SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ આનંદ મંદિર. છે. એવા દિવ્ય રથની સમૃદ્ધિના અધિકારી શ્રીઁચદ્રકુમાર એકજ છે, હું ગમે તેવે ગુણી છું, પણ સેવક વર્ગ માંહેલા છું. શ્રીયદ્ર જેવા પરાક્રમી પુરૂષના ગુણુવાદ કરવાના હું અધિકારી છું. મેં એવા રથની માગણી કરી તે મોટી ભુલ કરી છે. તે ભુલ કરાવનાર અને તેવી પ્રેરણા કરનાર રાજકુમાર તેમાં કારણભૂત થયા છે. માન્યવર મહ્રાશય ! મારી ઉપર કૃપા કરી તે રથ પાછો શ્રીચંદ્રકુમારને સોંપી દે, અને મારા અપરાધ ક્ષમા કરાવે. તેમ કરાવશેા, તે હું આપના ઉપકાર માનીશ. વીણારવની આવી પ્રાર્થનાથી હું તો આશ્ચર્ય પામી ગયા. રાજકુમારનુ` આ કાવ તરૂં જાણી હું ચકિત થઇ ગયા. તત્કાળ વીણારવને સમજાવી શાંત કરી, અને વિદાય કરી સત્વર તમારી પાસે આવ્યો છુ. મિત્રમણિ ! કહેા શા વિચાર છે ? વીણારવ તમને પ્રાર્થના પૂર્વક તે રથ પાછા આપવા ધારે છે, અને તેણે કરેલા અપરાધની ક્ષમા માગે છે. ગુણુદ્રનાં આવાં વચન સાંભળી શ્રીચંદ્ર ખેલ્યેા, મિત્ર ! આ શુ ખેલે છે ? ગમે તેમ હાય, પણ આપેલું દાન પાછું લેવું, તે અનુચિત છે. સર્વ સમાજ વચ્ચે જે હુ ખેલ્યા છું, તે કદી ફરવાનુ નથી. મે તેને રથ અર્પણ કરી દીધા, તે હવે મારે કદિ પણ સ્વીકારવા યાગ નથી. તમે મારા પરમ મિત્ર થઇને એવી અધમ સલાહ આપશે। નહીં. મારૂં કહેલું વચન વ્યર્થ કરી તમે મને લેકાપવાદથી કલંકિત કરાવશે નહીં. મારી સત્તિમાં તમારે સંપૂર્ણ ભાગ છે. સુન્ન મિત્ર ! તમે જાણેા છે કે, સત્પુરૂષોનાં વચનની કિસ્મત કેવી છે ? તેમની જિામાંથી એકજ વચન નીકળે છે, અને તે વચનને ખીજે રૂપે ગ્રહણ કરવા તેની સત્ય જિા કદિ પણ તત્પર થતી નથી, તે વિષે સાહિત્યકારા નીચેના શ્ર્લોકની આધેષણા કરે છે. -जिलैकैव सतां मुखे फलभृतां स्रष्टु चतस्त्रोऽथवा ताः सप्तैव विभावसौ निगदिताः षट् कार्त्तिकेयस्य च । पौलस्त्यस्य दशैव ताः फणिपते जिंहासहस्र द्वयम् जिहा लक्षसहस्रकोटिगुणिता नो दुर्जनानां मुखे ॥ १ ॥ સત્પુરૂષોના મુખમાં એકજ જિબ્ડા હાય છે, બ્રહ્માને ચાર, અગ્નિને સાત, કાર્ત્તિકષને છ, રાવણુને દશ, શેષનાગને બે હજાર અને દુર્જનના મુખમાં તે। હજારા, લાખા અને કાટીગણી જીન્હા પણ હેાતી નથી, અર્થાત્ એથી પણ વધારે હોય છે. મિત્ર ! હવે તે વિષે વિશેષ કહેવાનું નથી. તે દિવ્ય રથ જે આપ્યા તે આ ખેાજ, કદિ પણ પાા લેવાના નથી. આવી શ્રીચંદ્રની દૃઢતા જોઇ ગુણુચદ્ર આશ્ચયૅ પામી ગયા; તે પછી એક પશુ શબ્દ લ્યેા નહીં, દૃઢતિજ્ઞ શ્રીયદ્રને પ્રણામ કરી ગુણચંદ્ર ચાલતા થયા. ગુણચંદ્રના જવા પછી શ્રીચંદ્ર ચંદ્રકળાની પાસે જવા વિચાર કરતા હતા, ત્યાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy