SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૩. પ્રયાણ બે કર જોડી ઉભી રહી. રમણીનાં રોમેરોમે પ્રેમકળા છવાઈ ગઈ. રંગલી રામાએ ઉમંગથી રમણને માન આપ્યું. તેના મુખ ઉપર મૃદુહાસ્ય પુરી રહ્યું. પતિને હીંડોળે બેસારી પોતે સન્મુખ ઉભી રહી. પતિએ આગ્રહથી કર ઝાલી પ્રિયાને પિતાના આસનને અર્ધ ભાગ આપે. આલિંગન કરી અર્ધાંગનાની પદવી સાર્થક કરી, ચંદ્ર સાથે ચંદ્રકળા મળી ગઈ. શ્રીચંદ્ર પ્રેમ દર્શાવતે બોલ્યા-પ્રાણેશ્વરી ! કેમ છો ? શા વિચાર કરો છો ? આજનો રંગ કાંઈક નવીન દેખાય છે. આનંદ અંકુરએ મુખમંડળને ઘેરી લીધું છે. હાસ્યની પ્રભાથી મુખચંદ્ર વિશેષ પ્રકાશે છે. કહે એ શો આનંદ છે ? ચંદ્રકળા મૃદુહાસ્ય કરતી બેલી–નેત્રમણિ ! આપ જેવા પતિના પ્રસાદથી આ નંદજ હેય. સ્વામીની કૃપારૂપ કલ્પલતાના આશ્રય નીચે રહેલી પ્રેમવતી પત્નીને સર્વદા આનંદજ હેય છે. પતિદેવતા અને પતિઆરાધક અબળાને શી ખોટ હોય ? તેમાં પણ આ પના જેવા પરાક્રમી અને પ્રતાપી પતિની આશ્રિતાની તે શી વાત કરવી ? પ્રાણેશ ! આ દાસી આ૫ની શુભચિંતક છે, અને સર્વદા આપના શુભચિંતનનાજ વિચાર કરે છે. હમેંશના કરતાં આજ વિશેષ આનંદ થવાનું કારણ એ છે કે, કુશસ્થળી નગરીની રાજસભામાં જનસમાજની વચ્ચે આપે આજે અલોકિક ઉદારતા દર્શાવી, તેની પ્રશંસાના ધ્વનિ આપની દાસીના કર્ણ પર આવ્યા છે, તેથી આજે તેને વિશેષ આનંદ છે. પતિની પ્રશંસા સભળી, કઈ સુંદરીને આનંદ ન થાય ? આપે વણરવને દિવ્ય રથ આપી દીધે, એ અસાધારણ ઔદાર્ય દર્શાવ્યું છે. આ દાસીને એ ચમત્કારી રથને માટે જે મરથ હતા, તે કદિ સફળ ન થયા, પણ આપે બીજાના મનવાંછિત પૂરા કર્યા, તેથી હું ખુશી થઈ છું. એથી આપની કીર્તિ સર્વ દિશાઓમાં પ્રસાર થઈ છે. જૈન શાસ્ત્રમાં ઘણે ઠેકાણે મારા સાંભળવામાં આવ્યું છે કે, દાનગુણ સર્વ ગુણમાં ઉત્તમ છે. ઉદારતાને પ્રભાવ એ ગુણથી પ્રકાશે છે. મહદાની પુરૂષનું યશગાન સ્વર્ગ લેકમાં પણ થાય છે. એ દિવ્ય ગુણને દેવતાઓ પણ મેટું માન આપે છે. આપનામાં તે ગુણ પ્રકાશિત છે, એ જાણી હું ઉદાર પતિની પત્ની છું, એમ મને અભિમાન આવે છે. આપનામાં ગુપ્ત રીતે રહેલે તે ગુણ આજે પૂર્ણતાથી પ્રગટ થયેલ જોઈ ને આનંદ ન થાય ? આ પ્રમાણે કહી ચંદ્રકળા વિરામ પામી–એટલે શ્રીચંદ્ર બે પ્રિયા ! તમારા આવા ઉત્તમ વિચાર જાણી મને ઘણોજ હર્ષ થાય છે. તમે કરેલી ઔદાર્ય ગુણની મોટી પ્રશંસા સાંભળી મારો અંત રાત્મા અતિ આનંદ પામે છે. લલનાઓ પ્રાયે કરીને લુબ્ધ હોય છે. આ અપવાદ તમે દૂર કર્યો છે. ઉત્તમ પદાર્થો જેમાં સ્ત્રીઓ તેમાં મમતા બાંધે છે. આ વાતને તમે તદ્દન અસત્ય કરી છે. તમારા જેવી સદ્ગુણસુંદરીને લાભથી હું મારા જીવનને કૃતાર્થ માનું છું. શાસ્ત્રકારોએ પદ્મિણીના જે ગુણ વર્ણવેલા છે, તે ખરેખર તમે ધારણ કર્યા છે.. આટલું કહી શ્રીચંદ્ર સ્તબ્ધ થઇ ગયે, તેના મનમાં વિચાર થયો કે, “પિતાના દુઃખને લઈને આવી સગુણ સ્ત્રીને ત્યાગ કર પડશે, મારા પ્રયાણના ખબર આપી હું ચંદ્રકળામાં રાહુરૂપ થવા આવ્યો છું. ” આવા વિચાર કરતાં કરતાં તેના નેત્રમાંથી અશ્રુધારા ચાલવા લાગી –-ચંદ્રકળા પતિની મુખમુદ્રા ગાનિ પામેલી જે વિચારમાં પડી, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy