SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રયાણ ૧પ પામશે નહીં, તેની ભયંકર વાળા મારા હૃદયને દહન કર્યા કરશે. પ્રિયા ! તેથી હવે વિદેશમાં જઈ વસવાનો નિશ્ચય કર્યો છે. તમે મને ઉમંગથી આઘા આપે, તે હું વિદેશમાં સુખી થઈશ. વિદેશમાં નવનવાં કૌતુક જોઈ મારી ચિંતા પરાસ્ત થઈ જશે. વળી કોઈ સ્થળે ભાગ્યની પરીક્ષા પણ સારી રીતે થઈ શકશે. શ્રીચંદ્રનાં આવાં વચન સાંભળી ચંદ્રકળા, વજ્રાહત હેય, તેવી થઈ ગઈ. તેના મુખચંદ્ર ઉપર શોકની છાયા પ્રસરી ગઈ, થોડી વારે આત્માને શાંત કરી બેલી–પ્રાણેશ આ શું બોલે છે ? સાહસ કરશે નહીં, તમારા જેવા ધીરવીરને આવી કાયરતા ઘટે નહીં. પૂજ્ય પિતાની મતિ વિપરીત થઈ ગઈ છે. કેક- પુરૂષને વૃદ્ધાવસ્થામાં બુદ્ધિ વિપરીત. થાય છે. પિતાની આવી. આજ્ઞા આચરણીય નથી, તેમજ આદરણીય નથી, પણ તેથી કાંઈ ગૃહત્યાગ કરવાની જરૂર નથી. આ રાજ્ય સમાન ગૃહભવને ત્યાગ કરી વિદેશમાં ભ્રમણ કરવું, તે કેવું કષ્ટકારી ? આપ દીર્ધ દ્રષ્ટિથી વિચાર કરે, આપના વિના મારાથી કેમ રહી શકાય ? આપ વિદેશમાં સંકષ્ટ ભોગવે, અને હું હવૈભવ ભોગવું, તે કેમ બને ? જે આપ પિતાના દુઃખને લીધે ચિંતામુક્ત થવા વિદેશમાં જવા અવશ્ય ધારતા છે, તે મને પણ સાથે લઈ જાઓ. પતિ વિના પત્ની કેમ રહી શકે ? પતિના સુખ દુઃખમાં ભાગ લેશે, તે કુલીને કાંતાને ધર્મ છે. ચંદ્ર વિના ચંદ્રકળા કેમ રહી શકે ? કઠોર કષ્ટ ભગવત પતિને જોઈ કઈ ભામિની ભોગવિલાસની ભુક્તા થાય? આ પ્રમાણે કહેતી કહેતી ચંદ્રકળા રૂદન કરવા લાગી, તેના નયનમાંથી અશ્રુધારા ચાલવા લાગી. પ્રિયાને દુખી જે પ્રેમી પતિને દુખ થઈ આવ્યું, તેના નયન પણ અશ્રી વ્યાપ્ત થઈ ગયાં, તે ગરા કંઠે બે –પ્રાણેશ્વરી ! શાંત થાઓ, રૂદન કરો નહીં, તમને મારા સોગન છે. ગ્રહદીપિકા ! તમે સર્વ રીતે સુ છો, પવિત્ર હદયનાં પત્ની છે, મારા કલ્યાણનાં મંદિર છે, મહત્વની ખાણ છે, અને મારાં ગૃહલક્ષ્મી છો. તમારા સમય, પ્રેમે મારા હૃદયમાં વાસ કરે છે. સગુણી સુંદરી ! તમે ક્ષત્રિય કન્યા છો, ક્ષત્રિયાણ કદિ પણ નહિમત થતી નથી. વીરબાળા ! તમારો અતુલિત પ્રતાપ મને સહાયરૂપ થશે જોઈએ. સંકષ્ટમાં સાય આપવી એ ક્ષત્રિય કન્યાને ધર્મ છે. મને ચિંતામાંથી મુક્ત કરાવ, એ તમારું કર્તવ્ય છે. ચિંતારૂપ ભયંકર રાક્ષસીએ મારી ઉપર હુમલો કર્યો છે. તેને પરાભવ કરવા હું સમર્થ થઈ શકતો નથી, એ ઘેર રાક્ષસીની ઉત્પત્તિનું મૂળ કારણ પિતાજી છે, તેથી હું હતવીર્ય થઈ ગયો છું. આ વખતે મારે વિદેશ વિના બીજી કોઈ પણ શરણ નથી. પ્રાણપ્રિયા ! હવે મને તેમ કરવાની સંમતિ આપે. તમારી આજ્ઞારૂપ સહાયથી હું મારા પ્રત્યેક કાર્યમાં વિજયી થઈશ, અને પાછો નિશ્ચિત થઈ તમને સત્વર આવીને મળીશ. તમારા જેવી પ્રેમ પંડિત પત્નીને શિક્ષા આપવાની કોઈ જરૂર નથી, જેમ તમને ઉચિત લાગે તેમ વર્તજે. કુલીનતાના જે ધર્મ તમે સ્વભાવથીજ ધારણ કરેલા છે, તે ધર્મને સાચવી કર્તવ્યમાં પરાયણ રહેજો મારી સઘળાં સુખ તમારા સહવાસમાં સમર્પિત કરું છું. સંક્ષેપમાં એટલું જ કહેવાનું કે, સર્વ પ્રકારના ગુણે સ્વાભિમાનની અંદર રહેલા છે, એક સ્વાભિમાનને ત્યાગ કરવાથી સર્વ ગુણો દૂર થઈ જાય છે. એક વિદ્વાન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy