SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદ મંદિર, -આ શું હશે તે સ્વામીના નેત્રમાં અશ્રુધાર કેમ ચાલી હશે ? શું કઇ કોઇનું સ્મરણ તે નહીં થયું હોય ? ક્ષણ વાર પહેલાં જેના મુખ ઉપર આનંદની પ્રભા દેખાતી હતી, હર્ષગર્ભિત મધુર -શબ્દ બોલાતા હતા, અને વાણીમાં પ્રેમનો પ્રવાહ પ્રસરતા હતા, તેઓ અકસ્માત કેમ બદલાઈ ગયા છે તે સુંદર દેખાવને ક્ષણમાં કેમ લેપ થઈ ગયે ? આ બાબતમાં કાંઈ પણ ભેદ છે. મારે તેને નિર્ણય કરવો જોઈએ, પતિનાં સુખ દુઃખમાં ભાગ લે, એ પતિવ્રતા સ્ત્રીને ધર્મ છે. ચંદ્રકળા બોલી–પ્રાણેશ્વર ! શા વિચારમાં પડ્યા છે ? તમારા લલાટ ઉપર ચિંતાની પત્રિવેલી દેખાય છે, મુખચંદ્રના લાલિત્ય ઉપર ગગ્લાનિની આછી આછી છાયા પડેલી છે, કહો શી ચિંતા છે ? શ્રીચંદ્રે કહ્યું, ”હેશ્વરી! તમે કરેલી કલ્પના સત્ય છે. ઉદાર પુરૂષ પિતાને દાવે ગુણ પ્રકાશી વિશેષ આનંદ પામે છે, ઔદાર્ય ગુણને ઉપગ થવાથી મને આનંદ પ્રાપ્ત થ જોઈએ, પણ દૈવયોગે મારા આનંદમાં ભંગ પડે છે. મારી આ ઉદારતા પિતાશ્રીને પસંદ પડી નથી. તેઓમાં લેભ ગુણને પૂર્ણ ઉદય થયો છે, ગાયક વિણારવને મેં સુવેગ રથ આપો, તે તેમને પ્રતિકૂળ થઈ પડયું છે. પ્રતિકૂળ થયું છે એટલું જ નહીં, પણ તેઓ તે રથ પાછો લેવાની ઈચ્છા રાખે છે, અને તેમ કરવાની મને ફરજ પાડે છે. પૂજ્ય પિતાની આથી આજ્ઞા ઉલ્લંધન કરવા સમય મને પ્રાપ્ત થયેલ છે. હવે શું કરવું તે વિચારવા યોગ્ય થઈ પડયું છે. ઉત્તમ પુરૂષે કોઈને આપી પાછું લેવાની ઈચ્છા કરે, એ કેવું અધમ કૃય ? પ્રાણવલ્લભે ! આ ચિંતારૂપ અગ્નિજવાળા મને મસ્તકથી ચરણ સુધી દગ્ધ કરે છે. આ ગૃહવૈભવ, સમૃદ્ધિ સર્વ છેડી વિદેશ જવાને મેં નિશ્ચય કર્યો છે, અને તે કાર્યમાં તમારી ઉત્સાહપૂર્વક આજ્ઞા મેળવવાને હું અત્રે આવ્યો છું. પ્રાણપ્રિયા ! તમારા અંતરંગ પ્રેમના પાશથી હું બંધાયેલું છું. તમને છોડી વિદેશમાં જવાની મારી ઇચ્છાનો પ્રવાહ ખલિત થઈ જાય છે, પણ બીજો ઉપાય નથી. પિતાની આજ્ઞા વિષમ છે. હું સારી રીતે જાણું છું કે, માતા પિતા જંગમ તીર્થ છે, તેઓની શિક્ષા પુત્રે માન્ય કરવી જોઈએ, તે વિષે મને નિચેને લેક વારંવાર યાદ આવે છે– अमृतरसादप्यधिका शिक्षा मातुः पितृगुरुजनस्य । ये मन्यते न मनाक ते विहिताः सर्वदाकुधियः ॥ १॥ માતા, પિતા અને ગુરૂજનની શિક્ષા અમૃત રસથી પણ અધિક છે. જે પુરૂષો તે શિક્ષાને જરાપણું માનતા નથી, તેઓની સર્વદા કુબુદ્ધિ છે. ૧ પ્રાણવલ્લભા ! આ લેકનું મરણ થવાથી મારા હૃદયમાં અત્યંત પીડ પ્રગટ થાય છે. હું મારા મલિન આત્માની નિંદા કરું છું કે, કર્મયોગે હું કેવો અધમ થયો કે, જેણે પિતાની આજ્ઞાની અવગણના કરી. હવે આજ્ઞા ભંગ કરનાર આ અધમ પુત્રને આ ગ્રહવાસમાં રહેવું ન જોઈએ, જે હું અહીં રહીશ, તો આ ચિંતામિ કદિ પણ નિર્વાણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy