાભિમાનને વૃક્ષનું રૂપ આપેલું છે, તે ઘણું મનન કરવા યોગ્ય છે.
उड्डीना गुणपत्रिणः सुखफलान्याराद्विशीर्णान्यधः पर्यस्ताः परितो यशस्तबकिताः संपल्लतापल्लवाः । मागेव प्रस्ताः प्रमोदरिणाः छाया कथांतर्गता दैन्यारण्यमतंगजेन महता भनेऽभिमानद्रुमे ॥१॥
દીનતારૂપ જંગલને મહાન હસ્તી જ્યારે અભિમાન૫ વૃક્ષને ભાંગે છે, ત્યારે ગુણરૂપ પક્ષીઓ ઉડી જાય છે, સુફળરૂપ ફળ વેરાઈને નીચે પડે છે, યશરૂ૫ પુષ્પવાળી સંપત્તિરૂપ લતાનાં પ ચારે તરફ પથરાઈ જાય છે, હર્ષરૂપ હરિ પ્રથમથી જ નાશી જાય છે, અને છાયા ( કાંતિ)ની વાત તે અંતર્ધાન થઈ જાય છે. * પ્રાણેશ્વરી ! તેથી કદિ પણ સ્વાભિમાનને છોડશે નહીં. હું કોણ છું ? મારું કુળ કેવું છે ? ઇત્યાદિ વિચાર કરજે, મારા સંબંધી કાંઈ પણ ઉચાટ કરશો નહીં, હું સર્વદા વિનથી દૂર છું, એમ તમે માનજે. - ચંદ્રકળા મંદ સ્વરે બેલી–પ્રાણેશ ! તમે કહેલી શિક્ષા માટે સર્વદા માન્ય છે. આ દાસી કદિ પણ તેના વર્તનથી ભ્રષ્ટ થશે નહીં, તે વિષે આપે અવશ્ય નિશ્ચય રાખ. પણ તમારા વિયોગને સહન કરવાને હું અસમર્થ છું. આપના વિના આ સુંદર મહેલમાં એકાએકી વસવું, તે અગ્નિજવાળામાં વસવા જેવું છે. પ્રાણનાથ ! કૃપા કરી મને સાથેજ લઈ જાઓ. આપની છાયા છું; છાયા કદિ પણ જુદી પડે જ નહીં. પતિ વિના પત્નીનું જીવન શા કામનું છે ? પતિયાણાનાં પ્રાણ જુદાં પડે, તો પછી તેના શા હાલ થાય છે પ્રાણપતિ ! આપના જેવા દયાધાર્મિને આવી નિર્દયતા કરવી ઘટે નહીં; કપા કરીને મારાં વચનને માન્ય કરે. અબળાની આચાલતા હેદવી, તે યુક્ત નથી.
- ચંદ્રકળાનાં આવાં વચન સાંભળી શ્રીચંદ્ર સાબુ નયન થઈ ગયે, તેણે ગદગદ છે કહ્યું, બાળા ! તમે કહ્યું, તે સત્ય છે. અતિ નિર્દય બન્યો છું, પણ નિરૂપાય છું. જે તમને મારે વિગ દુસહ છે, તે મને પણ છે. તમને સાથે લઈ જવામાં ઘણી વિટં બણા છે. વિદેશમાં અનેક જાતનાં સંકષ્ટ આવી પડે છે, માર્ગની વિષમતાને સહન કરવા વનિતાનું વધુ અસમર્થ છે, તે સાથે મારે તમારું બંધન થઈ પડે. સ્ત્રી જીવન નિર્વાહ કરવે, તે વિદેશમાં અશક્ય છે. પ્રાણપ્રિયા ! તમે પોતે જ વિચાર કરે, તમારે સર્વ પ્રકારને પવિત્ર નિર્વાહ મારી સાથે કેમ થઈ શકે ? તમારા નિર્વાહને માટે, અને તમારા પતિવ્રતના રક્ષણ માટે મારે કેટલે પ્રયાસ કરે પડે ? તમે મારાં દુઃખનાં કારણ થઈ પડે, એ તમને કેમ સારું લાગે ? તેથી તમારે સાથે આવવાનો આગ્રહ કરવો નહીં. પતિની આરા માન્ય કરવી, એ પતિવ્રતાને ધર્મ છે, તમે મારાં વચનથી ઘેર રહે. પ્રતિદિન આહત ધર્મની ઉપાસના કરજે, ભક્તિ ભાવથી ત્રિકાળ જિનપૂજા આચરજે, ગૃહસ્થ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org