SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ આનદ મંદિર. ક્ત છે, તમારી સેવક ધર્મ પરાધીન છે, જે સ્વામી થાય, તેના તમારે સેવક થવું જોઇએ, આ પ્રમાણે અશ્વને કહી શ્રીચંદ્રકુમારે વીણારવને કહ્યું, સંગીતાલંકાર ! આજથી આ અશ્વ તમને ભળે છે. તે અશ્વ અસાધારણુ છે. સાધારણુ પશુ જેવા નથી, તેમાં ચમત્કારી દિવ્યતા રહેલી છે. તેઓની ઉપર સામાન્ય પશુના જેવી બુદ્ધિ રાખશેા નહીં, તેમજ કેવળ સેવકની દ્રષ્ટિએ જોશે નહીં. આટલું કહી શ્રીચકે આજ્ઞા કરી, એટલે અશ્વ ચાલવાને તૈયાર થયા. વીણારવે અંજલિ જોડી શ્રીચંદ્રને પ્રણામ કરી અંતરની આશીષ આપી. સુવેગ રથ પોતાના ચમત્કારી અને પ્રબળ વેગથી આગળ ચાલ્યે. જેને શ્રીયદ્રકુમાર એક દૃષ્ટિએ જોઇ રહ્યા. પ્રકરણ ૩૬ મુ. પ્રયાણ. ત્રિને પહેલા પહેાર હતા, ચારે તર તૈયારીઓ થતી હતી, વિકારપુરને Jain Education International શાંતિના રાજ્યના આર ંભ થવાની મહારાજા મદન વિજય કરવાની તૈયારી કરતા હતુ; શ્રૃંગારની શોભાના સમારંભ દંપતી ભૂવનમાં થતા હતા, ધાર્મિક વૃત્તિનાં મનુષ્યા એ સમયને પણ આત્મ સાધનમાં યા જતાં હતાં, ગૃહાવાસમાં દીપક શ્રેણીઓ પ્રકાશમાન થઈ રહી હતી, રાત્રિરૂપ કૃષ્ણુગાપિકા તારામંડળના શ્રૃંગાર ધારણ કરી, પેાતાના પતિ ચંદ્રની આગળ નૃત્ય કરતી હતી, ક્ષેાથી ગહન એવા પ્રદેશમાં અંધકારે પોનાની ઘાટી છાવણી નાંખી હતી. આ સમયે ચદ્રકળા પેાતાના વાસગૃહમાં હીડાળા ઉપર એકી હતી, અનેક દાસીએ વાસગૃહની બાહેર રહી રહી હતી, ચંદ્રકળા એકલી પતિદર્શનની રાહ જોઇ અનેક મનેાથની માળા ગુંથતી હતી. શ્રીચંદ્રકુમારે વીણારવ ગાયકને રથ આપી દીધા, તે વાત્તા તેણીએ દાસીના મુખથી સાંભળી હતી. તે સાથે પેાતાના પતિના આદાર્થ ગુણની પ્રશ ંસાના ધ્વતિએ પણ તેના કાનમાં આવ્યા હતા. આથી તેના હૃદયમાં વિશેષ આનંદ થતા હતા. સુદર શૃંગાર ધારણ કર્યા હતા, નવરંગિત મહેલમાં તેના દિવ્ય શૃંગારનાં પ્રતિબિંબ પડતાં હતાં, તેથી વાસગૃહના દેખાવ અદ્ભુત લાગતા હતા. પદ્મિણી ચંદ્રકળાને આજે પોતાના પતિની સાથે ધણી વાતચિત કરવાની હતી. જે દિવ્ય રથને પોતે લાભ લેવાના મનેારથ કરતી, તે રથ અર્પણ કરી દીધે, આથી તેના મનમાં જરા ક્ષેાભ થયા હતા, અને તેથી તે પોતાના પતિને ઉપાલંભ આપવાના વિચાર કરતી હતી, તથાપિ પતિની ઉદારતાની સકીર્તિ સાંભળી તે પાછા જુદોજ વિચાર બાંધતી હતી. આ વખતે શ્રીચદ્રકુમાર વાસગૃહુમાં આવ્યા. ચંદ્રકળા પતિને જોઇ આન પૂર્વક હીંડાળા ઉપરથી ઉતરી દ્વારસુધી સામી આવી, વિનયથી નમન કરી For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy